એસએસજી હોસ્પિટલમાં પેરાલીસીસ સાથે દાખલ મહિલાના મોં પર લાલ કીડીઓ ફરી વળતા તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ
મહિલાના પતિએ નર્સિંગ સ્ટાફને મદદ કરવા કહ્યું તો, બેદરકારી ભર્યો જવાબ મળ્યો તમે કરી લો
મહિલાના પતિએ જણાવ્યું કે, દર્દીનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. એટલું જ નહિ તેના શરીર પર પણ કીડીઓ કરડ્યાના નિશાન જોવા મળી રહ્યા છે
અતિ ગંભીર મામલે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા
એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી છતી થયા બાદ કસુરવારની ઓળખ કરી તેની સામે શું પગલા લેવાય છે તેના પર સૌકોઇની નજર છે
WatchGujarat. મધ્યગુજરાતની વિશ્વ વિખ્યાત સયાજી હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ કુતરૂ માનવ અંગ ખેંચી લાવીને પીએમ રૂમની બહાર આરોગતું નજરે પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા તપાસના આદેશોના નામે કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે તંત્રની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં પેરાલીસીસની સારવાર લઇ રહેલી મહિલાના મોંઢા પર કીડીઓ ફરી વળી છે. તેમ છતાં ત્યાં કોઇ સાફ કરવા વાળું નથી. મહિલાના પતિ સ્ટાફનું ધ્યાન દોરે છે તો ઉદ્ધત જવાબ મળે છે કે, આ ખાનગી હોસ્પિટલ નથી. એડજેસ્ટ કરવું પડે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે વધુ એક વખત તંત્રની લાપરવાહી લોકો સામે છતી થવા પામી છે.
https://youtu.be/mtIXq8t9a_k
મારી પત્નીનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. તેના શરીર પર પણ કીડીયો કરડી હોય તેવું દેખાઇ આવે છે
સમગ્ર ઘટના અંગે એસએસજી હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિ પ્રમોદભાઇ પરષોત્તમભાઇ પાડલીયા એ મીડિયાને જણાવ્યું કે, મારી પત્નીનું નામ ગીતાબેન પાડલીયા છે. તેને પેરાલીસીસનો આંચકો આવ્યો તો હું તેને તુરંત જંબુસર દવાખાને લઇ ગયો હતો. ત્યાંથી મને વડોદરા એસએસજી હોસ્પિટલ માં મોકલવામાં આવ્યો. આજે 17 દિવસ થયા છે. તે દિવસમાં મને બે – ત્રણ વખત જુએ તો તેને એમ ન લાગે કે મને મુકીને જતો રહ્યો છે. આજે સવારના એવુ બન્યું કે, હું તેને જોવા ગયો. મેં જોયું કે તેના મોઢામાં કીડીયો હતી. તેનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. તેના શરીર પર પણ કીડીયો કરડી હોય તેવું દેખાઇ આવે છે. અહિંયા સાફ સફાઇની ધાંધીયા છે. અહિંયા સાફ સફાઇ નથી થતી. અહિંયા લોકો એવો જવાબ આપે છે કે, અમે થોડી સેવા કરીએ. તમારાથી નથી સેવા કરાતી. શું અમારે સાફ સફાઇ કે સેવા કરવા માટે જવું પણ હોય તો જવા દે ખરા ! મને જાતે રૂ આપી દીધું. મેં જાતે બધું જોયું. મારી પત્નીની ટ્રીટમેન્ટ સારી થાય તેવું હું ઇચ્છું છું.
મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે
મહિલા દર્દીના પતિ વાયરલ વિડીયોમાં નર્સને કહ્યું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવુ પડે ને.. આ તો મારૂ ધ્યાન ગયુ એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઇને કહી શકે તેમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દિકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો તે હું ખાવાનું લઇ આવીશ પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો. દર્દીના પતિને સ્ટાફની મહિલા કહે છે કે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે, તમારે પણ ધ્યાન રાખવુ પડે. તમે આવીને મોઢુ લુછી નાખજો.
જે કોઇ કસુરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે - ડો. રંજન ઐયર
એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે સમગ્ર મામલે મીડિટા સાથે વાત કરતા જણાવ્યું કે, મારી સામે એક વિડીયો આવ્યો છે. જેમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીના મોઢાની આસપાસ કીડીઓ ફરતી હોવાનું જોવા મળ્યું હતું. આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જે કોઇ કસુરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આઈસીયુના પલંગને વારંવાર સાફ કરાય છે. પરંતુ જ્યારે દર્દી દાખલ હોય તો અમે કોઇ ટ્રીટમેન્ટ કરી શકતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં અવાર નવાર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વખતે માત્ર તપાસના આદેશો આપવામાં આવે છે. ત્યાર બાદ કોઇ દાખલો બેસાડી તેવી કાર્યવાહી કરવામાં નહિ આવતી હોવાના કારણે બેદરકારીનો સિલસિલો આજે પણ યથાવત છે. આ પ્રકારના કિસ્સાઓમાં બેદરકારીનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ ઉઠી છે.
એસએસજી હોસ્પિટલમાં પેરાલીસીસ સાથે દાખલ મહિલાના મોં પર લાલ કીડીઓ ફરી વળતા તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ
મહિલાના પતિએ નર્સિંગ સ્ટાફને મદદ કરવા કહ્યું તો, બેદરકારી ભર્યો જવાબ મળ્યો તમે કરી લો
મહિલાના પતિએ જણાવ્યું કે, દર્દીનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. એટલું જ નહિ તેના શરીર પર પણ કીડીઓ કરડ્યાના નિશાન જોવા મળી રહ્યા છે
એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી છતી થયા બાદ કસુરવારની ઓળખ કરી તેની સામે શું પગલા લેવાય છે તેના પર સૌકોઇની નજર છે
WatchGujarat. મધ્યગુજરાતની વિશ્વ વિખ્યાત સયાજી હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ કુતરૂ માનવ અંગ ખેંચી લાવીને પીએમ રૂમની બહાર આરોગતું નજરે પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા તપાસના આદેશોના નામે કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે તંત્રની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં પેરાલીસીસની સારવાર લઇ રહેલી મહિલાના મોંઢા પર કીડીઓ ફરી વળી છે. તેમ છતાં ત્યાં કોઇ સાફ કરવા વાળું નથી. મહિલાના પતિ સ્ટાફનું ધ્યાન દોરે છે તો ઉદ્ધત જવાબ મળે છે કે, આ ખાનગી હોસ્પિટલ નથી. એડજેસ્ટ કરવું પડે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે વધુ એક વખત તંત્રની લાપરવાહી લોકો સામે છતી થવા પામી છે.
મારી પત્નીનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. તેના શરીર પર પણ કીડીયો કરડી હોય તેવું દેખાઇ આવે છે
સમગ્ર ઘટના અંગે એસએસજી હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિ પ્રમોદભાઇ પરષોત્તમભાઇ પાડલીયા એ મીડિયાને જણાવ્યું કે, મારી પત્નીનું નામ ગીતાબેન પાડલીયા છે. તેને પેરાલીસીસનો આંચકો આવ્યો તો હું તેને તુરંત જંબુસર દવાખાને લઇ ગયો હતો. ત્યાંથી મને વડોદરા એસએસજી હોસ્પિટલ માં મોકલવામાં આવ્યો. આજે 17 દિવસ થયા છે. તે દિવસમાં મને બે – ત્રણ વખત જુએ તો તેને એમ ન લાગે કે મને મુકીને જતો રહ્યો છે. આજે સવારના એવુ બન્યું કે, હું તેને જોવા ગયો. મેં જોયું કે તેના મોઢામાં કીડીયો હતી. તેનું મોઢું સુજી ગયું હોય તેવું લાગે છે. તેના શરીર પર પણ કીડીયો કરડી હોય તેવું દેખાઇ આવે છે. અહિંયા સાફ સફાઇની ધાંધીયા છે. અહિંયા સાફ સફાઇ નથી થતી. અહિંયા લોકો એવો જવાબ આપે છે કે, અમે થોડી સેવા કરીએ. તમારાથી નથી સેવા કરાતી. શું અમારે સાફ સફાઇ કે સેવા કરવા માટે જવું પણ હોય તો જવા દે ખરા ! મને જાતે રૂ આપી દીધું. મેં જાતે બધું જોયું. મારી પત્નીની ટ્રીટમેન્ટ સારી થાય તેવું હું ઇચ્છું છું.
મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે
મહિલા દર્દીના પતિ વાયરલ વિડીયોમાં નર્સને કહ્યું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવુ પડે ને.. આ તો મારૂ ધ્યાન ગયુ એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઇને કહી શકે તેમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દિકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો તે હું ખાવાનું લઇ આવીશ પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો. દર્દીના પતિને સ્ટાફની મહિલા કહે છે કે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે, તમારે પણ ધ્યાન રાખવુ પડે. તમે આવીને મોઢુ લુછી નાખજો.
જે કોઇ કસુરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે - ડો. રંજન ઐયર
એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે સમગ્ર મામલે મીડિટા સાથે વાત કરતા જણાવ્યું કે, મારી સામે એક વિડીયો આવ્યો છે. જેમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીના મોઢાની આસપાસ કીડીઓ ફરતી હોવાનું જોવા મળ્યું હતું. આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જે કોઇ કસુરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આઈસીયુના પલંગને વારંવાર સાફ કરાય છે. પરંતુ જ્યારે દર્દી દાખલ હોય તો અમે કોઇ ટ્રીટમેન્ટ કરી શકતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં અવાર નવાર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વખતે માત્ર તપાસના આદેશો આપવામાં આવે છે. ત્યાર બાદ કોઇ દાખલો બેસાડી તેવી કાર્યવાહી કરવામાં નહિ આવતી હોવાના કારણે બેદરકારીનો સિલસિલો આજે પણ યથાવત છે. આ પ્રકારના કિસ્સાઓમાં બેદરકારીનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ ઉઠી છે.