કૂતરાએ નિયત જગ્યાએ કૂદરતી હાજત જવાના બદલે સ્થાનિકના ઘર પાસે જતા મામલો બિચક્યો
પ્રાણી પર કૃરતાના સમાચાર મળતા ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના વોલંટીસર દોડ્યા
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
WatchGujarat. શહેરના કારેલીબાગ ખાતે આવેલા જલારામનગર- 1 માં એક મકાનની સામે જર્મન શેફર્ડ પ્રજાતીનુ કુતરુ કુદરતી હાઝતે જતા રોષે ભરાયેલા મકાન માલિક કૂતરાના માથામાં લોખંડનો સળિયો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સાથે મકાન માલિકે કૂતરાના માલિકને પણ હાથમાં સળિયો મારી ઇજા પહોચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગ જલારામ નગર - 1 માં રાજેશભાઇનો ભાઇ વહેલી સવારે જર્મન શેફર્ડ જાતીના પાલતું કૂતરાને લઈ બહાર નિકળ્યો હતો. દરમિયાન કૂતરાએ નિયત જગ્યાએ કૂદરતી હાજત જવાના બદલે સ્થાનિક બ્રિજપાલસિંહ ઠાકુરના દરવાજા પાસે ગયો હતો. જેને કારણે તેઓ રોષે ભરાયા હતા. અને ઘરમાંથી લોખંડનો રોડ લઈ આવી કૂતરાના માથામાં બેરહેમી પુર્વક મારી દીધો હતો. લોખંડનો રોડ વાગતા જ કૂતરો લોહી લૂહાણ થઇ ગયો હતો. અને સ્થળ ઉપર ઢળી પડ્યો હતો.
બ્રિજપાલે કૂતરુ લઈને નીકળેલા યુવાનના હાથમાં લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. આ મામલે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. દરમિયાન ઇજાગ્રસ્ત કૂતરાને રાજેશનો ભાઇ સારવાર માટે લઇ ગયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, કુતરાની હાલત ગંભીર છે. અને હાલ સારવાર હેઠળ છે.
રાજેશભાઇએ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરતા વોલંટીયર તાત્કાલીક દોડી આવ્યા હતા. અને કૂતરાના માલિક રાજેશભાઇને લઈ હરણી પોલીસ મથકે પહોંચી કૂતરા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર બ્રિજપાલસિહ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, માલિક અને કૂતરા ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડનાર બ્રિજપાલસિહ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ઝઘડો ચાલે છે. જેની અદાવતમાં બ્રિજપાલસિહે આજે સવારે કૂતરા ઉપર અને તેને લઇને નિકળેલા યુવાન ઉપર હુમલો કર્યો હતો
પ્રાણી પર કૃરતાના સમાચાર મળતા ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના વોલંટીસર દોડ્યા
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
WatchGujarat. શહેરના કારેલીબાગ ખાતે આવેલા જલારામનગર- 1 માં એક મકાનની સામે જર્મન શેફર્ડ પ્રજાતીનુ કુતરુ કુદરતી હાઝતે જતા રોષે ભરાયેલા મકાન માલિક કૂતરાના માથામાં લોખંડનો સળિયો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સાથે મકાન માલિકે કૂતરાના માલિકને પણ હાથમાં સળિયો મારી ઇજા પહોચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગ જલારામ નગર - 1 માં રાજેશભાઇનો ભાઇ વહેલી સવારે જર્મન શેફર્ડ જાતીના પાલતું કૂતરાને લઈ બહાર નિકળ્યો હતો. દરમિયાન કૂતરાએ નિયત જગ્યાએ કૂદરતી હાજત જવાના બદલે સ્થાનિક બ્રિજપાલસિંહ ઠાકુરના દરવાજા પાસે ગયો હતો. જેને કારણે તેઓ રોષે ભરાયા હતા. અને ઘરમાંથી લોખંડનો રોડ લઈ આવી કૂતરાના માથામાં બેરહેમી પુર્વક મારી દીધો હતો. લોખંડનો રોડ વાગતા જ કૂતરો લોહી લૂહાણ થઇ ગયો હતો. અને સ્થળ ઉપર ઢળી પડ્યો હતો.
બ્રિજપાલે કૂતરુ લઈને નીકળેલા યુવાનના હાથમાં લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. આ મામલે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. દરમિયાન ઇજાગ્રસ્ત કૂતરાને રાજેશનો ભાઇ સારવાર માટે લઇ ગયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, કુતરાની હાલત ગંભીર છે. અને હાલ સારવાર હેઠળ છે.
રાજેશભાઇએ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરતા વોલંટીયર તાત્કાલીક દોડી આવ્યા હતા. અને કૂતરાના માલિક રાજેશભાઇને લઈ હરણી પોલીસ મથકે પહોંચી કૂતરા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર બ્રિજપાલસિહ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, માલિક અને કૂતરા ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડનાર બ્રિજપાલસિહ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ઝઘડો ચાલે છે. જેની અદાવતમાં બ્રિજપાલસિહે આજે સવારે કૂતરા ઉપર અને તેને લઇને નિકળેલા યુવાન ઉપર હુમલો કર્યો હતો