ખાતેદારની બચતને બેન્ક સત્તાધીશો ના બચાવી શક્યા, તો જવાબદાર કોણ?
ખાતેદાર રેહાનાબહેન કુતુબુદ્દીન ડેસરવાલાએ વળતરની માગ કરી
બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચના લોકરમાં મુકવામાં આવેલા નાણાં ઉધઇ ખાઇ ગઇ
WatchGujarat. બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચના સત્તાધીશો લોકરમાં રહેલાં ખાતેદારના નાણાંની સુરક્ષા ના કરી શક્યા, જેને પગલે ઉધઈઓને રૂ. 2.20 લાખની રોકડી મીજબાણી કરવા મળી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાતેદારે બેન્ક મેનેજરને અરજી કરી વળતરની માગણી કરી છે.
https://youtu.be/FVDHIu4aLc4
રેહાનાબહેન કુતુબુદ્દીન ડેસરવાલા બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચમાં 252 નંબરનું લોકર ધરાવે છે. તેમણે પોતાની બચતના રોકડા નાણાં લોકરમાં મુક્યા હતાં. જોકે, લોકર રૂમમાં ઉધઈ લાગી જવા છતાં બેન્ક સત્તાવાળાઓ દ્વારા એ તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવતાં, ઉધઈ રેહાનાબહેનના લોકર સુધી પહોંચી ગઈ હતી. અને તેમના લોકરમાં પડેલાં રોકડા રૂપિયા 2.20 લાખને ઉધઈઓએ કોતરી ખાધી હતી.
ઘરમાં નાણાંની સલામતી ના હોવાથી બેન્કના લોકરમાં સુરક્ષા મળશે તેવી રેહાનાબહેનની આશા ઠગારી નિવડી હતી. ઉધઈ દ્વારા ખાઈ જવાયેલી ચલણી નોટો લોકરમાં જોઈને ચોંકી ઉઠેલાં રેહાનાબહેને આ અંગે બેન્ક મેનેજરને લેખિત અરજી કરીને વળતરની માંગ કરી હતી.
એકંદરે, બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાંચના લોકરમાં મુકાયેલાં ખાતેદારના નાણાંની પુરતી કાળજી લેવામાં આવી ના હોવાનું સપાટી પર આવ્યું છે. જે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બેન્કમાં લોકર ધરાવતાં અન્ય ખાતેદારોમાં પણ દોડધામ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
ખાતેદારની બચતને બેન્ક સત્તાધીશો ના બચાવી શક્યા, તો જવાબદાર કોણ?
ખાતેદાર રેહાનાબહેન કુતુબુદ્દીન ડેસરવાલાએ વળતરની માગ કરી
બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચના લોકરમાં મુકવામાં આવેલા નાણાં ઉધઇ ખાઇ ગઇ
WatchGujarat. બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચના સત્તાધીશો લોકરમાં રહેલાં ખાતેદારના નાણાંની સુરક્ષા ના કરી શક્યા, જેને પગલે ઉધઈઓને રૂ. 2.20 લાખની રોકડી મીજબાણી કરવા મળી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાતેદારે બેન્ક મેનેજરને અરજી કરી વળતરની માગણી કરી છે.
રેહાનાબહેન કુતુબુદ્દીન ડેસરવાલા બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાન્ચમાં 252 નંબરનું લોકર ધરાવે છે. તેમણે પોતાની બચતના રોકડા નાણાં લોકરમાં મુક્યા હતાં. જોકે, લોકર રૂમમાં ઉધઈ લાગી જવા છતાં બેન્ક સત્તાવાળાઓ દ્વારા એ તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવતાં, ઉધઈ રેહાનાબહેનના લોકર સુધી પહોંચી ગઈ હતી. અને તેમના લોકરમાં પડેલાં રોકડા રૂપિયા 2.20 લાખને ઉધઈઓએ કોતરી ખાધી હતી.
ઘરમાં નાણાંની સલામતી ના હોવાથી બેન્કના લોકરમાં સુરક્ષા મળશે તેવી રેહાનાબહેનની આશા ઠગારી નિવડી હતી. ઉધઈ દ્વારા ખાઈ જવાયેલી ચલણી નોટો લોકરમાં જોઈને ચોંકી ઉઠેલાં રેહાનાબહેને આ અંગે બેન્ક મેનેજરને લેખિત અરજી કરીને વળતરની માંગ કરી હતી.
એકંદરે, બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર બ્રાંચના લોકરમાં મુકાયેલાં ખાતેદારના નાણાંની પુરતી કાળજી લેવામાં આવી ના હોવાનું સપાટી પર આવ્યું છે. જે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બેન્કમાં લોકર ધરાવતાં અન્ય ખાતેદારોમાં પણ દોડધામ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.