માનવ અને પશુઓ વચ્ચે અંતર ઘટાડવા માટે સેલીબ્રીટી મોટા પ્રોગ્રામમાં પશુ-પક્ષીઓ સાથે પહોંચે છે.
પીએમ મોદીએ ભારતીય બ્રીડના કુતરાનું પાલન કરવા માટે અને તેમની બ્રીડને પ્રોત્સાહન આપવાની વાતનો મનકી બાત પ્રોગ્રામમાં ઉલ્લેખ કર્યો
વડોદરાની સેલીબ્રીટી ભર્ગસેતુ શર્મા પ્રાણીઓની સેવા કરવા માટે હ્યુમન્સ વિથ હ્યુમાનીટી ફાઉન્ડેશન ચલાવે છે, જે દેશભરમાં કાર્યરત છે
તાજેતરમાં ઔરંગાબાદ ખાતે યોજાયેલી ટેડએક્સ ટોકમાં ઇતિહાસ રચાયો
પાર્થ બી. પંડ્યા. સામાન્ય રીતે પાળતુ પશુઓ (ખાસ કરીને કુતરા) અને માનવ સાથે મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પરંતુ કેટલીક વખત પશુઓએ માનવીના આક્રોશનો ભોગ બનવું પડ્યું હોય તેવા અનેક ઘટનાઓ આપણી સામે આવી ચુકી છે. માનવ અને પશુ વચ્ચેનો સંબંધ વધુ મજબુત કરવા માટે વડોદરાની સેલીબ્રીટીએ ઇતિહાસ સર્જ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય બ્રીડના કુતરાનું પાલન કરવા માટે અને તેમની બ્રીડને પ્રોત્સાહન આપવાની વાતનો મનકી બાત પ્રોગ્રામમાં ઉલ્લેખ કર્યો હતો. જો કે, દેશવાસીઓની હકીકત કંઇ એવી છે કે, આપણે વિદેશી બ્રિડના પાળતું કુતરાઓને ઘરે લાવીને તેની સારી રીતે સારસંભાળ રાખીએ છીએ. જ્યારે રસ્તા પર રખડતા કુતરાઓથી નફરત કરીએ છે. એટલું જ નહિ રખડતા કુતરાઓને આવેશમાં આવીને અથવા તો મજા લેવા ખાતર હેરાન પણ કરીએ છીએ અને પથ્થર પણ મારી દેતા અચકાતા નથી.
લોકપ્રિય રીયાલીટી શોમાં રીયલ હીરોઝમાં ઝળકેલી ભર્ગસેતુ શર્માં યુવાનોમાં ખાસી લોકપ્રિયતા ધરાવે છે. અને તેઓ હ્યુમન્સ વિથ હ્યુમાનીટી (HUMANS WITH HUMANITY) નામનું એનજીઓ ચલાવે છે. એનજીઓ પશુઓની સારવાર તથા જીવન ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કામગીરી કરે છે. તાજેતરમાં ભર્ગસેતું શર્મા બેંગ્લોર ખાતે યોજાયેલા દુનિયામાં પ્રતિષ્ઠીત ટેડટોક (TED Talks) ના બેનર હેઠળ યોજાયેલી ટેડએક્સ ટોક (TEDx Talks) આપવા માટે ગયા હતા. ટેડએક્સ ટોક (TEDx Talks) માં યુવાનો સમક્ષ પોતાની વાત રજુ કરવા માટે સ્ટેજ પર જવા પહોંચ્યા ત્યારે તેઓ એકલા ન હતા. પરંતુ તેમની સાથે પાલતું કુતરો પણ હતો. આમ, વડોદરાની અને દેશમાં જાણીતી ભર્ગસેતું શર્માએ માનવ અને પશુ વચ્ચેનો સંબંધ મજબુત કરવા માટેનો એક અનોખો પ્રયાસ કરીને ઇતિહાસ રચી દીધો છે.
સમગ્ર મામલે watchgujarat.com સાથે વાત કરતા ભર્ગસેતુ શર્માએ જણાવ્યું હતું કે, આપણે પાલતું કુતરાઓ જોડે ખરાબ વર્તન કરીએ છીએ. તેમના રડવા સાથે શુભ-અશુભને સાંકળી દઇને કુતરાને ધુત્કારીએ છીએ.પરંતુ તાજેતરમાં યોજાયેલા ટેડ ટોકના ઔરંગાબાદ ખાતે યોજાયેલા ટેડેક્સ ટોકમાં મારી સાથે પાળતુ કુતરૂ (Street Dog) લઇને ગઇ હતી. આખીય ટોક દરમિયાન મારૂ પાળતુ કુતરૂ મારી સાથે હતું. જેને લઇને અનેક શ્રોતાઓમાં પ્રશ્ન હતા. જેના મેં મારો કાર્યક્રમ પતી ગયા બાદ જવાબ આપ્યા હતા. સંભવિત રીતે પાળતુ કુતરાઓને લઇને મહત્વની ટોક આપવી દુનિયામાં પ્રથમ વખત થયું છે. અને તેની પાછળનો ઉદ્દેશ્ય લોકોને પાળતુ કુતરા સાથે જોડવાનો હતો.
હું વધારે લોકોને અપીલ કરૂ છું કે, પાળતુ કુતરાને ધુત્કારવું જોઇએ નહિ. પરંતુ તેઓની સાથે શાંતિપુર્ણ વ્યવહાર કરવો જોઇએ. કુતરાઓ સાથે કોઇ શુભ-અશુભ જોડી તેની સાથે વર્તન કરવાની જગ્યાએ તેમને એક જીવ તરીકે જોવા જોઇએ અને તેવી જ રીતે તેમની સાથે વ્યવહાર કરવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સેલીબ્રીટી તેમની સાથે પાલતું પશુ અથવા પક્ષીઓ લઇને ઇવેન્ટમાં જતા હોય છે. અને તેની પાછળનું કારણ લોકોમાં પશુ – પક્ષીઓ અને માનવીઓ વચ્ચેનું અંતર ઘડાટવાનું હોય છે. ભર્ગસેતુ શર્માએ પણ આવું જ કંઇક કરીને પશુઓ પ્રત્યેની સંવેદવા જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો.
માનવ અને પશુઓ વચ્ચે અંતર ઘટાડવા માટે સેલીબ્રીટી મોટા પ્રોગ્રામમાં પશુ-પક્ષીઓ સાથે પહોંચે છે.
પીએમ મોદીએ ભારતીય બ્રીડના કુતરાનું પાલન કરવા માટે અને તેમની બ્રીડને પ્રોત્સાહન આપવાની વાતનો મનકી બાત પ્રોગ્રામમાં ઉલ્લેખ કર્યો
વડોદરાની સેલીબ્રીટી ભર્ગસેતુ શર્મા પ્રાણીઓની સેવા કરવા માટે હ્યુમન્સ વિથ હ્યુમાનીટી ફાઉન્ડેશન ચલાવે છે, જે દેશભરમાં કાર્યરત છે
તાજેતરમાં ઔરંગાબાદ ખાતે યોજાયેલી ટેડએક્સ ટોકમાં ઇતિહાસ રચાયો
પાર્થ બી. પંડ્યા. સામાન્ય રીતે પાળતુ પશુઓ (ખાસ કરીને કુતરા) અને માનવ સાથે મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પરંતુ કેટલીક વખત પશુઓએ માનવીના આક્રોશનો ભોગ બનવું પડ્યું હોય તેવા અનેક ઘટનાઓ આપણી સામે આવી ચુકી છે. માનવ અને પશુ વચ્ચેનો સંબંધ વધુ મજબુત કરવા માટે વડોદરાની સેલીબ્રીટીએ ઇતિહાસ સર્જ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય બ્રીડના કુતરાનું પાલન કરવા માટે અને તેમની બ્રીડને પ્રોત્સાહન આપવાની વાતનો મનકી બાત પ્રોગ્રામમાં ઉલ્લેખ કર્યો હતો. જો કે, દેશવાસીઓની હકીકત કંઇ એવી છે કે, આપણે વિદેશી બ્રિડના પાળતું કુતરાઓને ઘરે લાવીને તેની સારી રીતે સારસંભાળ રાખીએ છીએ. જ્યારે રસ્તા પર રખડતા કુતરાઓથી નફરત કરીએ છે. એટલું જ નહિ રખડતા કુતરાઓને આવેશમાં આવીને અથવા તો મજા લેવા ખાતર હેરાન પણ કરીએ છીએ અને પથ્થર પણ મારી દેતા અચકાતા નથી.
લોકપ્રિય રીયાલીટી શોમાં રીયલ હીરોઝમાં ઝળકેલી ભર્ગસેતુ શર્માં યુવાનોમાં ખાસી લોકપ્રિયતા ધરાવે છે. અને તેઓ હ્યુમન્સ વિથ હ્યુમાનીટી (HUMANS WITH HUMANITY) નામનું એનજીઓ ચલાવે છે. એનજીઓ પશુઓની સારવાર તથા જીવન ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કામગીરી કરે છે. તાજેતરમાં ભર્ગસેતું શર્મા બેંગ્લોર ખાતે યોજાયેલા દુનિયામાં પ્રતિષ્ઠીત ટેડટોક (TED Talks) ના બેનર હેઠળ યોજાયેલી ટેડએક્સ ટોક (TEDx Talks) આપવા માટે ગયા હતા. ટેડએક્સ ટોક (TEDx Talks) માં યુવાનો સમક્ષ પોતાની વાત રજુ કરવા માટે સ્ટેજ પર જવા પહોંચ્યા ત્યારે તેઓ એકલા ન હતા. પરંતુ તેમની સાથે પાલતું કુતરો પણ હતો. આમ, વડોદરાની અને દેશમાં જાણીતી ભર્ગસેતું શર્માએ માનવ અને પશુ વચ્ચેનો સંબંધ મજબુત કરવા માટેનો એક અનોખો પ્રયાસ કરીને ઇતિહાસ રચી દીધો છે.
સમગ્ર મામલે watchgujarat.com સાથે વાત કરતા ભર્ગસેતુ શર્માએ જણાવ્યું હતું કે, આપણે પાલતું કુતરાઓ જોડે ખરાબ વર્તન કરીએ છીએ. તેમના રડવા સાથે શુભ-અશુભને સાંકળી દઇને કુતરાને ધુત્કારીએ છીએ.પરંતુ તાજેતરમાં યોજાયેલા ટેડ ટોકના ઔરંગાબાદ ખાતે યોજાયેલા ટેડેક્સ ટોકમાં મારી સાથે પાળતુ કુતરૂ (Street Dog) લઇને ગઇ હતી. આખીય ટોક દરમિયાન મારૂ પાળતુ કુતરૂ મારી સાથે હતું. જેને લઇને અનેક શ્રોતાઓમાં પ્રશ્ન હતા. જેના મેં મારો કાર્યક્રમ પતી ગયા બાદ જવાબ આપ્યા હતા. સંભવિત રીતે પાળતુ કુતરાઓને લઇને મહત્વની ટોક આપવી દુનિયામાં પ્રથમ વખત થયું છે. અને તેની પાછળનો ઉદ્દેશ્ય લોકોને પાળતુ કુતરા સાથે જોડવાનો હતો.
હું વધારે લોકોને અપીલ કરૂ છું કે, પાળતુ કુતરાને ધુત્કારવું જોઇએ નહિ. પરંતુ તેઓની સાથે શાંતિપુર્ણ વ્યવહાર કરવો જોઇએ. કુતરાઓ સાથે કોઇ શુભ-અશુભ જોડી તેની સાથે વર્તન કરવાની જગ્યાએ તેમને એક જીવ તરીકે જોવા જોઇએ અને તેવી જ રીતે તેમની સાથે વ્યવહાર કરવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સેલીબ્રીટી તેમની સાથે પાલતું પશુ અથવા પક્ષીઓ લઇને ઇવેન્ટમાં જતા હોય છે. અને તેની પાછળનું કારણ લોકોમાં પશુ – પક્ષીઓ અને માનવીઓ વચ્ચેનું અંતર ઘડાટવાનું હોય છે. ભર્ગસેતુ શર્માએ પણ આવું જ કંઇક કરીને પશુઓ પ્રત્યેની સંવેદવા જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો.