ખોડિયારનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી યુવાનની લાશ મળી
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનની હત્યા કરાઇ હોવાનુ સામે આવ્યું
યુવાનના કાનની પાછળના ભાગે ઘાના નિશાન મળ્યાં
WatchGujarat શહેરમાં એક પછી એક હત્યના બનાવો બની રહ્યાં છે. તેવામાં ખોડીયારનગર સ્થિત બ્રહ્માનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ કાફોલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા યુવાનના કાનના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાના નિશાનો જોવા મળ્યાં હતા. યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી શકમંદોની પુછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે, થોડા દિવસો અગાઉ ગોત્રી વિસ્તારમાં માનસિક અસ્વસ્થ જમાતા યુવકે તેની માતાની કરપીણ હત્યા કરી હતી. જ્યારે તે પહેલા આજવા રોડ પર શિક્ષક પતિએ નર્સ પત્નીની હત્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો.
શહેરના ખોડિયારનગર નજીક આવેલા બ્રહ્માનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ પડેલો હોવાની જાણ વહેલી સવારે હરણી પોલીસને થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવાનની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાનુ જણાઇ આવ્યું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ પણ જાણવા મળ્યું હતુ કે, યુવાનના કાનના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયા હોવાના નિશાન મળ્યાં હતા. આ ઉપરાંત યુવાન કલર કામનો વ્યવસાય કરતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે યુવાનની સાથે કામ કરતા અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી
હરણી પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. બીજી બાજુ શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓની પૂછપરછ દરમિયાન હત્યાનું કારણ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહીં. યુવાનની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને કોણે હત્યા કરી છે. તે તપાસ બાદ જાણી શકાશે. હાલ હરણી પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખોડિયારનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી યુવાનની લાશ મળી
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનની હત્યા કરાઇ હોવાનુ સામે આવ્યું
યુવાનના કાનની પાછળના ભાગે ઘાના નિશાન મળ્યાં
WatchGujarat શહેરમાં એક પછી એક હત્યના બનાવો બની રહ્યાં છે. તેવામાં ખોડીયારનગર સ્થિત બ્રહ્માનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ કાફોલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા યુવાનના કાનના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાના નિશાનો જોવા મળ્યાં હતા. યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી શકમંદોની પુછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે, થોડા દિવસો અગાઉ ગોત્રી વિસ્તારમાં માનસિક અસ્વસ્થ જમાતા યુવકે તેની માતાની કરપીણ હત્યા કરી હતી. જ્યારે તે પહેલા આજવા રોડ પર શિક્ષક પતિએ નર્સ પત્નીની હત્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો.
શહેરના ખોડિયારનગર નજીક આવેલા બ્રહ્માનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ પડેલો હોવાની જાણ વહેલી સવારે હરણી પોલીસને થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવાનની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાનુ જણાઇ આવ્યું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ પણ જાણવા મળ્યું હતુ કે, યુવાનના કાનના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયા હોવાના નિશાન મળ્યાં હતા. આ ઉપરાંત યુવાન કલર કામનો વ્યવસાય કરતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે યુવાનની સાથે કામ કરતા અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી
હરણી પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. બીજી બાજુ શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓની પૂછપરછ દરમિયાન હત્યાનું કારણ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહીં. યુવાનની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને કોણે હત્યા કરી છે. તે તપાસ બાદ જાણી શકાશે. હાલ હરણી પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.