ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
પરિવારના પાંચ સભ્યોનું મોત, માત્ર પુત્રવધુ હાલ સારવાર હેઠળ
સમગ્ર મામલે 9 જ્યોતિષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
2 જ્યોતિષને પોલીસે રાજસ્થાનથી દબોચ્યા
WatchGujarat. સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારના સભ્યોએ આર્થિક સંકડામણાં આવીને સામુહિક આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 9 જ્યોતિષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકી 2 જ્યોતિષનો સમા પોલીસે બે દિવસ પહેલા પકડી પાડ્યા હતા. આજે બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થીક ભીંસમાં આવી ઝેરી દવા ગટગટાવી જનાર સોની પરિવારના 6 પૈકી પાંચના મોત નિપજ્યાં હતા. પાખંડી જ્યોતિષીઓ વાસ્તુ દોષ દુર કરવાના બહાને જુદી જુદી વિધી બતાવી રૂ. 32 લાખ સોની પરિવાર પાસેથી ખંખેરી લીધા હતા. સામૂહિક આપઘાત મામલે સમા પોલીસે 9 જ્યોતિષો વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનથી બેની દબોચી લેવામાં આવ્યાં હતા. જે પૈકીના એકને અગાઉ મૃત જાહેર કરાયો હતો, તેને પોલીસે જીવતો શોધી કાઢ્યો હતો.
પોલીસે 2 જ્યોતિષની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમના કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓનો વડોદરાની કોર્ટમાં રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા અંતર્ગત તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પૈસાની રીકવરીના પુરાવા એકત્રિત કરવા, તમામ જ્યોતિષ એક બીજા સાથે સંકળાયેલા છે કે નહિ તેની ચકાસણી કરવા, તથા સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ કરવા અને પૈસાની લેતીદેતીના મામલામાં બેંક તપાસ કરવા સહિતના ગ્રાઉન્ડ રજુ કર્યા હતા. તમામ ગ્રાઉન્ડ રજુ કરીને પોલીસે આરોપીઓ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
પરિવારના પાંચ સભ્યોનું મોત, માત્ર પુત્રવધુ હાલ સારવાર હેઠળ
સમગ્ર મામલે 9 જ્યોતિષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
2 જ્યોતિષને પોલીસે રાજસ્થાનથી દબોચ્યા
WatchGujarat. સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારના સભ્યોએ આર્થિક સંકડામણાં આવીને સામુહિક આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 9 જ્યોતિષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકી 2 જ્યોતિષનો સમા પોલીસે બે દિવસ પહેલા પકડી પાડ્યા હતા. આજે બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થીક ભીંસમાં આવી ઝેરી દવા ગટગટાવી જનાર સોની પરિવારના 6 પૈકી પાંચના મોત નિપજ્યાં હતા. પાખંડી જ્યોતિષીઓ વાસ્તુ દોષ દુર કરવાના બહાને જુદી જુદી વિધી બતાવી રૂ. 32 લાખ સોની પરિવાર પાસેથી ખંખેરી લીધા હતા. સામૂહિક આપઘાત મામલે સમા પોલીસે 9 જ્યોતિષો વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનથી બેની દબોચી લેવામાં આવ્યાં હતા. જે પૈકીના એકને અગાઉ મૃત જાહેર કરાયો હતો, તેને પોલીસે જીવતો શોધી કાઢ્યો હતો.
પોલીસે 2 જ્યોતિષની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમના કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓનો વડોદરાની કોર્ટમાં રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા અંતર્ગત તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંનેના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પૈસાની રીકવરીના પુરાવા એકત્રિત કરવા, તમામ જ્યોતિષ એક બીજા સાથે સંકળાયેલા છે કે નહિ તેની ચકાસણી કરવા, તથા સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ કરવા અને પૈસાની લેતીદેતીના મામલામાં બેંક તપાસ કરવા સહિતના ગ્રાઉન્ડ રજુ કર્યા હતા. તમામ ગ્રાઉન્ડ રજુ કરીને પોલીસે આરોપીઓ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.