રાતે 8 કલાકથી ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તબાહીની દસ્તકના એંધાણ
185 કિ.મી. સુધીની ઝડપે વિનાશકારી પવન ફૂંકવાનો ખતરો
ભારેથી અતિભારે વરસાદના સંજોગો વચ્ચે કાંઠા વિસ્તારના 50 ગામના 1.08 લાખ લોકોને કરી શકે છે અસર
Watchgujarat. તૌકતે વાવાઝોડું વધુ તાકાતવાર બની ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે IMD ના બપોરે જારી થયેલા નવા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં તૌકતેનું તુફાન દહેજથી 543 કિલોમીટરની દુરી પર છે. જે રાતે 8 કલાકથી દહેજ અને જિલ્લાના દરિયા કાંઠે વિનાશક દસ્તક આપે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.
અરબી સમુદ્રમાં આગળ વધતા તૌકતે વાવાઝોડું વધુ તાકાતવાર બન્યું હોવાનું અને હવે વાવાઝોડાની ગતિમાં પ્રતિ કલાકે 18 કિલોમીટરનો વધારો થયાના અહેવાલો ભારતીય હવામાન વિભાગ IMD એ બપોરના નવા બુલેટિનમાં જારી કર્યાં છે.
ગુજરાત તરફ આગળ વધતું તૌકતેનું તુફાન અરેબિયન સમુદ્રમાં હાલ દહેજ બંદરેથી 543 કિલોમીટરની દુરી પર છે. રાતે 8 કલાકથી તે દહેજ અને ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેની વિનાશક દસ્તક આપવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. વાવાઝોડાની ગતિ પ્રતિ કલાકે 185 કિલોમીટર સુધી રહેવાની વ્યક્ત કરાયેલી વકી થી તે ભારે ખાના ખરાબી સર્જી શકે છે. રાતના 8 થી 11 કલાક દરમિયાન તૌકતેની આફત ટકરાઈ શકે તેમ છે. હાલ વાવાઝોડુ મુંબઇથી 160 KM દૂર છે.
તૌકતે વાવાઝોડા રૂપી આફત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે અને વાવાઝોડુ વધુ તાકતવર બનતા તબાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે. વાવાઝોડુ દરિયા કાંઠે પ્રવેશતા જ વિનાશકારી પવન સાથે ભારે થી અતિભારે વરસાદ ખાબકવાનો ખતરો રહેલો છે.
દહેજ બંદરે પણ પહેલીવાર 9 નબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે જે અત્યંત જોખમ હોવાનું ઉજાગર કરે છે. વાવાઝોડાની અસરને લઈ આગામી 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં 70 થી 185 કિમીની ઝડપે સાયકલોન ફૂંકાઈ શકે છે. જિલ્લાના કાંઠા વિસ્તારના 3 તાલુકાના અગાઉ 30 ગામોને પહેલાથી જ એલર્ટ કરી 2764 લોકોનું શિફ્ટિંગ કરાયું છે ત્યાં દરિયાઈ પટ્ટીના 50 ગામના 1.08 લાખ લોકોને તૌકતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવી શકયતા રહેલી છે.
રાતે 8 કલાકથી ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તબાહીની દસ્તકના એંધાણ
ભારેથી અતિભારે વરસાદના સંજોગો વચ્ચે કાંઠા વિસ્તારના 50 ગામના 1.08 લાખ લોકોને કરી શકે છે અસર
Watchgujarat. તૌકતે વાવાઝોડું વધુ તાકાતવાર બની ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે IMD ના બપોરે જારી થયેલા નવા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં તૌકતેનું તુફાન દહેજથી 543 કિલોમીટરની દુરી પર છે. જે રાતે 8 કલાકથી દહેજ અને જિલ્લાના દરિયા કાંઠે વિનાશક દસ્તક આપે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.
અરબી સમુદ્રમાં આગળ વધતા તૌકતે વાવાઝોડું વધુ તાકાતવાર બન્યું હોવાનું અને હવે વાવાઝોડાની ગતિમાં પ્રતિ કલાકે 18 કિલોમીટરનો વધારો થયાના અહેવાલો ભારતીય હવામાન વિભાગ IMD એ બપોરના નવા બુલેટિનમાં જારી કર્યાં છે.
ગુજરાત તરફ આગળ વધતું તૌકતેનું તુફાન અરેબિયન સમુદ્રમાં હાલ દહેજ બંદરેથી 543 કિલોમીટરની દુરી પર છે. રાતે 8 કલાકથી તે દહેજ અને ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેની વિનાશક દસ્તક આપવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. વાવાઝોડાની ગતિ પ્રતિ કલાકે 185 કિલોમીટર સુધી રહેવાની વ્યક્ત કરાયેલી વકી થી તે ભારે ખાના ખરાબી સર્જી શકે છે. રાતના 8 થી 11 કલાક દરમિયાન તૌકતેની આફત ટકરાઈ શકે તેમ છે. હાલ વાવાઝોડુ મુંબઇથી 160 KM દૂર છે.
તૌકતે વાવાઝોડા રૂપી આફત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે અને વાવાઝોડુ વધુ તાકતવર બનતા તબાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે. વાવાઝોડુ દરિયા કાંઠે પ્રવેશતા જ વિનાશકારી પવન સાથે ભારે થી અતિભારે વરસાદ ખાબકવાનો ખતરો રહેલો છે.
દહેજ બંદરે પણ પહેલીવાર 9 નબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે જે અત્યંત જોખમ હોવાનું ઉજાગર કરે છે. વાવાઝોડાની અસરને લઈ આગામી 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં 70 થી 185 કિમીની ઝડપે સાયકલોન ફૂંકાઈ શકે છે. જિલ્લાના કાંઠા વિસ્તારના 3 તાલુકાના અગાઉ 30 ગામોને પહેલાથી જ એલર્ટ કરી 2764 લોકોનું શિફ્ટિંગ કરાયું છે ત્યાં દરિયાઈ પટ્ટીના 50 ગામના 1.08 લાખ લોકોને તૌકતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવી શકયતા રહેલી છે.