સિંધરોટ સ્તિથ મહીસાગર નદીના બ્રિજ ઉપર થી મોતની છલંગ લગાવી
મૂળ બોરસદ તાલુકાના નાપા ગામના હતા પ્રેમીપંખીડા
WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલા બોરસદ તાલુકાના નાપા ગામના પરિણીત પ્રેમી પંખીડાએ આજ રોજ સિંધરોટ નજીક આવેલી મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. સમગ્ર મામલે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિસાર નદીની કાંઠે રહેતા રહીશોને સવારના દસ વાગ્યાની આસપાસ બે મૃત દેહો નદીમાં જોવા મળ્યા હતા. મામલે રહીશોએ દ્વારા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઈને મૃત દેહોને બહાર કાઢ્યા હતા. તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતદેહો એક યુવક અને એક યુવતીના હતા. બંનેની ઓળખ સોહીલ રાણા (ઉં-24વર્ષ) અને આલિશા રાણા (ઉં-22વર્ષ) થઇ હતી. બંને બોરસદ તાલુકાના નાપા ગામના રહેવાસી હતા.
આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા વાત બહાર આવી હતી કે, બંને એક જ ગામના હતા અને અગાઉ એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ બંનેના લગ્ન થઇ શક્ય ન હતા. આખરે બંનેએ અલગ અલગ જગ્યાએ લગ્ન કરીને પોતાનો સંસાર શરૂ કર્યો હતો. તેમ છતાં લગ્ન થયા બાદ પણ એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા. દરમિયાન અલીશા તેના પિયર નાપા ગામ ખાતે આવી અને આજરોજ સોહીલ સાથે વહેલી સવારના ભાગી ગઈ હતી. આ બંને પરિણીત પ્રેમીપંખીડાઓએ સિંધરોટ સ્થિત મહીસાગર નદીના બ્રિજ ઉપર થી મોતની છલંગ લગાવી દીધી હતી.
આ બનાવ વિશે પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને આગળની તાપસ હાથ ધરી હતી.
સિંધરોટ સ્તિથ મહીસાગર નદીના બ્રિજ ઉપર થી મોતની છલંગ લગાવી
મૂળ બોરસદ તાલુકાના નાપા ગામના હતા પ્રેમીપંખીડા
WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલા બોરસદ તાલુકાના નાપા ગામના પરિણીત પ્રેમી પંખીડાએ આજ રોજ સિંધરોટ નજીક આવેલી મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. સમગ્ર મામલે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિસાર નદીની કાંઠે રહેતા રહીશોને સવારના દસ વાગ્યાની આસપાસ બે મૃત દેહો નદીમાં જોવા મળ્યા હતા. મામલે રહીશોએ દ્વારા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઈને મૃત દેહોને બહાર કાઢ્યા હતા. તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતદેહો એક યુવક અને એક યુવતીના હતા. બંનેની ઓળખ સોહીલ રાણા (ઉં-24વર્ષ) અને આલિશા રાણા (ઉં-22વર્ષ) થઇ હતી. બંને બોરસદ તાલુકાના નાપા ગામના રહેવાસી હતા.
આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા વાત બહાર આવી હતી કે, બંને એક જ ગામના હતા અને અગાઉ એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ બંનેના લગ્ન થઇ શક્ય ન હતા. આખરે બંનેએ અલગ અલગ જગ્યાએ લગ્ન કરીને પોતાનો સંસાર શરૂ કર્યો હતો. તેમ છતાં લગ્ન થયા બાદ પણ એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા. દરમિયાન અલીશા તેના પિયર નાપા ગામ ખાતે આવી અને આજરોજ સોહીલ સાથે વહેલી સવારના ભાગી ગઈ હતી. આ બંને પરિણીત પ્રેમીપંખીડાઓએ સિંધરોટ સ્થિત મહીસાગર નદીના બ્રિજ ઉપર થી મોતની છલંગ લગાવી દીધી હતી.
આ બનાવ વિશે પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને આગળની તાપસ હાથ ધરી હતી.