WatchGujarat. थाली भरकर ल्याइै रै खीचड़ौ, उपर घी की बाटकी, जीमो म्हारो श्याम धणी, जिमावै बेटी जाट की।
આ ભજન ખુબ જ પ્રચલિત છે જેમાં કર્માબાઈ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કર્માબાઈ નું નામ આપ સૌએ ઘણી વાર સાંભળ્યું હશે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કર્માબાઈ ના હાથે બનેલી ખીચડી ખાવા રોજે આવી જતા હતા. આજે આપણે ભગવાન જગન્નાથજીને વર્ષોથી ચાલી આવતી પ્રથા જેમાં ભગવાનને છપ્પન ભોગની પહેલા ખીચડીનો ભોગ ચડવામાં આવે છે. તેના વિશે જાણીશુ. કર્માબાઈ ભગવાન શ્રી કૃષ્ણના મહાભક્ત હતા, જેમને સ્વયં ભગવાનને સાક્ષાત દર્શન આપ્યા હતા.
રાજસ્થાનના નાગોર જિલ્લાના ગામ કાલવામાં એક જાટ ખેડૂત જીવનરામ ડુડીના ત્યાં વર્ષ 1615 પુત્રી નો જન્મ થયો હતો. જેનું નામ કર્માં રાખવામાં આવ્યું હતું. બધા કર્માં ને કર્માબાઈ કરીને બોલાવતા હતા. પિતા જીવનરામ પોતે એક કૃષ્ણ ભક્ત હતા. જેમને પોતાના ઘરમાં મદન મોહન નામ નું શ્રી કૃષ્ણ ભગવાન નું મંદિર બનાવ્યું હતું. જેમાં તે રોજ ભગવાન ની પૂજા કરતા તેમને ભોગ ચઢાવતા અને ભોગ ચઢવ્યા પછી જ જમવાનું જમવામાં આવતું હતું. આ તેમના ઘરનો નિયમ હતો.
આ પ્રકારે સમય વીતતો ગયો અને કર્માંબાઈ રોજ તેમના પિતા ને ભગવાનની પૂજા કરતાં જોતી અને ભગવાનને ભોગ ચડાવતા જોતી હતી. પૂજા અર્ચના અને ભોગ ચઢાવ્યા બાદ બધા ઘરમાં જમવા બેસતા હતા આ બધું જોતોની સાથે સાથે કર્માબાઇનું નાનપણ પસાર થઇ ગયું.
વર્ષો બાદ જયારે કર્માબાઈ 13 વર્ષની થઇ ત્યારે જીવનરામ ને કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે પુસ્કર જવાનું હતું. અને તેમની પત્ની પણ તેમની સાથે જવાના હતા. અને તે કર્માંબાઈને પણ સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ એક સમસ્યા આવી ગઈ કે, જયારે તે લોકો નહી હોય ત્યારે ભગવાન ને ભોગ કોણ ચઢાવશે તે કારણે માતા -પીતાએ કર્માબાઈ ને જવાબદારી સોંપી ને કહ્યું કે અમે પુષ્કર સ્નાન કરવા જઇ રહ્યા છે . પુત્રી તું રોજ સવાર ઉઠીને પહેલા ભગવાનને ભોગ ચઢાવજે અને પછી જ જમવાનું ખાજે. તીર્થયાત્રા પર જતા પહેલા જીવનરામએ ભગવાનની પૂજા અર્ચના કરવાની બધી સમજ કર્માબાઈ ને આપી દીધી હતી.
બીજા જ દિવસે કર્માબાઈ સવારના જલ્દી ઉઠીને કૃષ્ણ ભગવાનને ભોગ ચઢાવવા માટે બાજરીની ખીચડી બનાવી તે બાદ ખીચડી થાળીમાં પીરસી અને તેમાં ઘી- ગોળ નાખી શ્રી કૃષ્ણની સામે મૂકી દીધી અને કહ્યું ભગવાન આપણે જયારે ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો હું ત્યાં સુધી ઘરનું બીજું બધું કામ પતાવી લઉ છું. આ કહીને તે પોતાના કામમાં લાગી ગઈ. અમુક સમય બાદ કર્માબાઈ એ આવીને જોયું કે ભગવાનએ હજુ સુધી ખીચડી ખાધી જ નથી અને તે બાદ વિચાર્યું કે ભગવાને ભૂખ નહી લાગી હોય થોડી વાર પછી તે જમી લેશે અને તે પોતાના કામમાં લાગી ગઈ વચ્ચે વચ્ચે આવી ને તે જોતી રહી કે ભગવાને ખીચડી ખાધી કે નહિ.
પણ ભગવાને ખીચડી ખાઘી ન હતી આ દરમિયાન બપોરનો સમય થઇ ગયો અને કર્માબાઈને ચિંતા થવા લાગી કે ભગવાને ખીચડી કેમ નથી ખાતા. શું ખીચડી સારી નથી બની કે તેમાં ઘી-ગોળ ઓછું રહી ગયું. આવું વિચારી તેને ખીચડીમાં વધારે ઘી-ગોળ ઉમેર્યું અને થાળી લઈને ભગવાનની સામે બેસી અને કહ્યું ભગવાન જમી લો તમારા ભોજન ની તમારી પૂજા અર્ચનાની જવાબદારી પિતાએ મને સોંપી છે. અને જો તમે પિતા ની રાહ જોઈ રહ્યા છો તો તમારે ભૂખ્યા જ રહવું પડશે. પિતા તો તીર્થ યાત્રા પર ગયા છે અને અમુક દિવસો પછી જ આવશે ત્યાં સુધી તમારે મારા હાથનું જ જમવાનું ખાવું પડશે. મને તો બસ બાજરાની ખીચીડી બનાવતા આવડે છે તો ભગવાન તમારે થોડા દિવસો સુધી આ જ ખાવું પડશે. મેં તમારી ખીચડીમાં વધારે ઘી-ગોળ નાખી દીધો છે. તો કૃપા કરી તમે જમી લો આવું તે અનેક વાર ભગવાન ને કહેવા લાગી પણ ભગવાને ખીચડી ન ખાધી.
કર્માબાઈ ઉદાસ થઈને ભગવાન ને કહ્યું જ્યા સુધી તમે નહી જમો ત્યાં સુધી હું પણ ભૂખી રહીશ આવું કહીને તે ભગવાન થી નારાજ થઇને બેસી ગઈ. જોત-જોતામાં જ રાત થઇ ગઈ અને ભાવગન ની જેમ કર્મબાઈ એ પણ કશુ ન ખાધું . થોડા સમય બાદ કર્માબાઈની જીદ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ની મૂર્તિ માંથી અવાજ આવ્યો કે હે કર્મા તે પરદો તો કર્યો જ નથી. એને વગર હું કેવી રીતના જમું, આ સાંભળી કર્માબાઈ એ મૂર્તિ પર પરદો કર્યો અને ભગવાનને બાજરીની ખીચડી ખાધી અને આખીને આખી થાળી ખાલી થઇ ગઈ. તે જોતા કર્માબાઈ એ કહ્યું કે બસ આટલી જ વાત હતી તો પહેલા જ કહી દેવું હતું. આખા દિવસ તમે પણ ભૂખ્યા રહ્યા અને મને પણ ભૂખી રાખી તે બાદ ભગવાનને જમાડી કર્માબાઈએ પણ જમી લીધું. આ બાદ કર્માબાઈ નો રોજનો નિયમ થઇ ગયો.
તે રોજ સવાર ઉઠી ભગવાન માટે ખીચડી બનાવતી અને ભગવાન તે રોજ આખી ખીચડીની થાળી ખાઈ લેતા. આ બધું જોઈ કર્માબાઈ ખુબ ખુશ થતી. રોજ સવાર કર્માબાઈ વિચારતી કે ભગવાનને સવારમાં ખુબ જ ભૂખ લાગતી હશે એ કારણે તે સવાર વહેલા ઉઠીને કોઈ વિધિ વિધાન પર અનુસરી ખીચડી બનાવવા ના બદલે નાહ્યા વગર જ ભગવાન માટે ખીચડી બનાવતી હતી. તે ખુબ પ્રેમ થી ભગવાન માટે ખીચડી બનાવતી અને તે બાદ જ ઘર ના અન્ય કામ કરતી.
થોડા દિવસો પછી કર્માબાઈ ના પિતા તીર્થ યાત્રા પરથી પાછા ફર્યા અને કર્માબાઈ એ પિતાને ભગવાન ને ભોગ ચડાવવાની બધી વાત કરી. કહ્યું કે ભગવાને પહેલા દિવસે ખીચડી ખાવા માટે કેવા નખરા કર્યા અને તે બાદ રાત્રે જઈને ભગવાને ખીચડી ખાધી. અને હવે તો ભગવાન રોજ સવાર આખી ખીચડી ની થાળી ખાઈ લે છે. આ સાંભળી કર્માબાઈ ના પિતા આશ્રયચકિત થઇ ગયા અને રોજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા- અર્ચના કરવાની બધી જવાબદારી પુત્રી કર્માબાઈ ને સોંપી દીધી.
રોજ કર્માબાઈ ખુબ પ્રેમ થી ભગવાનની પૂજા અર્ચના કરવા લાગી , થોડા વરસો બાદ કર્માબાઈ ના પિતા નું નિધન થઇ ગયું. અને તે કારણે કર્માબાઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ પોતાના ગામ કાલવાને છોડી તીર્થ યાત્રા પર નીકળી ગઈ, તે ભારતના અલગ અલગ તીર્થ સ્થળોના દર્શન કરતા કરતા, ઓડિસા ના જગન્નાથ પુરી પહોંચી ગઈ અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
જગન્નથ પુરીમાં જ કર્માબાઈએ નાની ઓરડી બનાવી લીધી અને ત્યાં જ રહેવાનું ચાલુ કરી દીધું, કર્માબાઈ રોજ સવાર ના નિયમ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ માટે ખીચડી બનાવતી અને તેમને ભોગ ચઢાવતી, અમુક સમય માં ભગવાન ખીચડી ખાઈ લેતા હતા, આ ક્રમ અનેક દિવસો સુધી ચાલતો રહ્યો.
એક દિવસ કર્માબાઈ પાસે નાનો બાળક આવી બાજરી ની ખીચડી ખાવાની માંગ કરવા લાગ્યો, તે સાંભળી કર્માબાઈએ તેને ખીચડી આપી, તે ખીચડી બાળકને ખુબ જ ભાવી ને કહ્યું કે બાઈ હું કાલે પણ ખીચડી ખાવા આવી શકું છું. ત્યારે કર્માબાઈએ તેને કાલે જ કેમ તું રોજ જ આવજે હું રોજ તને ખીચડી ખવડાવીશ. તે સાંભળી તે બાળક કર્માબાઈ પાસે રોજ ખીચડી ખાવા આવવા લાગ્યો, આ ક્રમ અનેક દિવસો સુધી ચાલ્યો.
તે બાદ એક વાર કોઈ સાધુ કર્માબાઈની ઓરડી પાસે થી પસાર થઇ રહ્યા હતા અને તેમને જોયું કે, કર્માબાઈ નાહ્યા વગર ભાગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે. તે જોતા જ સાધુએ કર્મ બાઈ ને બધા વિધિ વિધાન શીખવાડ્યા અને તેના પર અનુસરવાનું કહ્યું.
કર્માબાઈ બીજા જ દિવસે સવાર ઉઠી પહેલા નાહવા ગઈ અને ખીચડી બનવવામાં થોડું મોડું થઇ ગયું. ત્યાં સુધી રોજ આવતા બાળકને અત્યંત ભૂખ લાગી ગઈ હતી. અને તે કર્માબાઈ ને ખીચડી બનાવવાંમાં જલ્દી કરવાનો આગ્રહ કરવા લાગ્યો, બાદ ખીચડી ખાઈ ને તે હાથ મોઢું -ધોયા વગર જ જતો રહ્યો, અમુક દિવસો બાદ શ્રી જગન્નથ મંદિરમાં પૂજા કરતા પૂજારી ની નજર ભગવાનની મૂર્તિ પર ગઈ અને વિચારવા લાગ્યા કે ભગવાન ના મોઢા પર આ ખીચડી રોજ ક્યાં થી આવી જાય છે. અમે તો ભગવાનને ખીચડી નથી ચઢાવતા.
તે વિચાર માં ને વિચાર માં ભગવાન જગન્નથએ પુજારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે, હું બાળકે રૂપ લઇ ને કર્માબાઈ પાસે રોજ ખીચડી ખાવા જાવ છું મને તેના હાથની બાજરીની ખીચડી ખુબ જ પસંદ છે. પણ એક સાધુ એ આવી કર્માબાઈ ને પૂજા અર્ચનાના નિયમો પર અનુસરવાનું કહી ને જતા રહ્યા, કર્માબાઈને રોજ ખીચડી બનાવતા મોડું થઇ જય છે. અને ત્યાં સુધી મંદિરમાં ભક્તો આવા લાગ્યા હોઈ છે ,તે કારણે મારે મોઢું અને હાથ ધોયા વગર જ આવી જવું પડે છે.
બીજા જ દિવસે પુજારીએ તે સાધુને શોધી હકીકતથી વાકિફ કર્યો અને કર્માબાઈને તે નિયમો પર અનુસરવાનું ના પાડી આવવાનું કહ્યું. સાધુ સીધા કર્માબાઈ પાસે ગયા ને કહ્યું તમારે આ નિયમો પર અનુસરવાની કોઈ જરૂર નથી. તે સાંભળી કર્માબાઈ રોજિંદા પહેલાની મુજબ ભગવાનને અને તે બાળક ને ખીચડી પીરસવા લાગી.તે ક્રમ અનેક વર્ષો સુધી ચાલ્યો.
અને એક દિવસે કર્માબાઈનું નિધન થઇ ગયું. તે સમયે ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર આવેલ જગન્નાથજીની મૂર્તિની આંખો માંથી આંસુ પાડવા લાગ્યા તે જોતા પૂજારી ખુબ ચિંતિત થઇ ગયા અને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન અમારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે શું.?
તે સમયે ભગવાને પુજારીને દર્શન આપતા કહ્યું કે હું રોજ જેની પાસે વહેલી સવારના ખીચડી ખાવા જતો હતો તે કર્માબાઈનું નિધન થઇ ગયું છે મને હવે કોણ ખીચડી ખવડાવશે? તે સાંભળી ત્યાંના પુજારીઓ ભગવાનને કહ્યું કે હે ભગવાન અમે રોજ તમને બાજરીની ખીચડી ભોગમાં આપીશુ
આ બાદ બધા પુજારીઓએ નક્કી કર્યું કે રોજ ભગવાનને 56 ભોગની પહેલા કર્માબાઈના નામ થી ખીચડી ચડાવવામાં આવશે , તે ક્રમ આજ સુધી ચાલે છે અને રોજ ભગવાન જગન્નાથજીને ખીચડી પીરસવામાં આવે છે. આ હતી ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી ખીચડી ની કથા.
(સંકલન - સાહિલ પંડ્યા)
આ ભજન ખુબ જ પ્રચલિત છે જેમાં કર્માબાઈ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કર્માબાઈ નું નામ આપ સૌએ ઘણી વાર સાંભળ્યું હશે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કર્માબાઈ ના હાથે બનેલી ખીચડી ખાવા રોજે આવી જતા હતા. આજે આપણે ભગવાન જગન્નાથજીને વર્ષોથી ચાલી આવતી પ્રથા જેમાં ભગવાનને છપ્પન ભોગની પહેલા ખીચડીનો ભોગ ચડવામાં આવે છે. તેના વિશે જાણીશુ. કર્માબાઈ ભગવાન શ્રી કૃષ્ણના મહાભક્ત હતા, જેમને સ્વયં ભગવાનને સાક્ષાત દર્શન આપ્યા હતા.
રાજસ્થાનના નાગોર જિલ્લાના ગામ કાલવામાં એક જાટ ખેડૂત જીવનરામ ડુડીના ત્યાં વર્ષ 1615 પુત્રી નો જન્મ થયો હતો. જેનું નામ કર્માં રાખવામાં આવ્યું હતું. બધા કર્માં ને કર્માબાઈ કરીને બોલાવતા હતા. પિતા જીવનરામ પોતે એક કૃષ્ણ ભક્ત હતા. જેમને પોતાના ઘરમાં મદન મોહન નામ નું શ્રી કૃષ્ણ ભગવાન નું મંદિર બનાવ્યું હતું. જેમાં તે રોજ ભગવાન ની પૂજા કરતા તેમને ભોગ ચઢાવતા અને ભોગ ચઢવ્યા પછી જ જમવાનું જમવામાં આવતું હતું. આ તેમના ઘરનો નિયમ હતો.
આ પ્રકારે સમય વીતતો ગયો અને કર્માંબાઈ રોજ તેમના પિતા ને ભગવાનની પૂજા કરતાં જોતી અને ભગવાનને ભોગ ચડાવતા જોતી હતી. પૂજા અર્ચના અને ભોગ ચઢાવ્યા બાદ બધા ઘરમાં જમવા બેસતા હતા આ બધું જોતોની સાથે સાથે કર્માબાઇનું નાનપણ પસાર થઇ ગયું.
વર્ષો બાદ જયારે કર્માબાઈ 13 વર્ષની થઇ ત્યારે જીવનરામ ને કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે પુસ્કર જવાનું હતું. અને તેમની પત્ની પણ તેમની સાથે જવાના હતા. અને તે કર્માંબાઈને પણ સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ એક સમસ્યા આવી ગઈ કે, જયારે તે લોકો નહી હોય ત્યારે ભગવાન ને ભોગ કોણ ચઢાવશે તે કારણે માતા -પીતાએ કર્માબાઈ ને જવાબદારી સોંપી ને કહ્યું કે અમે પુષ્કર સ્નાન કરવા જઇ રહ્યા છે . પુત્રી તું રોજ સવાર ઉઠીને પહેલા ભગવાનને ભોગ ચઢાવજે અને પછી જ જમવાનું ખાજે. તીર્થયાત્રા પર જતા પહેલા જીવનરામએ ભગવાનની પૂજા અર્ચના કરવાની બધી સમજ કર્માબાઈ ને આપી દીધી હતી.
બીજા જ દિવસે કર્માબાઈ સવારના જલ્દી ઉઠીને કૃષ્ણ ભગવાનને ભોગ ચઢાવવા માટે બાજરીની ખીચડી બનાવી તે બાદ ખીચડી થાળીમાં પીરસી અને તેમાં ઘી- ગોળ નાખી શ્રી કૃષ્ણની સામે મૂકી દીધી અને કહ્યું ભગવાન આપણે જયારે ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો હું ત્યાં સુધી ઘરનું બીજું બધું કામ પતાવી લઉ છું. આ કહીને તે પોતાના કામમાં લાગી ગઈ. અમુક સમય બાદ કર્માબાઈ એ આવીને જોયું કે ભગવાનએ હજુ સુધી ખીચડી ખાધી જ નથી અને તે બાદ વિચાર્યું કે ભગવાને ભૂખ નહી લાગી હોય થોડી વાર પછી તે જમી લેશે અને તે પોતાના કામમાં લાગી ગઈ વચ્ચે વચ્ચે આવી ને તે જોતી રહી કે ભગવાને ખીચડી ખાધી કે નહિ.
પણ ભગવાને ખીચડી ખાઘી ન હતી આ દરમિયાન બપોરનો સમય થઇ ગયો અને કર્માબાઈને ચિંતા થવા લાગી કે ભગવાને ખીચડી કેમ નથી ખાતા. શું ખીચડી સારી નથી બની કે તેમાં ઘી-ગોળ ઓછું રહી ગયું. આવું વિચારી તેને ખીચડીમાં વધારે ઘી-ગોળ ઉમેર્યું અને થાળી લઈને ભગવાનની સામે બેસી અને કહ્યું ભગવાન જમી લો તમારા ભોજન ની તમારી પૂજા અર્ચનાની જવાબદારી પિતાએ મને સોંપી છે. અને જો તમે પિતા ની રાહ જોઈ રહ્યા છો તો તમારે ભૂખ્યા જ રહવું પડશે. પિતા તો તીર્થ યાત્રા પર ગયા છે અને અમુક દિવસો પછી જ આવશે ત્યાં સુધી તમારે મારા હાથનું જ જમવાનું ખાવું પડશે. મને તો બસ બાજરાની ખીચીડી બનાવતા આવડે છે તો ભગવાન તમારે થોડા દિવસો સુધી આ જ ખાવું પડશે. મેં તમારી ખીચડીમાં વધારે ઘી-ગોળ નાખી દીધો છે. તો કૃપા કરી તમે જમી લો આવું તે અનેક વાર ભગવાન ને કહેવા લાગી પણ ભગવાને ખીચડી ન ખાધી.
કર્માબાઈ ઉદાસ થઈને ભગવાન ને કહ્યું જ્યા સુધી તમે નહી જમો ત્યાં સુધી હું પણ ભૂખી રહીશ આવું કહીને તે ભગવાન થી નારાજ થઇને બેસી ગઈ. જોત-જોતામાં જ રાત થઇ ગઈ અને ભાવગન ની જેમ કર્મબાઈ એ પણ કશુ ન ખાધું . થોડા સમય બાદ કર્માબાઈની જીદ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ની મૂર્તિ માંથી અવાજ આવ્યો કે હે કર્મા તે પરદો તો કર્યો જ નથી. એને વગર હું કેવી રીતના જમું, આ સાંભળી કર્માબાઈ એ મૂર્તિ પર પરદો કર્યો અને ભગવાનને બાજરીની ખીચડી ખાધી અને આખીને આખી થાળી ખાલી થઇ ગઈ. તે જોતા કર્માબાઈ એ કહ્યું કે બસ આટલી જ વાત હતી તો પહેલા જ કહી દેવું હતું. આખા દિવસ તમે પણ ભૂખ્યા રહ્યા અને મને પણ ભૂખી રાખી તે બાદ ભગવાનને જમાડી કર્માબાઈએ પણ જમી લીધું. આ બાદ કર્માબાઈ નો રોજનો નિયમ થઇ ગયો.
તે રોજ સવાર ઉઠી ભગવાન માટે ખીચડી બનાવતી અને ભગવાન તે રોજ આખી ખીચડીની થાળી ખાઈ લેતા. આ બધું જોઈ કર્માબાઈ ખુબ ખુશ થતી. રોજ સવાર કર્માબાઈ વિચારતી કે ભગવાનને સવારમાં ખુબ જ ભૂખ લાગતી હશે એ કારણે તે સવાર વહેલા ઉઠીને કોઈ વિધિ વિધાન પર અનુસરી ખીચડી બનાવવા ના બદલે નાહ્યા વગર જ ભગવાન માટે ખીચડી બનાવતી હતી. તે ખુબ પ્રેમ થી ભગવાન માટે ખીચડી બનાવતી અને તે બાદ જ ઘર ના અન્ય કામ કરતી.
થોડા દિવસો પછી કર્માબાઈ ના પિતા તીર્થ યાત્રા પરથી પાછા ફર્યા અને કર્માબાઈ એ પિતાને ભગવાન ને ભોગ ચડાવવાની બધી વાત કરી. કહ્યું કે ભગવાને પહેલા દિવસે ખીચડી ખાવા માટે કેવા નખરા કર્યા અને તે બાદ રાત્રે જઈને ભગવાને ખીચડી ખાધી. અને હવે તો ભગવાન રોજ સવાર આખી ખીચડી ની થાળી ખાઈ લે છે. આ સાંભળી કર્માબાઈ ના પિતા આશ્રયચકિત થઇ ગયા અને રોજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા- અર્ચના કરવાની બધી જવાબદારી પુત્રી કર્માબાઈ ને સોંપી દીધી.
રોજ કર્માબાઈ ખુબ પ્રેમ થી ભગવાનની પૂજા અર્ચના કરવા લાગી , થોડા વરસો બાદ કર્માબાઈ ના પિતા નું નિધન થઇ ગયું. અને તે કારણે કર્માબાઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ પોતાના ગામ કાલવાને છોડી તીર્થ યાત્રા પર નીકળી ગઈ, તે ભારતના અલગ અલગ તીર્થ સ્થળોના દર્શન કરતા કરતા, ઓડિસા ના જગન્નાથ પુરી પહોંચી ગઈ અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
જગન્નથ પુરીમાં જ કર્માબાઈએ નાની ઓરડી બનાવી લીધી અને ત્યાં જ રહેવાનું ચાલુ કરી દીધું, કર્માબાઈ રોજ સવાર ના નિયમ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ માટે ખીચડી બનાવતી અને તેમને ભોગ ચઢાવતી, અમુક સમય માં ભગવાન ખીચડી ખાઈ લેતા હતા, આ ક્રમ અનેક દિવસો સુધી ચાલતો રહ્યો.
એક દિવસ કર્માબાઈ પાસે નાનો બાળક આવી બાજરી ની ખીચડી ખાવાની માંગ કરવા લાગ્યો, તે સાંભળી કર્માબાઈએ તેને ખીચડી આપી, તે ખીચડી બાળકને ખુબ જ ભાવી ને કહ્યું કે બાઈ હું કાલે પણ ખીચડી ખાવા આવી શકું છું. ત્યારે કર્માબાઈએ તેને કાલે જ કેમ તું રોજ જ આવજે હું રોજ તને ખીચડી ખવડાવીશ. તે સાંભળી તે બાળક કર્માબાઈ પાસે રોજ ખીચડી ખાવા આવવા લાગ્યો, આ ક્રમ અનેક દિવસો સુધી ચાલ્યો.
તે બાદ એક વાર કોઈ સાધુ કર્માબાઈની ઓરડી પાસે થી પસાર થઇ રહ્યા હતા અને તેમને જોયું કે, કર્માબાઈ નાહ્યા વગર ભાગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે. તે જોતા જ સાધુએ કર્મ બાઈ ને બધા વિધિ વિધાન શીખવાડ્યા અને તેના પર અનુસરવાનું કહ્યું.
કર્માબાઈ બીજા જ દિવસે સવાર ઉઠી પહેલા નાહવા ગઈ અને ખીચડી બનવવામાં થોડું મોડું થઇ ગયું. ત્યાં સુધી રોજ આવતા બાળકને અત્યંત ભૂખ લાગી ગઈ હતી. અને તે કર્માબાઈ ને ખીચડી બનાવવાંમાં જલ્દી કરવાનો આગ્રહ કરવા લાગ્યો, બાદ ખીચડી ખાઈ ને તે હાથ મોઢું -ધોયા વગર જ જતો રહ્યો, અમુક દિવસો બાદ શ્રી જગન્નથ મંદિરમાં પૂજા કરતા પૂજારી ની નજર ભગવાનની મૂર્તિ પર ગઈ અને વિચારવા લાગ્યા કે ભગવાન ના મોઢા પર આ ખીચડી રોજ ક્યાં થી આવી જાય છે. અમે તો ભગવાનને ખીચડી નથી ચઢાવતા.
તે વિચાર માં ને વિચાર માં ભગવાન જગન્નથએ પુજારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે, હું બાળકે રૂપ લઇ ને કર્માબાઈ પાસે રોજ ખીચડી ખાવા જાવ છું મને તેના હાથની બાજરીની ખીચડી ખુબ જ પસંદ છે. પણ એક સાધુ એ આવી કર્માબાઈ ને પૂજા અર્ચનાના નિયમો પર અનુસરવાનું કહી ને જતા રહ્યા, કર્માબાઈને રોજ ખીચડી બનાવતા મોડું થઇ જય છે. અને ત્યાં સુધી મંદિરમાં ભક્તો આવા લાગ્યા હોઈ છે ,તે કારણે મારે મોઢું અને હાથ ધોયા વગર જ આવી જવું પડે છે.
બીજા જ દિવસે પુજારીએ તે સાધુને શોધી હકીકતથી વાકિફ કર્યો અને કર્માબાઈને તે નિયમો પર અનુસરવાનું ના પાડી આવવાનું કહ્યું. સાધુ સીધા કર્માબાઈ પાસે ગયા ને કહ્યું તમારે આ નિયમો પર અનુસરવાની કોઈ જરૂર નથી. તે સાંભળી કર્માબાઈ રોજિંદા પહેલાની મુજબ ભગવાનને અને તે બાળક ને ખીચડી પીરસવા લાગી.તે ક્રમ અનેક વર્ષો સુધી ચાલ્યો.
અને એક દિવસે કર્માબાઈનું નિધન થઇ ગયું. તે સમયે ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર આવેલ જગન્નાથજીની મૂર્તિની આંખો માંથી આંસુ પાડવા લાગ્યા તે જોતા પૂજારી ખુબ ચિંતિત થઇ ગયા અને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન અમારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે શું.?
તે સમયે ભગવાને પુજારીને દર્શન આપતા કહ્યું કે હું રોજ જેની પાસે વહેલી સવારના ખીચડી ખાવા જતો હતો તે કર્માબાઈનું નિધન થઇ ગયું છે મને હવે કોણ ખીચડી ખવડાવશે? તે સાંભળી ત્યાંના પુજારીઓ ભગવાનને કહ્યું કે હે ભગવાન અમે રોજ તમને બાજરીની ખીચડી ભોગમાં આપીશુ
આ બાદ બધા પુજારીઓએ નક્કી કર્યું કે રોજ ભગવાનને 56 ભોગની પહેલા કર્માબાઈના નામ થી ખીચડી ચડાવવામાં આવશે , તે ક્રમ આજ સુધી ચાલે છે અને રોજ ભગવાન જગન્નાથજીને ખીચડી પીરસવામાં આવે છે. આ હતી ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી ખીચડી ની કથા.