રાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે
યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ પાત્રતા ધરાવતા કેદી જેઓ પોતાના કુટુંબના એકમાત્ર કમાનાર હોય એમના પરિવારને ધંધો રોજગાર માટે નાણાકીય સહાય મંજુર કરવામાં આવે છે
વડોદરા સેન્ટ્રલ જેલમાં આ યોજનાનો 2011 થી અમલ કરવામાં આવી રહ્યો છે.
WatchGujarat ગુજરાત સરકારે કેદી સુધારણા અને કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતીતિ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની જેલ વિભાગના સહયોગથી અમલી કેદી સહાય યોજના કરાવે છે. જેનો આશય પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિને જેલવાસ થવાથી નિરાધાર બનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપીને, તેને ઓશિયાળા પણામાંથી બહાર લાવી સ્વમાનભેર જીવવાની તક આપવાનો છે. નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને, તેના પરિવાર માટે આ સહાય મળી શકે છે.
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળવંતસિંહ વાઘેલાએ કેદી સહાય યોજના અંતર્ગત જણાવ્યું હતું કે, વડોદરા જેલમાં સન 2011- 2012 થી આ યોજનાનો ઉત્તરોત્તર વધુને વધુ સારો અમલ કેદી કલ્યાણ અધિકારીના માધ્યમથી થઈ રહ્યો છે. જેના પરિણામે પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિના જેલવાસથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારોને ઘણી મોટી રાહત મળી છે. 10 વર્ષના સમયગાળામાં આ યોજના હેઠળ સમાજ સુરક્ષા વિભાગના માધ્યમથી વડોદરા સેન્ટ્રલ જેલના 757 લાભને પાત્ર કેદીઓના પરિવારોને, મહત્તમ રૂ.25 હજારની સાધન સહાયના ધોરણે રૂ.85.30 લાખની સહાય ચુકવવામાં આવી છે.
બળવંતસિંહ વાઘેલાએ વધુમાં જણવ્યું હતું કે, કોરોનાના વર્ષમાં પણ આ યોજનાની કામગીરી અટકાવી ન હતી અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 96 લાભાર્થી કેદીઓના પરિવારો માટે રૂ.24 લાખની સહાય મંજુર કરી છે. જેની આવક પર પરિવારના ગુજરાનનો આધાર હોય એવી મુખ્ય વ્યક્તિને 5 વર્ષ કે, તેથી વધુ મુદતનો જેલવાસ થયો હોય અને પરિવાર ગરીબી રેખા હેઠળ શહેરી કે ગ્રામીણ વિસ્તાર માટે ઠરાવેલી આવક મર્યાદા હેઠળ આવતો હોય, એવા કેદીઓ પાસે થી જરૂરી અરજીઓ મેળવી યોજનાનો લાભ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જેલ સમિતિના માધ્યમથી અરજીઓની ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આવી અરજીઓની રાજ્યના સમાજ સુરક્ષા નિયામક પાસેથી મંજુરી મેળવે પછી સહાય મંજૂર કરવામાં આવે છે. મહત્તમ પારદર્શકતા માટે મંજૂર થયેલી સહાયની રકમ સીધેસીધી લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા હેઠળ જમા કરાવવામાં આવે છે.કેદી લાભાર્થીનો પરિવાર આવકલક્ષી પ્રવૃત્તિ સરળતાથી કરી શકે તે માટે દુધાળા ઢોર, સિલાઈ મશીન, ચાર પૈંડા વાળી લારી જેવી અસ્ક્યામતો/ સાધનો સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે.
આ યોજનાથી આવક વંચિત કેદી પરિવારોને ઘણી મોટી રાહત મળી છે.કેદી કલ્યાણની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકારના કેદી કલ્યાણના માનવતાથી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે. યોજનાની શરૂઆતમાં સહાય રૂ. 5 હજાર હતી જે પાછળ થી વધારીને રૂ.10 હજાર કરવામાં આવી હતી અને હાલમાં રૂ.૨૫ હજાર કરવામાં આવી છે.
રાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે
યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ પાત્રતા ધરાવતા કેદી જેઓ પોતાના કુટુંબના એકમાત્ર કમાનાર હોય એમના પરિવારને ધંધો રોજગાર માટે નાણાકીય સહાય મંજુર કરવામાં આવે છે
વડોદરા સેન્ટ્રલ જેલમાં આ યોજનાનો 2011 થી અમલ કરવામાં આવી રહ્યો છે.
WatchGujarat ગુજરાત સરકારે કેદી સુધારણા અને કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતીતિ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની જેલ વિભાગના સહયોગથી અમલી કેદી સહાય યોજના કરાવે છે. જેનો આશય પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિને જેલવાસ થવાથી નિરાધાર બનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપીને, તેને ઓશિયાળા પણામાંથી બહાર લાવી સ્વમાનભેર જીવવાની તક આપવાનો છે. નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને, તેના પરિવાર માટે આ સહાય મળી શકે છે.
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળવંતસિંહ વાઘેલાએ કેદી સહાય યોજના અંતર્ગત જણાવ્યું હતું કે, વડોદરા જેલમાં સન 2011- 2012 થી આ યોજનાનો ઉત્તરોત્તર વધુને વધુ સારો અમલ કેદી કલ્યાણ અધિકારીના માધ્યમથી થઈ રહ્યો છે. જેના પરિણામે પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિના જેલવાસથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારોને ઘણી મોટી રાહત મળી છે. 10 વર્ષના સમયગાળામાં આ યોજના હેઠળ સમાજ સુરક્ષા વિભાગના માધ્યમથી વડોદરા સેન્ટ્રલ જેલના 757 લાભને પાત્ર કેદીઓના પરિવારોને, મહત્તમ રૂ.25 હજારની સાધન સહાયના ધોરણે રૂ.85.30 લાખની સહાય ચુકવવામાં આવી છે.
બળવંતસિંહ વાઘેલાએ વધુમાં જણવ્યું હતું કે, કોરોનાના વર્ષમાં પણ આ યોજનાની કામગીરી અટકાવી ન હતી અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 96 લાભાર્થી કેદીઓના પરિવારો માટે રૂ.24 લાખની સહાય મંજુર કરી છે. જેની આવક પર પરિવારના ગુજરાનનો આધાર હોય એવી મુખ્ય વ્યક્તિને 5 વર્ષ કે, તેથી વધુ મુદતનો જેલવાસ થયો હોય અને પરિવાર ગરીબી રેખા હેઠળ શહેરી કે ગ્રામીણ વિસ્તાર માટે ઠરાવેલી આવક મર્યાદા હેઠળ આવતો હોય, એવા કેદીઓ પાસે થી જરૂરી અરજીઓ મેળવી યોજનાનો લાભ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જેલ સમિતિના માધ્યમથી અરજીઓની ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આવી અરજીઓની રાજ્યના સમાજ સુરક્ષા નિયામક પાસેથી મંજુરી મેળવે પછી સહાય મંજૂર કરવામાં આવે છે. મહત્તમ પારદર્શકતા માટે મંજૂર થયેલી સહાયની રકમ સીધેસીધી લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા હેઠળ જમા કરાવવામાં આવે છે.કેદી લાભાર્થીનો પરિવાર આવકલક્ષી પ્રવૃત્તિ સરળતાથી કરી શકે તે માટે દુધાળા ઢોર, સિલાઈ મશીન, ચાર પૈંડા વાળી લારી જેવી અસ્ક્યામતો/ સાધનો સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે.
આ યોજનાથી આવક વંચિત કેદી પરિવારોને ઘણી મોટી રાહત મળી છે.કેદી કલ્યાણની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકારના કેદી કલ્યાણના માનવતાથી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે. યોજનાની શરૂઆતમાં સહાય રૂ. 5 હજાર હતી જે પાછળ થી વધારીને રૂ.10 હજાર કરવામાં આવી હતી અને હાલમાં રૂ.૨૫ હજાર કરવામાં આવી છે.