વડસર રોડ પર આવેલો પાનનો ગલ્લો મોડી રાત સુધી ખુલ્લો રહેતા પોલીસ કોન્સ્ટેબલોએ ગુના દાખલ કરવાને બદલે ઢોર માર માર્યો
માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણની આ કરતુતો ગલ્લામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ
પોલીસ કર્મીઓની દાદાગીરીનો વિડિઓ થયો સોશિયલ મીડિયામાં વાયરલ
WatchGujarat. વિવાદોથી ઘેરાયેલુ રહેતુ માંજલપુર પોલીસ સ્ટેશન વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. જ્યાં પોલીસ સ્ટેશનના બે કર્મીઓ દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદારને ઢોર માર-મારતો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ હતી. પોલીસ કોન્સ્ટેબલોની આ દાદીગીરીનો વિડિઓ હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે. પોલીસ કર્મીઓએ એટલી બેરહેમી પુર્વક દુકાન દારને માર માર્યો કે તેના કપડાં પણ ફાટી ગયા હતા. શિસ્તના આગ્રહી શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ આ પોલીસ કર્મીઓ સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
https://youtu.be/g3w5GeAPi_U
હાલ કોરોનાને લઇને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આદેશ અનુસાર રાત્રી કર્ફ્યુનુ ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવમાં આવ્યું છે. જોકે કેટલીક હદે શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ થઇ રહ્યાં છે. જ્યાં કર્ફ્યુનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટટેબલોએ કાયદાથી ઉપરવટ જઇ તેનો દુરઉપયોગ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામા કેદ થયા છે.
શહરેના વડસર બ્રીજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. ગત રોજ રાત્રીના 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. તેવામાં માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં, ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. એટલેથી પેટના ભરાયુ તો પોલીસ કોન્સ્ટેબલનો દુકાનનુ શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ કર્મીઓના મારથી થાકી ચુંકેલા દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા છતાંય તેઓ માર મારતા રોકાયા ન હતા.
આ મામલે watchgujarat.com દ્વારા દુકાનદારનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ મામલે કંઇ પણ કહેવાનુ ટાળી, તબીયત સારી ન હોવાનુ જણાવ્યું હતુ. તેમજ દવાખાના વર્ધી લખાવી હોવાનુ તેઓએ વાતચિત દરમિયાન જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહીં છે કે, લોકો કંઇ રીતે ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોલીસ કર્મીઓ દ્વારા ખાકીનો દુરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે. તેમ જોતા એવુ લાગે છે કે, પહેલા પોલીસ ડીપાર્ટમેન્ટે જ શિસ્તનો પાઠ ભણાવવાની જરૂર છે.
વડસર રોડ પર આવેલો પાનનો ગલ્લો મોડી રાત સુધી ખુલ્લો રહેતા પોલીસ કોન્સ્ટેબલોએ ગુના દાખલ કરવાને બદલે ઢોર માર માર્યો
માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણની આ કરતુતો ગલ્લામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ
પોલીસ કર્મીઓની દાદાગીરીનો વિડિઓ થયો સોશિયલ મીડિયામાં વાયરલ
WatchGujarat. વિવાદોથી ઘેરાયેલુ રહેતુ માંજલપુર પોલીસ સ્ટેશન વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. જ્યાં પોલીસ સ્ટેશનના બે કર્મીઓ દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદારને ઢોર માર-મારતો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ હતી. પોલીસ કોન્સ્ટેબલોની આ દાદીગીરીનો વિડિઓ હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે. પોલીસ કર્મીઓએ એટલી બેરહેમી પુર્વક દુકાન દારને માર માર્યો કે તેના કપડાં પણ ફાટી ગયા હતા. શિસ્તના આગ્રહી શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ આ પોલીસ કર્મીઓ સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
હાલ કોરોનાને લઇને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આદેશ અનુસાર રાત્રી કર્ફ્યુનુ ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘ દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવમાં આવ્યું છે. જોકે કેટલીક હદે શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ થઇ રહ્યાં છે. જ્યાં કર્ફ્યુનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટટેબલોએ કાયદાથી ઉપરવટ જઇ તેનો દુરઉપયોગ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામા કેદ થયા છે.
શહરેના વડસર બ્રીજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. ગત રોજ રાત્રીના 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. તેવામાં માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં, ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. એટલેથી પેટના ભરાયુ તો પોલીસ કોન્સ્ટેબલનો દુકાનનુ શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ કર્મીઓના મારથી થાકી ચુંકેલા દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા છતાંય તેઓ માર મારતા રોકાયા ન હતા.
આ મામલે watchgujarat.com દ્વારા દુકાનદારનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ મામલે કંઇ પણ કહેવાનુ ટાળી, તબીયત સારી ન હોવાનુ જણાવ્યું હતુ. તેમજ દવાખાના વર્ધી લખાવી હોવાનુ તેઓએ વાતચિત દરમિયાન જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહીં છે કે, લોકો કંઇ રીતે ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોલીસ કર્મીઓ દ્વારા ખાકીનો દુરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે. તેમ જોતા એવુ લાગે છે કે, પહેલા પોલીસ ડીપાર્ટમેન્ટે જ શિસ્તનો પાઠ ભણાવવાની જરૂર છે.