વડોદરાના વેપારીને અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લઇને ખંડણી માંગ્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો
મોબાઇલની દુકાનનો સામાન ખરીદવાના બહાને વેપારીને દુકાનો જોવા લઇ ગયા અને પોત પ્રકાશ્યું
રસ્તામાં વેપારીને માર મારી 50 લાખ રૂપિયાની માંગણી કરાઇ
આખરે માથાભારે તત્વોએ રૂ. 7 લાખ લીધા
માથાભારે તત્વો વલસાડ પોલીસના હાથે ચઢ્યા બાદ વેપારીઓ વડોદરામાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. શહેરના રાજમહેલ રોડ ઉપર મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થા બંધ માલ લેવાની લાલચ આપી, કરજણ ખાતે દુકાન બતાવવાના નામે લઇ જઇ રસ્તામાં માર મારી રૂપિયા 7 લાખ પડાવનાર ટોળકી સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળકીએ વેપારીને તમારી સોપારી મળી છે તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. નોંધનીય છે કે, ટોળકીએ જાનથી મારી નાંખવાની આપેલી ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ ફરિયાદ કરી ન હતી. પરંતુ, ટોળકી વલસાડ પોલીસના હાથે ઝડપાઇ જતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.
દલારામ જીવાજી ચૌધરી સુલતાન પુરા વિસ્તારમાં એસ.એફ.-203, હરીહર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે. અને રાજમહેલ રોડ ઉપર વ્રજ સિધ્ધી ટાવરમાં એસ.એફ.-25 નંબરની દુકાનમાં ન્યુ રાજેશ્વર નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે. તેઓની સાથે તેમનો ભત્રીજો લક્ષ્મણ ચૌધરી પણ બેસે છે. અને દુકાન ચલાવે છે.
વેપારી દલારામ ચૌધરીએ નવાપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જુન-2021ના છેલ્લા અઠવાડીયામાં તેઓની દુકાનમાં એક વ્યક્તિ ગયો હતો. અને તેણે રાજસ્થાની હોવાનું જણાવ્યું હતું. અને જણાવ્યું હતું કે, મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. તમે સસ્તો માલ આપો તો સારું. તે બાદ અવાર-નવાર રાજસ્થાની શખ્સ તેઓની દુકાનમાં જતો હતો. અને ધંધાકીય વાતચિત કરતો હતો. તેમે રૂપિયા 5 લાખનો ચેક આપીને મોબાઇલનો માલ લેવાની પણ તૈયારી બતાવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ દલારામ ચૌધરી તા.30 જુનના રોજ રાજસ્થાન કોઇ કામ માટે ગયા હતા. તે સમયે તેમનો ભત્રીજો લક્ષ્મમ ચૌધરી દુકાનમાં હતો. તા.6 જુલાઇના રોજ પુનઃ રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવત દુકાનમાં ગયો હતો. અને તેણે ભત્રીજાને રૂપિયા 5 લાખનો ચેક આપ્યો હતો. અને રાજસ્થાની જીતસિંગે દલારામ સાથે ફોન ઉપર વાત કરી હતી. ફોનમાં દલારામને ભેજાબાજ રાજસ્થાનીએ જણાવ્યું કે, તમે મારી સાથે કરજણ આવો અને દુકાન જોયા બાદ મને માલ મોકલી આપજો. આ પ્રમાણે વાત કરતા દલારામે તેના ઉપર વિશ્વાસ મુક્યો હતો.
તા.6 જુલાઇના રોડ રાજસ્થાનથી પરત ફરેલા દલારામ ચૌધરીએ પોતાના ભત્રીજાને બેંકમાં મોકલી જીતસિંગ રાવતે આપેલો ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. તા.7 જુલાઇના રોજ સવારે ભેજાબાજ જીતસિંગ રાવત દુકાનમાં પહોંચી ગયો હતો. અને દલારામ ચૌધરીને પોતાની સાથે કરજણ લઇ જવા માટે તૈયાર કરી જણાવ્યું કે, મારે દુકાનમાં બીજો રૂપિયા 15 લાખનો માલ ભરવાનો છે. જીતસિંગે કરેલી મોટી વાતોથી દલારામે તેના ઉપર વિશ્વાસ મુકી કરજણ જવા માટે તૈયાર થઇ ગયા હતા.
તા.7 જુલાઇ-021ના રોજ વેપારી દલારામ ચૌધરી રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવતને પોતાની કારમાં બેસાડી કરજણ જવા માટે નીકળ્યા હતા. જામ્બુવા બ્રિજ નજીક ભેજાબાજે બીજા તેને ત્રણ સાગરીતોને મિત્રોની ઓળખ આપી બેસાડ્યા હતા. જામ્બુવાથી થોડે દૂર ગયા બાદ જીતસિંગ રાવતે ઉલટી થતી હોવાનું બહાનું કાઢી કાર રોકાવી હતી. કાર રોકતાની સાથે જ તેના ત્રણ સાગરીતો વિકી, વિનોદ અને બાબુએ વેપારી દલારામ ચૌધરીનું મોંઢુ દબાવી પાછળની સીટ ઉપર ખેંચી લીધો હતો. અને કાર આગળ લઇ ગયા હતા.
દરમિયાન રસ્તામાં ટોળકીએ વેપારી દલારામ ચૌધરીને જણાવ્યું કે, તમારી અમોને સોપારી મળી છે. તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી. દલારામે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા તેઓને ઢોર માર માર્યો હતો. તેઓએ મારી નાંખવાની ધમકી આપતા રૂપિયા 7 લાખ તેઓએ જણાવેલ અમદાવાદ ખાતેના આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. અને ગણતરીની મિનીટોમાં જીતસિંગ ઉર્ફ ધવલ રાવત આંગડીયા પેઢીમાંથી રૂપિયા 7 લાખ લઇ આવ્યો હતો. અને મોડી સાંજે વડોદરા-ડભોઇ રોડ ઉપર કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થઇ ગયા હતા.
લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા વેપારી દલારામ ચૌધરીને ટોળકીએ પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેઓેએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ, આ ટોળકીને વલસાડ પોલીસે ઝડપી પાડી હોવાની જાણ થતાં તેઓએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના વેપારીને અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લઇને ખંડણી માંગ્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો
મોબાઇલની દુકાનનો સામાન ખરીદવાના બહાને વેપારીને દુકાનો જોવા લઇ ગયા અને પોત પ્રકાશ્યું
WatchGujarat. શહેરના રાજમહેલ રોડ ઉપર મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થા બંધ માલ લેવાની લાલચ આપી, કરજણ ખાતે દુકાન બતાવવાના નામે લઇ જઇ રસ્તામાં માર મારી રૂપિયા 7 લાખ પડાવનાર ટોળકી સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળકીએ વેપારીને તમારી સોપારી મળી છે તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. નોંધનીય છે કે, ટોળકીએ જાનથી મારી નાંખવાની આપેલી ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ ફરિયાદ કરી ન હતી. પરંતુ, ટોળકી વલસાડ પોલીસના હાથે ઝડપાઇ જતાં વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.
દલારામ જીવાજી ચૌધરી સુલતાન પુરા વિસ્તારમાં એસ.એફ.-203, હરીહર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે. અને રાજમહેલ રોડ ઉપર વ્રજ સિધ્ધી ટાવરમાં એસ.એફ.-25 નંબરની દુકાનમાં ન્યુ રાજેશ્વર નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે. તેઓની સાથે તેમનો ભત્રીજો લક્ષ્મણ ચૌધરી પણ બેસે છે. અને દુકાન ચલાવે છે.
વેપારી દલારામ ચૌધરીએ નવાપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જુન-2021ના છેલ્લા અઠવાડીયામાં તેઓની દુકાનમાં એક વ્યક્તિ ગયો હતો. અને તેણે રાજસ્થાની હોવાનું જણાવ્યું હતું. અને જણાવ્યું હતું કે, મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. તમે સસ્તો માલ આપો તો સારું. તે બાદ અવાર-નવાર રાજસ્થાની શખ્સ તેઓની દુકાનમાં જતો હતો. અને ધંધાકીય વાતચિત કરતો હતો. તેમે રૂપિયા 5 લાખનો ચેક આપીને મોબાઇલનો માલ લેવાની પણ તૈયારી બતાવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ દલારામ ચૌધરી તા.30 જુનના રોજ રાજસ્થાન કોઇ કામ માટે ગયા હતા. તે સમયે તેમનો ભત્રીજો લક્ષ્મમ ચૌધરી દુકાનમાં હતો. તા.6 જુલાઇના રોજ પુનઃ રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવત દુકાનમાં ગયો હતો. અને તેણે ભત્રીજાને રૂપિયા 5 લાખનો ચેક આપ્યો હતો. અને રાજસ્થાની જીતસિંગે દલારામ સાથે ફોન ઉપર વાત કરી હતી. ફોનમાં દલારામને ભેજાબાજ રાજસ્થાનીએ જણાવ્યું કે, તમે મારી સાથે કરજણ આવો અને દુકાન જોયા બાદ મને માલ મોકલી આપજો. આ પ્રમાણે વાત કરતા દલારામે તેના ઉપર વિશ્વાસ મુક્યો હતો.
તા.6 જુલાઇના રોડ રાજસ્થાનથી પરત ફરેલા દલારામ ચૌધરીએ પોતાના ભત્રીજાને બેંકમાં મોકલી જીતસિંગ રાવતે આપેલો ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. તા.7 જુલાઇના રોજ સવારે ભેજાબાજ જીતસિંગ રાવત દુકાનમાં પહોંચી ગયો હતો. અને દલારામ ચૌધરીને પોતાની સાથે કરજણ લઇ જવા માટે તૈયાર કરી જણાવ્યું કે, મારે દુકાનમાં બીજો રૂપિયા 15 લાખનો માલ ભરવાનો છે. જીતસિંગે કરેલી મોટી વાતોથી દલારામે તેના ઉપર વિશ્વાસ મુકી કરજણ જવા માટે તૈયાર થઇ ગયા હતા.
તા.7 જુલાઇ-021ના રોજ વેપારી દલારામ ચૌધરી રાજસ્થાની ભેજાબાજ જીતસિંગ ઉર્ફ ધવલ રાવતને પોતાની કારમાં બેસાડી કરજણ જવા માટે નીકળ્યા હતા. જામ્બુવા બ્રિજ નજીક ભેજાબાજે બીજા તેને ત્રણ સાગરીતોને મિત્રોની ઓળખ આપી બેસાડ્યા હતા. જામ્બુવાથી થોડે દૂર ગયા બાદ જીતસિંગ રાવતે ઉલટી થતી હોવાનું બહાનું કાઢી કાર રોકાવી હતી. કાર રોકતાની સાથે જ તેના ત્રણ સાગરીતો વિકી, વિનોદ અને બાબુએ વેપારી દલારામ ચૌધરીનું મોંઢુ દબાવી પાછળની સીટ ઉપર ખેંચી લીધો હતો. અને કાર આગળ લઇ ગયા હતા.
દરમિયાન રસ્તામાં ટોળકીએ વેપારી દલારામ ચૌધરીને જણાવ્યું કે, તમારી અમોને સોપારી મળી છે. તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી. દલારામે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા તેઓને ઢોર માર માર્યો હતો. તેઓએ મારી નાંખવાની ધમકી આપતા રૂપિયા 7 લાખ તેઓએ જણાવેલ અમદાવાદ ખાતેના આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. અને ગણતરીની મિનીટોમાં જીતસિંગ ઉર્ફ ધવલ રાવત આંગડીયા પેઢીમાંથી રૂપિયા 7 લાખ લઇ આવ્યો હતો. અને મોડી સાંજે વડોદરા-ડભોઇ રોડ ઉપર કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થઇ ગયા હતા.
લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા વેપારી દલારામ ચૌધરીને ટોળકીએ પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેઓેએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ, આ ટોળકીને વલસાડ પોલીસે ઝડપી પાડી હોવાની જાણ થતાં તેઓએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.