શહેરી વિસ્તાર –સુલાતનપુરા, પાણીગેટ, બાપોદ, રામદેવનગર, સવાદ, આજવારોડ, સુદામાપુરી, વારસીયા, ફતેપુરા, નાગરવાડા, છાણી, સલાટવાડા, સમા, સિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, દંતેશ્વર, વડસર, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, દિવાળીપુરા, જેતલપુર.
ગ્રામ્ય –બાજવા, રણોલી, કરખડી, ડભોઇ અર્બન, ઉતરજ, વરણામા, ગવસાદ, ઈંટોલા, જસપુર, પાદરા અર્બન, ભાદરવા.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 437 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,133 સેમ્પલમાંથી 437 કોરોના પોઝિટીવ અને 5,696 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 33,175 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 270 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,958 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,650 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 185 ઓક્સિજન પર અને 123 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 308 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 23 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 182 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 230 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,947 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,784 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,784 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 437 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,133 સેમ્પલમાંથી 437 કોરોના પોઝિટીવ અને 5,696 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 33,175 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 270 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,958 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,650 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 185 ઓક્સિજન પર અને 123 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 308 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 23 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 182 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 230 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,947 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,784 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,784 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.