વસંતપુરા ગામમાં મોટી સંખ્યામાં કાગડા એક જ દિવસમાં મરી જતા બર્ડ ફ્લુની આશંકા મજબુત
ગામના યુવાનોએ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા
[caption id="attachment_208527" align="aligncenter" width="1280"] Vadodara[/caption]
WatchGujarat. સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક 25 થી 30 જેટલા કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો હતો. જ્યારે કાગડાના ભેદી મોતના પગલે બર્ડ ફ્લુ ની આશંકાએ મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુ અચાનક ચકચારી ઘટના બની હતી. સમગ્ર પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હોય તેવા સમયે અચાનક 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મોત થયા હતા. જેને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગામના સેવા ભાવી યુવાનોએ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા હતા.
[caption id="attachment_208531" align="aligncenter" width="1280"] Vadodara[/caption]
જ્યારે સમગ્ર વિસ્તારના લોકોમાં હાલમાં દેશમાં કોરોના મહામારી બીમારી બાદ તંત્ર દ્વારા બર્ડ ફ્લુ ની બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર દેશનું તંત્ર સાબદુ કર્યું હતું. તેવામાં સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક ટપોટપ 30 જેટલા કાગડાઓ નું ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજતા પંથક વાસીઓ બર્ડ ફ્લુ ની આશંકા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
વસંતપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ રાયના જણાવ્યા પ્રમાણે, ગતરોજ સાંજના સમયે આશરે 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર ગામમાં સન્નાટો મચી જવા પામ્યો હતો. અને ગ્રામજનોએ આ કાગડા ઓને બર્ડ ફ્લૂની આશંકા એ દાટી દીધા હતા. અને કદાચ આ ભેદી રોગ સાવલી તાલુકામાં પ્રવેશ કરી ચુક્યો હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.
More #Bird flue #doubtful #case #found #near #savli #Vadodara news
વસંતપુરા ગામમાં મોટી સંખ્યામાં કાગડા એક જ દિવસમાં મરી જતા બર્ડ ફ્લુની આશંકા મજબુત
ગામના યુવાનોએ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા
WatchGujarat. સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક 25 થી 30 જેટલા કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો હતો. જ્યારે કાગડાના ભેદી મોતના પગલે બર્ડ ફ્લુ ની આશંકાએ મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાની આજુબાજુ અચાનક ચકચારી ઘટના બની હતી. સમગ્ર પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હોય તેવા સમયે અચાનક 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મોત થયા હતા. જેને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગામના સેવા ભાવી યુવાનોએ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા હતા.
જ્યારે સમગ્ર વિસ્તારના લોકોમાં હાલમાં દેશમાં કોરોના મહામારી બીમારી બાદ તંત્ર દ્વારા બર્ડ ફ્લુ ની બીમારી ફેલાવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર દેશનું તંત્ર સાબદુ કર્યું હતું. તેવામાં સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક ટપોટપ 30 જેટલા કાગડાઓ નું ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજતા પંથક વાસીઓ બર્ડ ફ્લુ ની આશંકા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
વસંતપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ રાયના જણાવ્યા પ્રમાણે, ગતરોજ સાંજના સમયે આશરે 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર ગામમાં સન્નાટો મચી જવા પામ્યો હતો. અને ગ્રામજનોએ આ કાગડા ઓને બર્ડ ફ્લૂની આશંકા એ દાટી દીધા હતા. અને કદાચ આ ભેદી રોગ સાવલી તાલુકામાં પ્રવેશ કરી ચુક્યો હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.
More #Bird flue #doubtful #case #found #near #savli #Vadodara news