16 મે 1881માં કાર્યરત થયેલો સુવર્ણબ્રિજ આજે પણ અડીખમ, જ્યારે સરદાર બ્રિજ 16 વર્ષમાં જ ખખડી ગયો
ભરૂચ-અંકલેશ્વરની લાઈફ લાઈન ગોલ્ડનબ્રિજ વર્ષ 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે દેશને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ
બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું
ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરાયું
1860 માં સૌપ્રથમ નર્મદા બ્રિજ રેલવે માટે બ્રિટિશરોએ નિર્માણ કર્યો હતો
નર્મદા બ્રિજના સોનાનો પુલ નામ પાછળ તેને મરાયેલું સોનાનું તાળું અને તેની પાછળ સદી પેહલા જે તે સમયે થયેલો સોના જેટલો અધધ ખર્ચ
140 વર્ષથી 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો 1.3 કિમી લાંબો ઐતિહાસિક બ્રિજ
એવું કહેવાતું જેને સાંકડા ગોલ્ડનબ્રિજમાંથી ગાડી કાઢી લીધી તે બધે જ ચલાવી શકે
WatchGujarat. ભરૂચની ઓળખ અને અંગ્રેજોની દેન ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ (સોનાનો પુલ) આજે 141 વર્ષમાં પ્રવેશી ચુક્યો છે. 16 મે 1881 માં બ્રિજ તૈયાર થતા વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. 140 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે આગામી વર્ષોમાં પણ ધમધમતો રહેશે.
બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું. ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16 મે 1881 નાં રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ 1940 માં સિલ્વર જયુબલિ રેલવે બ્રિજનું નિર્માણ કરાતા ગોલ્ડનબ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજનાં નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદાબ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.
ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ ₹400 કરોડના ખર્ચે હાલ નિર્માણધીન થઇ ગયો છે. નવા ફોર લેન બ્રિજના કાર્યરત થયા બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ લાઇટ વાહનો માટે કાર્યરત રહેશે. નવા બ્રિજ બાદ ગોલ્ડનબ્રિજ ઉપરનું ભારણ ઘટતા તે આગામી વર્ષો સુધી વાહનો માટે ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, એક સમયે બ્રિજમાં વપરાયોલા મૂલ્યવાન લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. આજે 16 મે ગોલ્ડનબ્રીજ 141 માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે.
વર્ષ 2012માં 18 હજાર નટ બોલ્ટ અને 42 ગર્ડર બદલાયા
સવા કિમિ લાંબા ગોલ્ડનબ્રિજને તે સમયે અંગ્રેજોએ તેમની કૌશલ્યતા અને ઇજનેરી કુશળતા વાપરી માત્ર રીવેટ જોઇન્ટ ઉપર જ બનાવ્યો હતો. વર્ષ 2012 માં થયેલા સમારકામમાં કટાઇ ગયેલાં રીવેટોને કાઢી નાંખી માર્ગ અને મકાન વિભાગ દ્રારા 18 હજાર નટ બોલ્ટ લગાવી બ્રિજને વધુ મજબૂતી પ્રદાન કરાતા આયુષ્ય 20 વર્ષ વધી ગયું હતું. નીચેથી તૂટીને નદીમાં પડેલા કે જર્જરીત સ્થિતિમાં રહેલા 42 ગર્ડરોને પણ બદલાયાં હતા.
132 વર્ષે પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો હતો
વર્ષ 2012 માં ગોલ્ડનબ્રિજના રંગકામમાં ત્રિપલ કોટિંગ કરાયું હતું. ૨પ ગાળાનાં બ્રિજને ગોલ્ડન કલરથી રંગવા પાછળ એક ગાળામાં 650 લીટરથી વધુ રંગ વપરાયો હતો. ૨પ ગાળાને રંગવા પાછળ અડધા લાખ લીટરથી વધુનાં રંગનો વપરાશ થયો હતો. તત્કાિલન કલેકટર રૂપવંતસીંઘે વિશેષ આગ્રહ રાખતા 132 વર્ષમાં બ્રિજ પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો હતો.
ઐતિહાસિક બ્રિજને ભૂકંપ અને પૂરથી પુલને વારંવાર નુકસાન
- 1863 ની ભયંકર રેલમાં પુલનાં 6 ગાળા તણાયાં
- 1868 ની રેલમાં ફરી 4 ગાળાને નુકસાન
- 1876 ની રેલમાં પુલનો ગાળો તૂટી પડતા પારસી ઇજનેરનું મોત
- 1876 માં જ બીજી રેલમાં થાંભલા તણાતા પુલ નકામો બન્યો
- 2001 નાં ધરતીકંપમાં પુલનાં માર્ગ ઉપર તિરાડો પડી
અત્યાર સુધીમાં ગિલ્ડનબ્રિજ પાછળ ખર્ચ
- રૂ. 46.93 લાખ 1860 થી 1871 સુધી ખર્ચ
- રૂ. 1.50 લાખનાં ખર્ચે વર્ષ 1876 માં લક્કડીયો પુલ
- રૂ. 3.07 કરોડનાં ખર્ચે 1881 માં હાલનો ગોલ્ડનબ્રિજ
- રૂ. 30 લાખ ખર્ચ મરામત પાછળ વર્ષ 2001-2002
- રૂ. 66.61 લાખનાં ખર્ચે વર્ષ 2005-06 માં રંગરોગાન
- રૂ. 2.36 કરોડનો ખર્ચ વર્ષ 2012 માં
સૌપ્રથમ 1941 માં બ્રિજ ઉપર ટ્રેનની જગ્યાએ વાહનો દોડાવાયાં
નર્મદા નદી ઉપર સૌપ્રથમ બ્રિજનું બાંધકામ 1860 માં થયું હતું. 67 ગાળાનાં પુલની ઊંચાઇ 62.6 ફૂટ હતી. બ્રિજ રેલવે માટે બનાવાયો હતો. 1935 માં ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો પુલ બનાવાયો જેનું નામ સિલ્વર જયુબિલી બ્રિજ અપાયું. જે બાદ સિલ્વર બ્રિજ ઉપરથી ટ્રેન સેવા કાર્યરત થતા 1941 થી ગોલ્ડનબ્રિજ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાયો. 1947 માં આઝાદી બાદ ગોલ્ડનબ્રિજને ને.હા. નં 8 સાથે જોડી આસ્ફાલ્ટનો બનાવાયો.
દેશમાં સૌપ્રથમ ટોલટેક્ષ ગોલ્ડનબ્રિજ ઉપર નખાયો હતો
બ્રિજનાં સમારકામ અને જાળવણી માટે 1941-42 માં ગોલ્ડનબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવાતો હતો. સ્વરાજય મળ્યાં બાદ ટોલટેક્ષ નાબૂદ કરાયો હતો. ગોલ્ડનબ્રિજની બન્ને છેડે મોટા ખાડા બનાવી વજનકાંટા મૂકાયા હતા. વજન થયા પછી જ બ્રિજ ઉપરથી વાહનો પસાર થવા દેવાતા હતા. 1977 માં જુનો અને 2000 માં નવો સરદારબ્રિજ અસ્તિત્વમાં આવ્યો, 2017 માં કેબલબ્રિજ, હવે 2021-22 માં નર્મદા મૈયા બ્રિજ 6 વર્ષ બાદ કાર્યરત થશે.
1970 માં નવા બ્રિજની જરૂરિયાત ઉભી થતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં હસ્તે 24 એપ્રિલ 1977 માં 1350 મીટર લંબાઇનાં રૂ. 120 કરોડનાં ખર્ચે બનેલા સરદાર બ્રિજનું ઉદઘાટન કરાયું હતું. જેના ઉપર પણ ટ્રાફિક ભારણ વધી જતા એલ એન્ડ ટી દ્વારા 11 નવેમ્બર 2000 માં રૂ. 113 કરોડનાં ખર્ચે નવો સરદાર બ્રિજ બનાવાયો હતો. જે બાદ માર્ચ 2017 માં વડાપ્રધાન PM મોદીએ કેબલબ્રિજ ખુલ્લો મુક્યો હતો. 19 ડિસેમ્બર 2015 ના રોજ નર્મદા મૈયા 4 લેન બ્રિજ ₹400 કરોડ ખર્ચનું ભૂમિપૂજન તત્કાલીન CM આનંદીબેન પટેલે કર્યું હતું. જે 6 વર્ષે પૂર્ણ થનાર એકમાત્ર બ્રિજ બની ગયો છે.
બ્રિજ ઉપરથી નાના વાહનો કાર્યરત જ રહેશે
નવો નર્મદા મૈયા બ્રિજ શરૂ થયા બાદ પણ બ્રિજ ઉપરથી ટુ, થ્રી વ્હિલર સહિતનાં નાના વાહનોને પસાર થવા જ દેવામાં આવશે. જો કે કારચાલકોને નવા બ્રિજનો ઉપયોગ કરવા સૂચન કરાઇ તેવી વિચારણા આર. એન્ડ બી વિભાગની છે.
દેશનું ઐતિહાસિક સ્મારક જાહેર કરવા વર્ષ 2013 માં રજૂઆત
સોનાના પુલને દેશનું ઐતિહાસિક સ્મારક જાહેર કરવા વર્ષ 2013 માં ગુજરાત પ્રદેશ કિસાન સંઘ તેમજ માનવ કલ્યાણ પર્યાવરણ અને સુરક્ષા મંડળે તે સમયના તત્કાલિન મહેસુલમંત્રી આનંદીબેન પટેલ, સાંસદ અહેમદ પટેલ અને પ્રવાસન વિકાસ બોર્ડના ચેરમેન શંકરસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી.
16 મે 1881માં કાર્યરત થયેલો સુવર્ણબ્રિજ આજે પણ અડીખમ, જ્યારે સરદાર બ્રિજ 16 વર્ષમાં જ ખખડી ગયો
ભરૂચ-અંકલેશ્વરની લાઈફ લાઈન ગોલ્ડનબ્રિજ વર્ષ 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે દેશને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ
બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું
ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરાયું
1860 માં સૌપ્રથમ નર્મદા બ્રિજ રેલવે માટે બ્રિટિશરોએ નિર્માણ કર્યો હતો
નર્મદા બ્રિજના સોનાનો પુલ નામ પાછળ તેને મરાયેલું સોનાનું તાળું અને તેની પાછળ સદી પેહલા જે તે સમયે થયેલો સોના જેટલો અધધ ખર્ચ
140 વર્ષથી 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો 1.3 કિમી લાંબો ઐતિહાસિક બ્રિજ
એવું કહેવાતું જેને સાંકડા ગોલ્ડનબ્રિજમાંથી ગાડી કાઢી લીધી તે બધે જ ચલાવી શકે
WatchGujarat. ભરૂચની ઓળખ અને અંગ્રેજોની દેન ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ (સોનાનો પુલ) આજે 141 વર્ષમાં પ્રવેશી ચુક્યો છે. 16 મે 1881 માં બ્રિજ તૈયાર થતા વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. 140 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે આગામી વર્ષોમાં પણ ધમધમતો રહેશે.
બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું. ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16 મે 1881 નાં રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ 1940 માં સિલ્વર જયુબલિ રેલવે બ્રિજનું નિર્માણ કરાતા ગોલ્ડનબ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજનાં નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદાબ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.
ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ ₹400 કરોડના ખર્ચે હાલ નિર્માણધીન થઇ ગયો છે. નવા ફોર લેન બ્રિજના કાર્યરત થયા બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ લાઇટ વાહનો માટે કાર્યરત રહેશે. નવા બ્રિજ બાદ ગોલ્ડનબ્રિજ ઉપરનું ભારણ ઘટતા તે આગામી વર્ષો સુધી વાહનો માટે ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, એક સમયે બ્રિજમાં વપરાયોલા મૂલ્યવાન લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. આજે 16 મે ગોલ્ડનબ્રીજ 141 માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે.
વર્ષ 2012માં 18 હજાર નટ બોલ્ટ અને 42 ગર્ડર બદલાયા
સવા કિમિ લાંબા ગોલ્ડનબ્રિજને તે સમયે અંગ્રેજોએ તેમની કૌશલ્યતા અને ઇજનેરી કુશળતા વાપરી માત્ર રીવેટ જોઇન્ટ ઉપર જ બનાવ્યો હતો. વર્ષ 2012 માં થયેલા સમારકામમાં કટાઇ ગયેલાં રીવેટોને કાઢી નાંખી માર્ગ અને મકાન વિભાગ દ્રારા 18 હજાર નટ બોલ્ટ લગાવી બ્રિજને વધુ મજબૂતી પ્રદાન કરાતા આયુષ્ય 20 વર્ષ વધી ગયું હતું. નીચેથી તૂટીને નદીમાં પડેલા કે જર્જરીત સ્થિતિમાં રહેલા 42 ગર્ડરોને પણ બદલાયાં હતા.
132 વર્ષે પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો હતો
વર્ષ 2012 માં ગોલ્ડનબ્રિજના રંગકામમાં ત્રિપલ કોટિંગ કરાયું હતું. ૨પ ગાળાનાં બ્રિજને ગોલ્ડન કલરથી રંગવા પાછળ એક ગાળામાં 650 લીટરથી વધુ રંગ વપરાયો હતો. ૨પ ગાળાને રંગવા પાછળ અડધા લાખ લીટરથી વધુનાં રંગનો વપરાશ થયો હતો. તત્કાિલન કલેકટર રૂપવંતસીંઘે વિશેષ આગ્રહ રાખતા 132 વર્ષમાં બ્રિજ પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો હતો.
ઐતિહાસિક બ્રિજને ભૂકંપ અને પૂરથી પુલને વારંવાર નુકસાન
- 1876 માં જ બીજી રેલમાં થાંભલા તણાતા પુલ નકામો બન્યો
- 2001 નાં ધરતીકંપમાં પુલનાં માર્ગ ઉપર તિરાડો પડી
અત્યાર સુધીમાં ગિલ્ડનબ્રિજ પાછળ ખર્ચ
- રૂ. 46.93 લાખ 1860 થી 1871 સુધી ખર્ચ
- રૂ. 1.50 લાખનાં ખર્ચે વર્ષ 1876 માં લક્કડીયો પુલ
- રૂ. 3.07 કરોડનાં ખર્ચે 1881 માં હાલનો ગોલ્ડનબ્રિજ
- રૂ. 30 લાખ ખર્ચ મરામત પાછળ વર્ષ 2001-2002
- રૂ. 66.61 લાખનાં ખર્ચે વર્ષ 2005-06 માં રંગરોગાન
- રૂ. 2.36 કરોડનો ખર્ચ વર્ષ 2012 માં
સૌપ્રથમ 1941 માં બ્રિજ ઉપર ટ્રેનની જગ્યાએ વાહનો દોડાવાયાં
નર્મદા નદી ઉપર સૌપ્રથમ બ્રિજનું બાંધકામ 1860 માં થયું હતું. 67 ગાળાનાં પુલની ઊંચાઇ 62.6 ફૂટ હતી. બ્રિજ રેલવે માટે બનાવાયો હતો. 1935 માં ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો પુલ બનાવાયો જેનું નામ સિલ્વર જયુબિલી બ્રિજ અપાયું. જે બાદ સિલ્વર બ્રિજ ઉપરથી ટ્રેન સેવા કાર્યરત થતા 1941 થી ગોલ્ડનબ્રિજ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાયો. 1947 માં આઝાદી બાદ ગોલ્ડનબ્રિજને ને.હા. નં 8 સાથે જોડી આસ્ફાલ્ટનો બનાવાયો.
દેશમાં સૌપ્રથમ ટોલટેક્ષ ગોલ્ડનબ્રિજ ઉપર નખાયો હતો
બ્રિજનાં સમારકામ અને જાળવણી માટે 1941-42 માં ગોલ્ડનબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવાતો હતો. સ્વરાજય મળ્યાં બાદ ટોલટેક્ષ નાબૂદ કરાયો હતો. ગોલ્ડનબ્રિજની બન્ને છેડે મોટા ખાડા બનાવી વજનકાંટા મૂકાયા હતા. વજન થયા પછી જ બ્રિજ ઉપરથી વાહનો પસાર થવા દેવાતા હતા. 1977 માં જુનો અને 2000 માં નવો સરદારબ્રિજ અસ્તિત્વમાં આવ્યો, 2017 માં કેબલબ્રિજ, હવે 2021-22 માં નર્મદા મૈયા બ્રિજ 6 વર્ષ બાદ કાર્યરત થશે.
1970 માં નવા બ્રિજની જરૂરિયાત ઉભી થતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં હસ્તે 24 એપ્રિલ 1977 માં 1350 મીટર લંબાઇનાં રૂ. 120 કરોડનાં ખર્ચે બનેલા સરદાર બ્રિજનું ઉદઘાટન કરાયું હતું. જેના ઉપર પણ ટ્રાફિક ભારણ વધી જતા એલ એન્ડ ટી દ્વારા 11 નવેમ્બર 2000 માં રૂ. 113 કરોડનાં ખર્ચે નવો સરદાર બ્રિજ બનાવાયો હતો. જે બાદ માર્ચ 2017 માં વડાપ્રધાન PM મોદીએ કેબલબ્રિજ ખુલ્લો મુક્યો હતો. 19 ડિસેમ્બર 2015 ના રોજ નર્મદા મૈયા 4 લેન બ્રિજ ₹400 કરોડ ખર્ચનું ભૂમિપૂજન તત્કાલીન CM આનંદીબેન પટેલે કર્યું હતું. જે 6 વર્ષે પૂર્ણ થનાર એકમાત્ર બ્રિજ બની ગયો છે.
બ્રિજ ઉપરથી નાના વાહનો કાર્યરત જ રહેશે
નવો નર્મદા મૈયા બ્રિજ શરૂ થયા બાદ પણ બ્રિજ ઉપરથી ટુ, થ્રી વ્હિલર સહિતનાં નાના વાહનોને પસાર થવા જ દેવામાં આવશે. જો કે કારચાલકોને નવા બ્રિજનો ઉપયોગ કરવા સૂચન કરાઇ તેવી વિચારણા આર. એન્ડ બી વિભાગની છે.
દેશનું ઐતિહાસિક સ્મારક જાહેર કરવા વર્ષ 2013 માં રજૂઆત
સોનાના પુલને દેશનું ઐતિહાસિક સ્મારક જાહેર કરવા વર્ષ 2013 માં ગુજરાત પ્રદેશ કિસાન સંઘ તેમજ માનવ કલ્યાણ પર્યાવરણ અને સુરક્ષા મંડળે તે સમયના તત્કાલિન મહેસુલમંત્રી આનંદીબેન પટેલ, સાંસદ અહેમદ પટેલ અને પ્રવાસન વિકાસ બોર્ડના ચેરમેન શંકરસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી.