Lock down પછીનાં રસીયુગમાં પ્રવેશવાની મંગલ ઘડીનાં સૌને અભિનંદન. શાળાઓ ચાલુ થવાના પડઘમ સંભળાય છે. online યુગમાં શિક્ષણની ફાવડત વિધ્યાર્થી ઓએ વિકસાવી છે. અત્યારે તેઓ શાળાની સામે મ્યુઝિયમ જોતાં હોય એ દ્ધષ્ટિથી જુએ છે. જનતા કરફ્યુ અચાનક લાદવામાં આવ્યો હતો. સમયની માંગ હતી.પણ, હવે રાબેતામુજબની શાળા કોલેજ ચાલુ થવાની વાતે ઘણાં પ્રશ્ર્નો તોળાઇ રહ્યાં છે. સાઇકોલોજીસ્ટો માટે આ એક સંશોધનનો વિષય છે. શાળાઓ શી રીતે ચાલુ કરવી? અઠવાડિયામાં એક દિવસ!પછી બે દિવસ એમ કરતાં કરતાં દિવસો વધારતા જવું કે પછી.. જો આ દરમ્યાનમાં કોઇ કેસ બને તો શાળાઓએ આ બાબતનું કોઈ HOME WORK કર્યું છે ખરું? તમારો Action Plan શું? કારખાનાઓમાં unlockની પ્રક્રિયા બાદ બનેલા cases પછી કુંડાળા temperature gun થી માંડીને Hand sanitiser, mask, social distance જેવી બાબતોની કાળજી એનો ખચૅ વગેરે વગેરે માટેનું બજેટથી માંડીને અનેકવિધ દિનચર્યાનું શું આયોજન. શિક્ષકો, તેડાઘરથી માંડીને adminstration કરવા વાળા સ્ટાફ પણ કોરોના કેરિયર હોઇ શકે!! વિચાર માંગી લે એવી બાબતો છે.
આ બાબતોનો પણ વિચાર કરવો રહ્યો. ઇમ્યુનિટી બુસ્ટર જેવી અસંખ્ય બાબતો તેમજ આ બધું પરિપૂર્ણ કરવા માટે એની પાછળ ખર્ચાયેલ સમય જે દૈનિક બાબત બની રહેશેને પછી રુબરુ શરૂ થયેલાં વર્ગો સંભવિત બનશે કે કેમ? પ્રશ્ર્નો ઘણાં છે ને મા-બાપ આ બધું જોખમ શીદને ઉઠાવે? online class માટે લીધેલા ગેજેટોની ગરજ શું પૂરી થઇ જશે? એની પાછળ થયેલાં ખચૅને કરેલાં એધાણોનું શું? કેટલા ટકા હાજરી જરૂરી? જે મા-બાપો આ બાબતે જોખમ લેવા માંગતા જ નથી એમને વિશ્ર્વાસમાં કેવી રીતે લેશો જેવી અસંખ્ય બાબતો વણ ઉકેલી છે. વેલેન્ટાઇન ડેની લગભગ નજીકમાં કોલેજ ચાલુ કરવી એ વાંદરાને નિસરણી આપવાની વાત નથી? શૈક્ષણિક સંસ્થાઓએ સત્ર શરૂ કર્યા વગર જ ફી લીધે જ રાખી છે ને ઇન્ટરનૅટનાં પૈસા ખર્ચાઓ પણ બેહિસાબ રાખ્યા છે. વાત ગળે ઉતરતી નથી. સર્વે સંતુ નિરામયાનું લેબલ સરસ છે પણ કેટલું કારગર છે?
A+વાતે આજે મંથન કરવાની વાત છે.બધું સરસ થઇ જશે. દિલકો બેવકૂફ બનાને કા ફોર્મ્યુલા અચ્છા હૈ. ગાલિબ યે ખયાલ અચ્છા હૈ!! શું કરવાનું છે એ પણ નથી ખબર અને શું થશે એની પણ ખબર નથી!!
ગયાં વખતના સવાલનો જવાબ
કે.લાલ જાદુગર જૈનજ્ઞાતિનાં હતાં જેમનો જન્મ બગસરામાં થયો હતો કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર હતા, તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭મી જાન્યુઆરી,૧૯૨૪નાં રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.કે. લાલે 61 વર્ષની તેમની કારકિર્દીમાં 22,400 જેટલા મેજિક શૉ યોજીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. કે.લાલના 60 વર્ષીય પુત્ર હસુભાઇ પિતાના માર્ગે આગળ વધ્યા અને તેમની સાથે શૉ કરતા હતા. તેમની ચોથી પેઢી પણ આ ક્ષેત્રમાં આવી છે. ૨૩ સપ્ટેમ્બર -૨૦૧૨ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી.
A+ સવાલ
મૂછાળી મા નું બિરુદ કોને આપવામાં આવ્યું હતું?
આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
Lock down પછીનાં રસીયુગમાં પ્રવેશવાની મંગલ ઘડીનાં સૌને અભિનંદન. શાળાઓ ચાલુ થવાના પડઘમ સંભળાય છે. online યુગમાં શિક્ષણની ફાવડત વિધ્યાર્થી ઓએ વિકસાવી છે. અત્યારે તેઓ શાળાની સામે મ્યુઝિયમ જોતાં હોય એ દ્ધષ્ટિથી જુએ છે. જનતા કરફ્યુ અચાનક લાદવામાં આવ્યો હતો. સમયની માંગ હતી.પણ, હવે રાબેતામુજબની શાળા કોલેજ ચાલુ થવાની વાતે ઘણાં પ્રશ્ર્નો તોળાઇ રહ્યાં છે. સાઇકોલોજીસ્ટો માટે આ એક સંશોધનનો વિષય છે. શાળાઓ શી રીતે ચાલુ કરવી? અઠવાડિયામાં એક દિવસ!પછી બે દિવસ એમ કરતાં કરતાં દિવસો વધારતા જવું કે પછી.. જો આ દરમ્યાનમાં કોઇ કેસ બને તો શાળાઓએ આ બાબતનું કોઈ HOME WORK કર્યું છે ખરું? તમારો Action Plan શું? કારખાનાઓમાં unlockની પ્રક્રિયા બાદ બનેલા cases પછી કુંડાળા temperature gun થી માંડીને Hand sanitiser, mask, social distance જેવી બાબતોની કાળજી એનો ખચૅ વગેરે વગેરે માટેનું બજેટથી માંડીને અનેકવિધ દિનચર્યાનું શું આયોજન. શિક્ષકો, તેડાઘરથી માંડીને adminstration કરવા વાળા સ્ટાફ પણ કોરોના કેરિયર હોઇ શકે!! વિચાર માંગી લે એવી બાબતો છે.
આ બાબતોનો પણ વિચાર કરવો રહ્યો. ઇમ્યુનિટી બુસ્ટર જેવી અસંખ્ય બાબતો તેમજ આ બધું પરિપૂર્ણ કરવા માટે એની પાછળ ખર્ચાયેલ સમય જે દૈનિક બાબત બની રહેશેને પછી રુબરુ શરૂ થયેલાં વર્ગો સંભવિત બનશે કે કેમ? પ્રશ્ર્નો ઘણાં છે ને મા-બાપ આ બધું જોખમ શીદને ઉઠાવે? online class માટે લીધેલા ગેજેટોની ગરજ શું પૂરી થઇ જશે? એની પાછળ થયેલાં ખચૅને કરેલાં એધાણોનું શું? કેટલા ટકા હાજરી જરૂરી? જે મા-બાપો આ બાબતે જોખમ લેવા માંગતા જ નથી એમને વિશ્ર્વાસમાં કેવી રીતે લેશો જેવી અસંખ્ય બાબતો વણ ઉકેલી છે. વેલેન્ટાઇન ડેની લગભગ નજીકમાં કોલેજ ચાલુ કરવી એ વાંદરાને નિસરણી આપવાની વાત નથી? શૈક્ષણિક સંસ્થાઓએ સત્ર શરૂ કર્યા વગર જ ફી લીધે જ રાખી છે ને ઇન્ટરનૅટનાં પૈસા ખર્ચાઓ પણ બેહિસાબ રાખ્યા છે. વાત ગળે ઉતરતી નથી. સર્વે સંતુ નિરામયાનું લેબલ સરસ છે પણ કેટલું કારગર છે?
A+વાતે આજે મંથન કરવાની વાત છે.બધું સરસ થઇ જશે. દિલકો બેવકૂફ બનાને કા ફોર્મ્યુલા અચ્છા હૈ. ગાલિબ યે ખયાલ અચ્છા હૈ!! શું કરવાનું છે એ પણ નથી ખબર અને શું થશે એની પણ ખબર નથી!!
ગયાં વખતના સવાલનો જવાબ
કે.લાલ જાદુગર જૈનજ્ઞાતિનાં હતાં જેમનો જન્મ બગસરામાં થયો હતો કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર હતા, તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭મી જાન્યુઆરી,૧૯૨૪નાં રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.કે. લાલે 61 વર્ષની તેમની કારકિર્દીમાં 22,400 જેટલા મેજિક શૉ યોજીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. કે.લાલના 60 વર્ષીય પુત્ર હસુભાઇ પિતાના માર્ગે આગળ વધ્યા અને તેમની સાથે શૉ કરતા હતા. તેમની ચોથી પેઢી પણ આ ક્ષેત્રમાં આવી છે. ૨૩ સપ્ટેમ્બર -૨૦૧૨ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી.