માસ પ્રમોશનનો નિર્ણય વિધાર્થીઓના ભવિષ્ય માટે નડતર રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી
વિધાર્થીઓના પ્રતિભાનું ફિલ્ટરેશન નિશ્ચિતરૂપે એક મોટો પડકાર
2020 માં રાજ્યમાં ધોરણ 10 નું રિઝલ્ટ 60.64% જ હતું, જે 2019 વર્ષની તુલનાએ 6.33% ઓછું હતું
WatchGujarat. વિદ્યાર્થીઓ એ દરેક દેશ માટે એક ઉન્નત ભવિષ્ય છે. અને કોઈપણ દેશ કોઈપણ કપરા પ્રકારના સંજોગોમાં પણ વિદ્યાર્થીઓની અભ્યાસની સાંકળ તોડી શકે તેમ નથી. જો કોઈ કારણસર જો આ સાંકળ તૂટે તે દેશના જી.ડી.પી પર ખુબ મોટા પ્રમાણમાં નકારત્મક અસર પુરી પાડે છે. આમ વિદ્યાર્થીઓના અભ્યાસનું સાતત્ય તમામ સંજોગોમાં સાચવવું અને જાળવવું એ એક રાષ્ટ્ર કે દેશ માટે અત્યંત જરૂરી છે, અને રાષ્ટ્ર વિકાસ માટે હિતકારી છે.
પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા જે માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે. જે ક્રાંતિકારી નિર્ણય વાલીઓ, વિદ્યાર્થીઓ અને બોર્ડની કામગીરીમાં રોકાયેલ તમામ માટે એક આશીર્વાદ સમાન છે.
જેમ સિક્કા ની બે બાજુ હોય છે, તેમ હવે માસ પ્રમોશનનો નિર્ણય વિધાર્થીઓના ભવિષ્ય માટે નડતર રૂપ ન બને તે પણ હવે એટલું જ જરૂરી છે. કારણકે ભૂતકાળ માં જયારે પણ માસ પ્રમોશન આપવામાં આવેલ હતું, ત્યારે તે સમયના વિધાર્થીઓ અને વાલીઓને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
[caption id="attachment_557947" align="alignnone" width="1280"] સાયબર એક્સપર્ટ અને શિક્ષણવિદ મયુર ભુસાવળકરે ધો . 10 માં માસ પ્રમોશન બાદની સ્થિતીની સમીક્ષા કરી સ્થિતીનો ચિતાર આપવાનો પ્રયાસ કર્યો હતો.[/caption]
ઓનલાઇન વર્ગો અને માસ પ્રમોશનના આધારે સારી પ્રતિભા ધરાવતા અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ
હવે માસ પ્રમોશનનો નિર્ણય લઈ જ લેવામાં આવ્યો છે. હવે, ધોરણ 11, ડિપ્લોમા તેમજ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ચોક્ક્સ પ્રકારની સમસ્યા ઉદ્દભવી શકે છે. ઓનલાઇન વર્ગો અને માસ પ્રમોશનના આધારે સારી પ્રતિભા ધરાવતા અને નબળા અથવા તો મધ્યમ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ છે. અને પરિણામે કોઈ પણ સંસ્થાઓ માટે વિધાર્થીઓના પ્રતિભાનું ફિલ્ટરેશન નિશ્ચિતરૂપે એક મોટો પડકાર રહેશે.
પ્રમોશનને કારણે તમામ વિદ્યાર્થીઓને સમાવવા નવી શાળાઓ, કોલેજો ખોલવી પડશે
2020 માં રાજ્યમાં ધોરણ 10 નું રિઝલ્ટ 60.64% જ હતું. જે 2019 વર્ષની તુલનાએ 6.33% ઓછું હતું. અને એમાં પણ રેગ્યુલર 7.30 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 4.81 લાખ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. હવે ચાલુ વર્ષે પણ જો અંદાજિત 7.50 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન જે આપવામાં આવ્યું છે. તેનાથી આજથી જ સમગ્ર ગુજરાતમાં ધોરણ 11, ડિપ્લોમા તેમજ આઈ.ટી.આઈમાં અંદાજિત 2.50 થી 3 લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું ભારણ વધી જશે. જેનાથી સરકારે કાંતો નવી શાળાઓ, કોલેજો ખોલવી પડશે અથવા તો જે શાળાઓ, કોલેજો છે. તેમાં સીટો વધારવી પડશે.
વડોદરા શહેર – જિલ્લામાં માસ પ્રમોશનને લીધે 17 થી 20 હજાર વિદ્યાર્થીઓનું ભારણ વધી જશે
વડોદરા જીલ્લામાં દર વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 6500 થી 7 હજાર વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં દર વર્ષે 15 થી 17 હજાર વિધાર્થીઓ એડમીશન લેતા હોય છે. વધુમાં દર વર્ષે વડોદરામાંથી 38 થી 40 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપતા હોય છે. તેમાંથી 23 થી 25 હજાર પરીક્ષા માં ઉત્તીર્ણ થતા હોય છે. ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને તેમના આવડત અને જ્ઞાન અનુસાર અલગ અલગ વિદ્યા શાખામાં એડમિશન લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે પ્રાપ્ત થયેલ માસ પ્રમોશનને લીધે માત્ર વડોદરા જિલ્લામાંજ 17 થી 20 હજાર વિદ્યાર્થીઓનું ભારણ વધી જશે. પરિણામે વિદ્યાર્થીઓ ક્યાં સમાવવા એ સૌથી મોટો હવે પડકાર છે.
જાન્યુઆરી 2021 સુધીના એકમ કસોટીના તમામ પેપર યૂ-ટ્યૂબરો દ્વારા એકમ કસોટી પહેલાજ અપલોડ કરવામાં આવ્યા હતા
એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા માસ પ્રમોશન સંદર્ભે જો માર્કશીટ આપવામાં આવશે તો તેમાં શાળાકીય પરીક્ષા ના ગુણ અથવા એકમ કસોટીને આધારે જો માર્કશીટ તૈયાર કરવામાં આવે તો પણ વિધાર્થીઓના પ્રતિભાનું ચોક્ક્સ ફિલ્ટરેશન થઈ શકશે નહીં. કારણકે જાન્યુઆરી 2021 સુધીના એકમ કસોટીના તમામ પેપર યૂ-ટ્યૂબરો દ્વારા એકમ કસોટી પહેલાજ અપલોડ કરવામાં આવ્યા હતા. જેના પર ઍજ્યુકેશન બોર્ડે પણ કાયદકીય પગલાં પણ લીધા હતા. જો સરકાર દ્વારા એડમીશન માટે ચોક્કસ પ્રકારની એસ.ઓ.પી જો જાહેર કરવામાં નહીં આવે, તો એડમીશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટો પડકાર ઝીલવો પડશે.
માસ પ્રમોશનનો નિર્ણય વિધાર્થીઓના ભવિષ્ય માટે નડતર રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી
વિધાર્થીઓના પ્રતિભાનું ફિલ્ટરેશન નિશ્ચિતરૂપે એક મોટો પડકાર
2020 માં રાજ્યમાં ધોરણ 10 નું રિઝલ્ટ 60.64% જ હતું, જે 2019 વર્ષની તુલનાએ 6.33% ઓછું હતું
WatchGujarat. વિદ્યાર્થીઓ એ દરેક દેશ માટે એક ઉન્નત ભવિષ્ય છે. અને કોઈપણ દેશ કોઈપણ કપરા પ્રકારના સંજોગોમાં પણ વિદ્યાર્થીઓની અભ્યાસની સાંકળ તોડી શકે તેમ નથી. જો કોઈ કારણસર જો આ સાંકળ તૂટે તે દેશના જી.ડી.પી પર ખુબ મોટા પ્રમાણમાં નકારત્મક અસર પુરી પાડે છે. આમ વિદ્યાર્થીઓના અભ્યાસનું સાતત્ય તમામ સંજોગોમાં સાચવવું અને જાળવવું એ એક રાષ્ટ્ર કે દેશ માટે અત્યંત જરૂરી છે, અને રાષ્ટ્ર વિકાસ માટે હિતકારી છે.
પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા જે માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે. જે ક્રાંતિકારી નિર્ણય વાલીઓ, વિદ્યાર્થીઓ અને બોર્ડની કામગીરીમાં રોકાયેલ તમામ માટે એક આશીર્વાદ સમાન છે.
જેમ સિક્કા ની બે બાજુ હોય છે, તેમ હવે માસ પ્રમોશનનો નિર્ણય વિધાર્થીઓના ભવિષ્ય માટે નડતર રૂપ ન બને તે પણ હવે એટલું જ જરૂરી છે. કારણકે ભૂતકાળ માં જયારે પણ માસ પ્રમોશન આપવામાં આવેલ હતું, ત્યારે તે સમયના વિધાર્થીઓ અને વાલીઓને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
[caption id="attachment_557947" align="alignnone" width="1280"] સાયબર એક્સપર્ટ અને શિક્ષણવિદ મયુર ભુસાવળકરે ધો . 10 માં માસ પ્રમોશન બાદની સ્થિતીની સમીક્ષા કરી સ્થિતીનો ચિતાર આપવાનો પ્રયાસ કર્યો હતો.[/caption]
ઓનલાઇન વર્ગો અને માસ પ્રમોશનના આધારે સારી પ્રતિભા ધરાવતા અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ
હવે માસ પ્રમોશનનો નિર્ણય લઈ જ લેવામાં આવ્યો છે. હવે, ધોરણ 11, ડિપ્લોમા તેમજ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ચોક્ક્સ પ્રકારની સમસ્યા ઉદ્દભવી શકે છે. ઓનલાઇન વર્ગો અને માસ પ્રમોશનના આધારે સારી પ્રતિભા ધરાવતા અને નબળા અથવા તો મધ્યમ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ છે. અને પરિણામે કોઈ પણ સંસ્થાઓ માટે વિધાર્થીઓના પ્રતિભાનું ફિલ્ટરેશન નિશ્ચિતરૂપે એક મોટો પડકાર રહેશે.
પ્રમોશનને કારણે તમામ વિદ્યાર્થીઓને સમાવવા નવી શાળાઓ, કોલેજો ખોલવી પડશે
2020 માં રાજ્યમાં ધોરણ 10 નું રિઝલ્ટ 60.64% જ હતું. જે 2019 વર્ષની તુલનાએ 6.33% ઓછું હતું. અને એમાં પણ રેગ્યુલર 7.30 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 4.81 લાખ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. હવે ચાલુ વર્ષે પણ જો અંદાજિત 7.50 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન જે આપવામાં આવ્યું છે. તેનાથી આજથી જ સમગ્ર ગુજરાતમાં ધોરણ 11, ડિપ્લોમા તેમજ આઈ.ટી.આઈમાં અંદાજિત 2.50 થી 3 લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું ભારણ વધી જશે. જેનાથી સરકારે કાંતો નવી શાળાઓ, કોલેજો ખોલવી પડશે અથવા તો જે શાળાઓ, કોલેજો છે. તેમાં સીટો વધારવી પડશે.
વડોદરા શહેર – જિલ્લામાં માસ પ્રમોશનને લીધે 17 થી 20 હજાર વિદ્યાર્થીઓનું ભારણ વધી જશે
વડોદરા જીલ્લામાં દર વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 6500 થી 7 હજાર વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં દર વર્ષે 15 થી 17 હજાર વિધાર્થીઓ એડમીશન લેતા હોય છે. વધુમાં દર વર્ષે વડોદરામાંથી 38 થી 40 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપતા હોય છે. તેમાંથી 23 થી 25 હજાર પરીક્ષા માં ઉત્તીર્ણ થતા હોય છે. ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને તેમના આવડત અને જ્ઞાન અનુસાર અલગ અલગ વિદ્યા શાખામાં એડમિશન લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે પ્રાપ્ત થયેલ માસ પ્રમોશનને લીધે માત્ર વડોદરા જિલ્લામાંજ 17 થી 20 હજાર વિદ્યાર્થીઓનું ભારણ વધી જશે. પરિણામે વિદ્યાર્થીઓ ક્યાં સમાવવા એ સૌથી મોટો હવે પડકાર છે.
જાન્યુઆરી 2021 સુધીના એકમ કસોટીના તમામ પેપર યૂ-ટ્યૂબરો દ્વારા એકમ કસોટી પહેલાજ અપલોડ કરવામાં આવ્યા હતા
એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા માસ પ્રમોશન સંદર્ભે જો માર્કશીટ આપવામાં આવશે તો તેમાં શાળાકીય પરીક્ષા ના ગુણ અથવા એકમ કસોટીને આધારે જો માર્કશીટ તૈયાર કરવામાં આવે તો પણ વિધાર્થીઓના પ્રતિભાનું ચોક્ક્સ ફિલ્ટરેશન થઈ શકશે નહીં. કારણકે જાન્યુઆરી 2021 સુધીના એકમ કસોટીના તમામ પેપર યૂ-ટ્યૂબરો દ્વારા એકમ કસોટી પહેલાજ અપલોડ કરવામાં આવ્યા હતા. જેના પર ઍજ્યુકેશન બોર્ડે પણ કાયદકીય પગલાં પણ લીધા હતા. જો સરકાર દ્વારા એડમીશન માટે ચોક્કસ પ્રકારની એસ.ઓ.પી જો જાહેર કરવામાં નહીં આવે, તો એડમીશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટો પડકાર ઝીલવો પડશે.