22000 હેકટરમાં ફેલાયેલા આલિયાબેટમાં 100 કાચા મકાનોમાં 500 થી વધુ લોકોનો કોરોના હાહાકાર વચ્ચે વગર માસ્કે બિન્દાસ વસવાટ
કોરોના સંક્રમણના 389 દિવસમાં પણ આ સ્થળે 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહિ
ગામના 200 સ્ત્રી, 200 પુરુષો અને 100 બાળકો માસ્ક વગર જ 24 કલાક રહે છે નિશ્ચિંત
કચ્છથી 350 વર્ષ પહેલાં ફકીરાણી જાટ જાતિના લોકો પશુધન સાથે અહીં આવી વસ્યા હતા
આલ ઘાસ ઊગતું હોવાથી બેટનું નામ પડ્યું આલિયાબેટ
હાલમાં જ પંચાયતોની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કેન્દ્ર ફળવતા 230 માંથી 204 મતદારોએ કર્યું હતું મતદાન
મુખ્ય પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા જાટ લોકો પાસે છે 600 ઊંટ, 1000 ભેંસો અને 100 જેટલા ઘેટાં-બકરા
કોરોનાકાળમાં બેટ પર બહાર ની કોઈ વ્યક્તિને પ્રવેશ અપાયો નથી કે અહીંના લોકો દૂધ વેચવા સિવાય વગર કામે બહાર ગયા નથી
Watchgujarat. રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોનાના 1 કદમની પણ દસ્તક થઈ નથી.
ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર આ પંચાયતો ની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો જેઓએ અગાઉ બોટમાં જવું પડતું હતું. આલિયાબેટના લોકોને 74 વર્ષે તો મતાધિકારનો અધિકાર મળ્યો હતો પરંતુ આઝાદીના આટલા વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે, અહીં વિકાસે હજી સુધી પગ નહિ મુકવા સાથે કાતિલ કોરોનાની પણ પગ મુકવાની હિંમત થઈ નથી.
આધુનિક જમાનામાં પણ જટ કોમના લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જટ કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500 થી વધુ છે.
તેમની પાસે 1000 થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો 9 મહિના ખુબજ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.
અહીંના લોકો પાયાની કહી શકાય તેવી તમામ સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી, ગામમાં વીજળી સોલાર પેનલથી ગામલોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જૂજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રિમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખારા થયા છે.
બેટ પર કોરોનાની દસ્તક કેમ નહિ, શુ કહે છે જટ કોમ
સ્થાનિક અગ્રણી મહંમદ જટે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં વિકાસ નહિ હોવા સાથે કોરોના નો પગ પેસરો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી , રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે. ધોરણ 1 થી 8 માટે જેમાં 50 જેટલા બાળકોને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી છે.
શુ બનાવ્યો છે કોરોના માટે નિયમ
બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહિ
બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા દેવી નહિ
દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે એટલે કોઇના સંપર્કમાં ન આવે
સ્નાન કરી સ્વચ્છ અને સેનેતાઈઝ થવું
100 ઘરોના કોઈ પણ કુટુંબના લોકોને બેટ પર માસ્ક પહેરવાની જરૂર પડતી જ નથી
યુવાનોને બહાર જવા કે હોટલો-ખાણી પીણી પર રોક
22000 હેકટરમાં ફેલાયેલા આલિયાબેટમાં 100 કાચા મકાનોમાં 500 થી વધુ લોકોનો કોરોના હાહાકાર વચ્ચે વગર માસ્કે બિન્દાસ વસવાટ
કોરોના સંક્રમણના 389 દિવસમાં પણ આ સ્થળે 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહિ
ગામના 200 સ્ત્રી, 200 પુરુષો અને 100 બાળકો માસ્ક વગર જ 24 કલાક રહે છે નિશ્ચિંત
કચ્છથી 350 વર્ષ પહેલાં ફકીરાણી જાટ જાતિના લોકો પશુધન સાથે અહીં આવી વસ્યા હતા
આલ ઘાસ ઊગતું હોવાથી બેટનું નામ પડ્યું આલિયાબેટ
હાલમાં જ પંચાયતોની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કેન્દ્ર ફળવતા 230 માંથી 204 મતદારોએ કર્યું હતું મતદાન
મુખ્ય પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા જાટ લોકો પાસે છે 600 ઊંટ, 1000 ભેંસો અને 100 જેટલા ઘેટાં-બકરા
કોરોનાકાળમાં બેટ પર બહાર ની કોઈ વ્યક્તિને પ્રવેશ અપાયો નથી કે અહીંના લોકો દૂધ વેચવા સિવાય વગર કામે બહાર ગયા નથી
Watchgujarat. રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોનાના 1 કદમની પણ દસ્તક થઈ નથી.
ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર આ પંચાયતો ની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો જેઓએ અગાઉ બોટમાં જવું પડતું હતું. આલિયાબેટના લોકોને 74 વર્ષે તો મતાધિકારનો અધિકાર મળ્યો હતો પરંતુ આઝાદીના આટલા વર્ષોમાં તેઓ વિકાસથી હજી પણ વંચિત છે, અહીં વિકાસે હજી સુધી પગ નહિ મુકવા સાથે કાતિલ કોરોનાની પણ પગ મુકવાની હિંમત થઈ નથી.
આધુનિક જમાનામાં પણ જટ કોમના લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જટ કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500 થી વધુ છે.
તેમની પાસે 1000 થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો 9 મહિના ખુબજ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.
અહીંના લોકો પાયાની કહી શકાય તેવી તમામ સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી, ગામમાં વીજળી સોલાર પેનલથી ગામલોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જૂજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રિમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખારા થયા છે.
બેટ પર કોરોનાની દસ્તક કેમ નહિ, શુ કહે છે જટ કોમ
સ્થાનિક અગ્રણી મહંમદ જટે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં વિકાસ નહિ હોવા સાથે કોરોના નો પગ પેસરો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી , રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે. ધોરણ 1 થી 8 માટે જેમાં 50 જેટલા બાળકોને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી છે.
શુ બનાવ્યો છે કોરોના માટે નિયમ
બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહિ
બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા દેવી નહિ
દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે એટલે કોઇના સંપર્કમાં ન આવે
સ્નાન કરી સ્વચ્છ અને સેનેતાઈઝ થવું
100 ઘરોના કોઈ પણ કુટુંબના લોકોને બેટ પર માસ્ક પહેરવાની જરૂર પડતી જ નથી