ગત એપ્રિલ કરતા આ એપ્રિલમાં કોરોના કેસના કોલમાં 642.86% નો વધારો
ગ્રામ્ય કરતા ભરૂચ-અંકલેશ્વર સિટીમાંથી જ આવી રહ્યા છે વધુ કેસ
જિલ્લામાં 16 એમ્બ્યુલન્સ રોજના 90 કોલ જેમાં 30 કોરોનાના
કોરોના પ્રથમ વેવમાં એપ્રિલમાં 70 કોલ મળ્યા હતા, 2021 એપ્રિલના 20 દિવસમાં જ 450 કોરોનાના ફોન
ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટરોમાં સીધા જ જતા દર્દીઓનો આંક 108 ને મળતા કોલ કરતા 2 થી 3 ગણો વધુ
WatchGujarat. કોરોનાની બીજી વેવ સુનામી બનીને રાજ્યભરમાં લોકોને સંક્રમિત કરી રહી છે. ભરૂચ 108 ને પહેલી વેવમાં કોરોનાના આવતા કોલ અને બીજા હાલના વેવમાં આવેલા કોલ પરથી જ અંદાજો લગાવી શકાય છે. ગત વર્ષે કોરોનાની પ્રથમ વેવ દરમિયાન 20 એપ્રિલ સુધીમાં ભરૂચ 108 ને કોવિડ 19 ના 70 કોલ મળ્યા હતા. જેની સામે આ વર્ષે બીજી વેવમાં એપ્રિલના 20 દિવસમાં 450 કોલ મળ્યા છે. એટલે કે એપ્રિલ મહિનામાં જ 108 ને કોરોના માટે દર્દીઓના ફોનમાં ગત વર્ષે મળેલા કોલની સરખામણીએ 642.86 % નો તોતિંગ વધારો થયો છે.
કોરોનાની સુનામીમાં હાલ ભરૂચ 108 ને રોજના 90 કોલ આવે છે જેમાંથી 30 કોલ કોરોનાના હોય છે, એટલે કે દર કલાકે કોરોના માટે 1 કોલ આવી રહ્યો છે. દર્દી જાતે કે તેનો સંબંધી 108 ને કોલ કરી જણાવી રહ્યો છે કે તેમને અત્યંત ગભરામણ થઈ રહી છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જલ્દી એમ્બ્યુલન્સ મોકલો બાકી દર્દીનો જીવ બચાવી શકાય નહીં.
સૌથી વધુ ઓક્સિજન અને વેન્ટીલેટરની બેડની જરૂરિયાત હોવાના ફોન આવે છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના દર્દીના કોલમાં એક પણ દર્દી 50 વર્ષથી નીચેની ઉંમરનો ન હતો. જોકે બદલાયેલા સ્ટ્રેન પ્રમાણે આ વખતે સૌથી વધુ કોલ 50 વર્ષથી નીચેના દર્દીઓના જ આવ્યા છે.
ભરૂચ 108 ના જિલ્લા સુપરવાઈઝર અશોક મિસ્ત્રી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 16 એમ્બ્યુલન્સ 108 ની સેવા માટે કાર્યરત છે. હાલ રોજના 108 ને 90 કોલ આવી રહ્યા છે, જેમાં 30 કોલ કોરોનાના હોય છે. ગત વર્ષે એપ્રિલમાં કોરોનાના 108 ને 70 કોલ મળ્યા હતા. જેની સામે આ વર્ષે એપ્રિલના 20 દિવસમાં 450 કોલ મળ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે એપ્રિલમાં કોરોના કેસની કોલની ટકાવારી 642.86 ટકા વધી છે.
હજી સુધી ભરૂચ 108 એ જિલ્લામાં ગત વર્ષે કોરોનાની એન્ટ્રીથી લઈ અત્યાર સુધીના હાહાકાર વચ્ચે કુલ કેટલા કોલ કોરોનાના મળ્યા તેના આંકડાનો અંદાજો કાઢ્યો નથી. જો કે, 13 મહિનાનો આંક જ 3,000 થી 3,500 ને વટાવી જાય તેમ છે.
આ તો હતી 108 ને કોરોના ના કેસ માટે મળેલા કોલની વાત આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને પોતાના જ કે અન્ય કોઈ વાહનમાં સીધા લઈને જતા લોકોનો આંક તો અનેકગણો છે. કોરોનાની મહામારીની સ્થિતી હજી વકરી શકે તેમ છે. સરકારી તંત્ર દ્વારા કોરોના અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. તેની સામે કોરોના પણ જેટ ગતીએ સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેવા સમયે આપણે જાતે જ માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
ગત એપ્રિલ કરતા આ એપ્રિલમાં કોરોના કેસના કોલમાં 642.86% નો વધારો
ગ્રામ્ય કરતા ભરૂચ-અંકલેશ્વર સિટીમાંથી જ આવી રહ્યા છે વધુ કેસ
જિલ્લામાં 16 એમ્બ્યુલન્સ રોજના 90 કોલ જેમાં 30 કોરોનાના
કોરોના પ્રથમ વેવમાં એપ્રિલમાં 70 કોલ મળ્યા હતા, 2021 એપ્રિલના 20 દિવસમાં જ 450 કોરોનાના ફોન
ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટરોમાં સીધા જ જતા દર્દીઓનો આંક 108 ને મળતા કોલ કરતા 2 થી 3 ગણો વધુ
WatchGujarat. કોરોનાની બીજી વેવ સુનામી બનીને રાજ્યભરમાં લોકોને સંક્રમિત કરી રહી છે. ભરૂચ 108 ને પહેલી વેવમાં કોરોનાના આવતા કોલ અને બીજા હાલના વેવમાં આવેલા કોલ પરથી જ અંદાજો લગાવી શકાય છે. ગત વર્ષે કોરોનાની પ્રથમ વેવ દરમિયાન 20 એપ્રિલ સુધીમાં ભરૂચ 108 ને કોવિડ 19 ના 70 કોલ મળ્યા હતા. જેની સામે આ વર્ષે બીજી વેવમાં એપ્રિલના 20 દિવસમાં 450 કોલ મળ્યા છે. એટલે કે એપ્રિલ મહિનામાં જ 108 ને કોરોના માટે દર્દીઓના ફોનમાં ગત વર્ષે મળેલા કોલની સરખામણીએ 642.86 % નો તોતિંગ વધારો થયો છે.
કોરોનાની સુનામીમાં હાલ ભરૂચ 108 ને રોજના 90 કોલ આવે છે જેમાંથી 30 કોલ કોરોનાના હોય છે, એટલે કે દર કલાકે કોરોના માટે 1 કોલ આવી રહ્યો છે. દર્દી જાતે કે તેનો સંબંધી 108 ને કોલ કરી જણાવી રહ્યો છે કે તેમને અત્યંત ગભરામણ થઈ રહી છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જલ્દી એમ્બ્યુલન્સ મોકલો બાકી દર્દીનો જીવ બચાવી શકાય નહીં.
સૌથી વધુ ઓક્સિજન અને વેન્ટીલેટરની બેડની જરૂરિયાત હોવાના ફોન આવે છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના દર્દીના કોલમાં એક પણ દર્દી 50 વર્ષથી નીચેની ઉંમરનો ન હતો. જોકે બદલાયેલા સ્ટ્રેન પ્રમાણે આ વખતે સૌથી વધુ કોલ 50 વર્ષથી નીચેના દર્દીઓના જ આવ્યા છે.
ભરૂચ 108 ના જિલ્લા સુપરવાઈઝર અશોક મિસ્ત્રી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 16 એમ્બ્યુલન્સ 108 ની સેવા માટે કાર્યરત છે. હાલ રોજના 108 ને 90 કોલ આવી રહ્યા છે, જેમાં 30 કોલ કોરોનાના હોય છે. ગત વર્ષે એપ્રિલમાં કોરોનાના 108 ને 70 કોલ મળ્યા હતા. જેની સામે આ વર્ષે એપ્રિલના 20 દિવસમાં 450 કોલ મળ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે એપ્રિલમાં કોરોના કેસની કોલની ટકાવારી 642.86 ટકા વધી છે.
હજી સુધી ભરૂચ 108 એ જિલ્લામાં ગત વર્ષે કોરોનાની એન્ટ્રીથી લઈ અત્યાર સુધીના હાહાકાર વચ્ચે કુલ કેટલા કોલ કોરોનાના મળ્યા તેના આંકડાનો અંદાજો કાઢ્યો નથી. જો કે, 13 મહિનાનો આંક જ 3,000 થી 3,500 ને વટાવી જાય તેમ છે.
આ તો હતી 108 ને કોરોના ના કેસ માટે મળેલા કોલની વાત આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને પોતાના જ કે અન્ય કોઈ વાહનમાં સીધા લઈને જતા લોકોનો આંક તો અનેકગણો છે. કોરોનાની મહામારીની સ્થિતી હજી વકરી શકે તેમ છે. સરકારી તંત્ર દ્વારા કોરોના અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. તેની સામે કોરોના પણ જેટ ગતીએ સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેવા સમયે આપણે જાતે જ માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.