મૂળ કાનના રોગો અને ઓર્થોપેડીક પ્રોસીજર માટે બનાવવામાં આવેલું માઈક્રોડીબ્રાઇડર 1990 થી સાઇનસ ની સર્જરી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે
હાલમાં આ યંત્ર મ્યુકર માઈકોસિસના દર્દીઓની સર્જરીમાં ઉપયોગી બન્યું છે
સયાજી હોસ્પિટલના કાન નાક ગળાના વિભાગમાં હાલમાં આવું એક યંત્ર ઉપલબ્ધ છે અને તબીબી અધિક્ષકશ્રી આવા વધુ યંત્રો મેળવવા પ્રયત્નો કરી રહ્યાં છે
સરકારી અને સેવા સંસ્થાઓ સંચાલિત દવાખાનાઓને તબીબી સાધન સામગ્રીની સહાયતા કરતી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોએ સહાયતા યાદીમાં આ યંત્રનો સમાવેશ કરવા જેવો છે
Watchgujarat. સયાજી હોસ્પિટલના નાક કાન અને ગળાના રોગોના વિભાગ માં હાલ પોસ્ટ કોવિડ પડકાર જેવા મ્યુકર માઈકોસિસ ના અઘરા રોગ ની સારવારનું પડકારજનક કામ ખૂબ સમર્પિતતા સાથે ચાલી રહ્યું છે.તેમાં માઇક્રોડીબ્રાઇડર નામક એક યંત્રનો લગભગ પ્રત્યેક દર્દીની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ યંત્રનો ઇતિહાસ જાણવા જેવો છે. બનાવનારે તેનું પેટન્ટ 1969માં લીધું હતું અને એક સમયે તેનો ઉપયોગ શ્રવણ નલિકાઓની આસપાસની ગાંઠો( ટયુમર)ને દૂર કરવા માટે અને ઓર્થોપેડીક પ્રોસિજર માટે થતો હતો. 1990થી તેનો ઉપયોગ વિશ્વમાં દૈનિક ધોરણે નેસલ એન્ડ એંડોસ્કોપિક સાયનસ સર્જરી માટે કરવામાં આવી રહ્યો છે અને હાલમાં આ યંત્ર મ્યુકરના દર્દીઓને સ્વસ્થ થવામાં થવામાં ખૂબ જ મદદરૂપ નીવડી રહ્યું છે અને તેના દ્વારા થતી સર્જરીથી રૂઝ પણ જલ્દી આવે છે.
તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું કે આ યંત્રમાં વપરાતી બ્લેડ પ્રમાણમાં મોંઘી છે પણ તેના થી થતી સારવાર દર્દીઓ માટે ફાયદાકારક હોવા થી આવા વધુ યંત્રો મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને એક મંડળ સાથે તેની સખાવત માટે ચર્ચા ચાલી રહી છે.આ યંત્ર સાઇનસ સર્જરી માટે સેફ ટૂલ ગણાય છે. તાજેતરમાં સુરતની સિવિલ હોસ્પિટલ ને એન.જે.ગ્રુપ ઓફ કંપનીઝ સંચાલિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 5 લાખની કિંમતનું આ યંત્ર દર્દી સેવા માટે ભેટરૂપે આપવામાં આવ્યું છે.
તે પ્રસંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માઈક્રો-ડિબ્રાઈડરની પોલી નળીના છેડે એક પોર્ટ (કાણા) દ્વારા લોહી, થૂંક, નાકનું પ્રવાહી, નાના ગઠ્ઠા શોષાઈ જાય છે. આ સાથે રોગિષ્ટ ટિશ્યૂ જેવા કે, મસા, ગાંઠને રોટેટીંગ બ્લેડ દ્વારા કાપીને તેના એકદમ નાના ટુકડા કરી નાખે છે. સાફ-સુથરી રીતે બ્લેડ દ્વારા કપાઈને ટિશ્યૂ કાઢવાને કારણે તંદુરસ્ત ભાગ જેવા કે સાઈનસની તંદુરસ્ત લાઈનિંગ/અસ્તર (mucosa) સારી રીતે બચાવી શકાય છે. જેથી સર્જરી પછી તે ભાગમાં જલ્દી રૂઝ આવે છે. નાકની સર્જરીમાં પણ દર્દીને નાકની સાર-સંભાળ જેવી કે આલ્કલાઈન પ્રવાહી દ્વારા નાકને ધોવાની પ્રક્રિયા 4 સપ્તાહથી વધુ લાંબો સમય નથી કરવી પડતી જેના કારણે દર્દીને ઝડપભેર સ્વસ્થ થવામાં મદદ મળે છે. ઓછા સમયના જનરલ એનેસ્થેસિયા આપી શકાય છે, જેથી દર્દી સુરક્ષિત રહે છે. રક્તસ્ત્રાવ પણ નહિવત પ્રમાણમાં થાય છે. આમ, આ સાધન મ્યુકર દર્દીઓ માટે ખુબ ઉપયોગી નીવડશે.
સયાજી અને ગોત્રી હોસ્પિટલોને તત્કાલીન પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.નલીનભાઇ ભટ્ટના પ્રયાસો થી સ્થાપિત એક પરંપરા હેઠળ સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા અને સામાજિક જવાબદારી અદા કરવાની ભાવના સાથે ઔદ્યોગિક વ્યાપારી એકમો,વ્યક્તિગત દાતાઓ ઇત્યાદિ દ્વારા કોરોનાની સારવારમાં જરૂરી તબીબી સાધન સામગ્રી વિપુલ પ્રમાણમાં માનવ સેવાના ભાવ સાથે આપવામાં આવી રહી છે.
ત્યારે સંસ્થાઓ અને દાતાઓ સખાવતની તબીબી સાધન સહાયતાની યાદીમાં આ યંત્રનો સમાવેશ કરીને મ્યુકરની સારવાર વધુ સરળ અને સલામત બનાવવામાં યોગદાન આપી શકે છે.
મૂળ કાનના રોગો અને ઓર્થોપેડીક પ્રોસીજર માટે બનાવવામાં આવેલું માઈક્રોડીબ્રાઇડર 1990 થી સાઇનસ ની સર્જરી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે
હાલમાં આ યંત્ર મ્યુકર માઈકોસિસના દર્દીઓની સર્જરીમાં ઉપયોગી બન્યું છે
સયાજી હોસ્પિટલના કાન નાક ગળાના વિભાગમાં હાલમાં આવું એક યંત્ર ઉપલબ્ધ છે અને તબીબી અધિક્ષકશ્રી આવા વધુ યંત્રો મેળવવા પ્રયત્નો કરી રહ્યાં છે
સરકારી અને સેવા સંસ્થાઓ સંચાલિત દવાખાનાઓને તબીબી સાધન સામગ્રીની સહાયતા કરતી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોએ સહાયતા યાદીમાં આ યંત્રનો સમાવેશ કરવા જેવો છે
Watchgujarat. સયાજી હોસ્પિટલના નાક કાન અને ગળાના રોગોના વિભાગ માં હાલ પોસ્ટ કોવિડ પડકાર જેવા મ્યુકર માઈકોસિસ ના અઘરા રોગ ની સારવારનું પડકારજનક કામ ખૂબ સમર્પિતતા સાથે ચાલી રહ્યું છે.તેમાં માઇક્રોડીબ્રાઇડર નામક એક યંત્રનો લગભગ પ્રત્યેક દર્દીની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ યંત્રનો ઇતિહાસ જાણવા જેવો છે. બનાવનારે તેનું પેટન્ટ 1969માં લીધું હતું અને એક સમયે તેનો ઉપયોગ શ્રવણ નલિકાઓની આસપાસની ગાંઠો( ટયુમર)ને દૂર કરવા માટે અને ઓર્થોપેડીક પ્રોસિજર માટે થતો હતો. 1990થી તેનો ઉપયોગ વિશ્વમાં દૈનિક ધોરણે નેસલ એન્ડ એંડોસ્કોપિક સાયનસ સર્જરી માટે કરવામાં આવી રહ્યો છે અને હાલમાં આ યંત્ર મ્યુકરના દર્દીઓને સ્વસ્થ થવામાં થવામાં ખૂબ જ મદદરૂપ નીવડી રહ્યું છે અને તેના દ્વારા થતી સર્જરીથી રૂઝ પણ જલ્દી આવે છે.
તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું કે આ યંત્રમાં વપરાતી બ્લેડ પ્રમાણમાં મોંઘી છે પણ તેના થી થતી સારવાર દર્દીઓ માટે ફાયદાકારક હોવા થી આવા વધુ યંત્રો મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને એક મંડળ સાથે તેની સખાવત માટે ચર્ચા ચાલી રહી છે.આ યંત્ર સાઇનસ સર્જરી માટે સેફ ટૂલ ગણાય છે. તાજેતરમાં સુરતની સિવિલ હોસ્પિટલ ને એન.જે.ગ્રુપ ઓફ કંપનીઝ સંચાલિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 5 લાખની કિંમતનું આ યંત્ર દર્દી સેવા માટે ભેટરૂપે આપવામાં આવ્યું છે.
તે પ્રસંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માઈક્રો-ડિબ્રાઈડરની પોલી નળીના છેડે એક પોર્ટ (કાણા) દ્વારા લોહી, થૂંક, નાકનું પ્રવાહી, નાના ગઠ્ઠા શોષાઈ જાય છે. આ સાથે રોગિષ્ટ ટિશ્યૂ જેવા કે, મસા, ગાંઠને રોટેટીંગ બ્લેડ દ્વારા કાપીને તેના એકદમ નાના ટુકડા કરી નાખે છે. સાફ-સુથરી રીતે બ્લેડ દ્વારા કપાઈને ટિશ્યૂ કાઢવાને કારણે તંદુરસ્ત ભાગ જેવા કે સાઈનસની તંદુરસ્ત લાઈનિંગ/અસ્તર (mucosa) સારી રીતે બચાવી શકાય છે. જેથી સર્જરી પછી તે ભાગમાં જલ્દી રૂઝ આવે છે. નાકની સર્જરીમાં પણ દર્દીને નાકની સાર-સંભાળ જેવી કે આલ્કલાઈન પ્રવાહી દ્વારા નાકને ધોવાની પ્રક્રિયા 4 સપ્તાહથી વધુ લાંબો સમય નથી કરવી પડતી જેના કારણે દર્દીને ઝડપભેર સ્વસ્થ થવામાં મદદ મળે છે. ઓછા સમયના જનરલ એનેસ્થેસિયા આપી શકાય છે, જેથી દર્દી સુરક્ષિત રહે છે. રક્તસ્ત્રાવ પણ નહિવત પ્રમાણમાં થાય છે. આમ, આ સાધન મ્યુકર દર્દીઓ માટે ખુબ ઉપયોગી નીવડશે.
સયાજી અને ગોત્રી હોસ્પિટલોને તત્કાલીન પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.નલીનભાઇ ભટ્ટના પ્રયાસો થી સ્થાપિત એક પરંપરા હેઠળ સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા અને સામાજિક જવાબદારી અદા કરવાની ભાવના સાથે ઔદ્યોગિક વ્યાપારી એકમો,વ્યક્તિગત દાતાઓ ઇત્યાદિ દ્વારા કોરોનાની સારવારમાં જરૂરી તબીબી સાધન સામગ્રી વિપુલ પ્રમાણમાં માનવ સેવાના ભાવ સાથે આપવામાં આવી રહી છે.
ત્યારે સંસ્થાઓ અને દાતાઓ સખાવતની તબીબી સાધન સહાયતાની યાદીમાં આ યંત્રનો સમાવેશ કરીને મ્યુકરની સારવાર વધુ સરળ અને સલામત બનાવવામાં યોગદાન આપી શકે છે.