અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તારધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું પ્રબળ ચર્ચામાં
વર્ષ 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીએ દીક્ષા લીધી હતી
મંદિરના સંતોની બેઠક બાદ નવા ગાદીપતિનો આખરી નિર્ણય લઈ નામની જાહેરાત કરાશે
પ્રેમસ્વરૂપદાસ સ્વામી આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે
WatchGujarat. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા હરિપ્રસાદ સ્વામી વૈકુંઠનિવાસી થયા છે. આવતી કાલે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ત્યારે સૌ હરિભક્તોના મનમાં એક પ્રશ્ન છે કે હવે પછી તેમનું માર્ગદર્શન કોણ કરશે. કેટલાય ભક્તોની રાહ હવે કોણ ચિંધશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં સોખડા હરીધામના અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું નામ મોખરે છે. જો કે, સંતો – મહંતો સાથે સલાહ – સુચન કર્યા બાદ ઉત્તારધીકારીનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. અને તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
મળતી માહિતી મુજબ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી નવા ગાદીપતિની જાહેરાત કરવામાં આવશે. જે માટે આગામી સમયમાં મંદિરના સંતોની બેઠક યોજાશે. બીજી તરફ હરીપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે આવતા હરીભક્તોમાં પણ નવા ગાદીપતિનું નામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ માટે મંદિરના વર્તમાન કોઠારી પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 75 વર્ષીય પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી હાલ મંદિરના કોઠારી છે. નોંધનીય છે કે અક્ષર નિવાસી હરીપ્રસાદ સ્વામીએ પણ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૂચવ્યું હતું તેવી અટકળો સામે આવી છે. તમને જણાવી દઈએ કે મંદિરના મોટાભાગના સંતો અને હરીભક્તો પણ પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને નવા ગાદીપતિ તરીકે ઇચ્છી રહ્યા છે. પરંતુ આ અંગે સંતોની બેઠક બાદ જ નવા ગાદીપતિનું નામ જાહેર થશે.
તમને જણાવી દઈએ કે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયા હતા. 1962માં જ્યારે તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તારધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું પ્રબળ ચર્ચામાં
વર્ષ 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીએ દીક્ષા લીધી હતી
મંદિરના સંતોની બેઠક બાદ નવા ગાદીપતિનો આખરી નિર્ણય લઈ નામની જાહેરાત કરાશે
પ્રેમસ્વરૂપદાસ સ્વામી આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે
WatchGujarat. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા હરિપ્રસાદ સ્વામી વૈકુંઠનિવાસી થયા છે. આવતી કાલે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ત્યારે સૌ હરિભક્તોના મનમાં એક પ્રશ્ન છે કે હવે પછી તેમનું માર્ગદર્શન કોણ કરશે. કેટલાય ભક્તોની રાહ હવે કોણ ચિંધશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં સોખડા હરીધામના અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું નામ મોખરે છે. જો કે, સંતો – મહંતો સાથે સલાહ – સુચન કર્યા બાદ ઉત્તારધીકારીનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. અને તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
મળતી માહિતી મુજબ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી નવા ગાદીપતિની જાહેરાત કરવામાં આવશે. જે માટે આગામી સમયમાં મંદિરના સંતોની બેઠક યોજાશે. બીજી તરફ હરીપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે આવતા હરીભક્તોમાં પણ નવા ગાદીપતિનું નામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ માટે મંદિરના વર્તમાન કોઠારી પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 75 વર્ષીય પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી હાલ મંદિરના કોઠારી છે. નોંધનીય છે કે અક્ષર નિવાસી હરીપ્રસાદ સ્વામીએ પણ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ સૂચવ્યું હતું તેવી અટકળો સામે આવી છે. તમને જણાવી દઈએ કે મંદિરના મોટાભાગના સંતો અને હરીભક્તો પણ પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને નવા ગાદીપતિ તરીકે ઇચ્છી રહ્યા છે. પરંતુ આ અંગે સંતોની બેઠક બાદ જ નવા ગાદીપતિનું નામ જાહેર થશે.
તમને જણાવી દઈએ કે પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયા હતા. 1962માં જ્યારે તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.