સામાજિક કાર્યકરેબાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી
જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી
આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો
Watchgujarat. કમરતોડ મોઘવારીનો સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વૈષ ધારણ કરી સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
https://youtu.be/QCUd0MzpfAM
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી હતી. અત્રે નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં સતત વધારો ઝીંકાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે. ત્યારે જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.
વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે. પરંતુ ભારતની કેન્દ્ર સરકાર સરકારી તિજોરીમાં આવક ઊભી કરવા માટે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં સતત વધારો ઝીંકાતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.
આ પરિસ્થિતિનો આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કપરી બની છે . કોરોનાકાળમાં વેપાર-ધંધા ખોરવાતા નાગરિકો લાચાર બન્યા છે. પડતા પર પાટું સમાન રાંધણગેસના બોટલના ભાવ પણ ચિંતાજનક વધ્યા છે. હાલ રાંધણ ગેસનો બોટલ રૂપિયા 850સુધી પહોંચી ગયો છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના બોટલના ભાવમાં હજુ ઘટાડો નોંધાયો નથી. તો બીજી તરફ કપાસિયા તેમજ સીંગતેલના ભાવ પણ બમણા થઈ ગયા છે.
અગાઉ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે સતા પર આવીશું તો પેટ્રોલ ડીઝલ 40 રૂપિયે લીટર તેમજ રાંધણ ગેસ 400 રૂપિયામાં આપીશું. ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવની વેશભૂષામાં પોસ્ટર, તેલનો ડબ્બો અને રાંધણ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાયકલ યાત્રા ગાંધીનગર ગૃહ થી ભગતસિંહ ચોક થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જાગૃત નાગરિક અતુલ ગામેચીએ નવતર અભિગમ સાથે વિરોધ દર્શાવી પેટ્રોલ-ડિઝલ-રાંધણ ગેસ- કપાસિયા તેલ - સીંગતેલ તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ ડીઝલ ના વેટ અને સેસમાં રાહત આપવા જિલ્લા કલેકટર મારફતે પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
સામાજિક કાર્યકરેબાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી
જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી
આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો
Watchgujarat. કમરતોડ મોઘવારીનો સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વૈષ ધારણ કરી સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી હતી. અત્રે નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં સતત વધારો ઝીંકાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે. ત્યારે જાગૃત નાગરિકે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.
વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે. પરંતુ ભારતની કેન્દ્ર સરકાર સરકારી તિજોરીમાં આવક ઊભી કરવા માટે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં સતત વધારો ઝીંકાતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.
આ પરિસ્થિતિનો આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કપરી બની છે . કોરોનાકાળમાં વેપાર-ધંધા ખોરવાતા નાગરિકો લાચાર બન્યા છે. પડતા પર પાટું સમાન રાંધણગેસના બોટલના ભાવ પણ ચિંતાજનક વધ્યા છે. હાલ રાંધણ ગેસનો બોટલ રૂપિયા 850સુધી પહોંચી ગયો છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના બોટલના ભાવમાં હજુ ઘટાડો નોંધાયો નથી. તો બીજી તરફ કપાસિયા તેમજ સીંગતેલના ભાવ પણ બમણા થઈ ગયા છે.
અગાઉ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે સતા પર આવીશું તો પેટ્રોલ ડીઝલ 40 રૂપિયે લીટર તેમજ રાંધણ ગેસ 400 રૂપિયામાં આપીશું. ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવની વેશભૂષામાં પોસ્ટર, તેલનો ડબ્બો અને રાંધણ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાયકલ યાત્રા ગાંધીનગર ગૃહ થી ભગતસિંહ ચોક થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જાગૃત નાગરિક અતુલ ગામેચીએ નવતર અભિગમ સાથે વિરોધ દર્શાવી પેટ્રોલ-ડિઝલ-રાંધણ ગેસ- કપાસિયા તેલ - સીંગતેલ તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ ડીઝલ ના વેટ અને સેસમાં રાહત આપવા જિલ્લા કલેકટર મારફતે પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.