રાજકારણ ખેલદીલી પુર્વક કરી જોઇએ તેવું ઉદાહરણ આપતો કિસ્સો
ચુંટણી ટાણે જીતવા માટે તમામ મહેનત ઝોકી દીધા બાત બંન્ને પક્ષના ઉમેદવાર સાથે મળ્યા
ચુંટણીમાં થયેલું મનદુખ મતદાન બાદ ભુલી જવા અપીલ
WatchGujarat. રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત નથી હોતો કે દુશ્મન નથી હોતો, આ વાક્ય ઘણું પ્રચલિત છે. પરંતુ કેટલીક વખત રાજકારણની ચર્ચામાં એક બીજા સાથે દુશ્મનાવટ થઇ જાય તે સ્તરે પણ વાત વણસી જાય છે. જો કે, હવે સમય સાથે રાજનિતી પણ બદલાઇ છે તેમ દેખાઇ રહ્યું છે. મતદાન પતી ગયા બાદ ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા. અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચુંટણી આવ-જા કરે, આપણી દોસ્તી રહેશે.
ચાલુ વર્ષે પાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક જગ્યાઓ પર નવા ચહેરાઓને ઉમેદવારી કરવા માટે તક આપી હતી. જેને લઇને અનેક જગ્યાએ વિરોધના સુર તેજ બન્યા હતા. શહેરના વોર્ડ નંબર – 3 માં છેલ્લા 30 વર્ષથી વધુના સમય સુધી પાટીદાર ઉમેદવારને ટીકીટ આપવામાં આવતી હતી. પણ ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારની બાદબાકી કરી અન્ય બે નવા ચહેરાઓને સ્થાન આપી પરાક્રમસિંહ જાડેજા. ડો. રાજેશ શાહ, રૂપલ મહેતા અને છાયા ખરાડીની પેનલ ઉતારી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પાટીદાર મતદારો પર પ્રભુત્વ ધરાવતા ઉમેદવાર સંદિપ પટેલને ટીકીટ આપવામાં આવી હતી.
વર્ષોથી પાટીદાર મતદારો પર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં જીત મેળવવા માટે તમામ પ્રકારે મહેનત કર્યા બાદ મતદાન પતી ગયા બાદ બ્રાઇટ સ્કુલના મતદાન મથકમાં ભાજપના વજનદાર ઉમેદવાર પરાક્રમસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર સંદિપ પટેલ ભેગા થયા હતા. સામ સામે ચુંટણી લડતા ઉમેદવારો સામ સામે ભેગા થયા બાદ શું થશે તેવું બંન્ને તરફના સમર્થકો અંદાજો લગાડી રહ્યા હતા. જો કે, લોકોએ ધાર્યું હતું તેનાથી એકદમ અલગ ઘટના હકીકતે બની હતી.
ભાજના પરાક્રમસિંહ જાહેજા કોંગ્રેસના ઉમેદવાર સંદિપ પટેલની પાસે આવીને તેના ખભે હાથ મુક્યો હતો. અને કહ્યું કે. હવે ચુંટણી પતી ગઇ છે. ચુંટણી દરમિયાન આપણે એકબીજાની સામે લડી રહ્યા હતા. ચુંટણી ટાણે જે કંઇ થયું તે ભુલી જવાનું. આપણી દોસ્તી રહેશે. ચુંટણી તો આવતા કરે. તેની સાથે પરાક્રમસિંહ જાડેજાએ આસપાસ ઉભેલા અલગ અલગ સોસાયટીના લોકોને પણ ચુંટણી દરમિયાન કોઇને મનદુખ થયું હોત તો તે ભુલી જવા જણાવ્યું હતું.
આમ, એક તરફ રાજકારણની ચર્ચામાં લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી સંબંધો બગાડવા સુધી વાત લઇ જતા હોય છે. ત્યારે વડોદરામાં બીજુ જ ચિત્ર સામે આવ્યું હતું. અને રાજનિતી ખેલદીલીથી થવી જોઇએ તેનું ઉદાહરણ ઉમેદવારે પોતે જ રજુ કર્યું હતું.
23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી બાદ વોર્ડ નંબર - 3 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારો વિજયી થયા હતા.
રાજકારણ ખેલદીલી પુર્વક કરી જોઇએ તેવું ઉદાહરણ આપતો કિસ્સો
ચુંટણી ટાણે જીતવા માટે તમામ મહેનત ઝોકી દીધા બાત બંન્ને પક્ષના ઉમેદવાર સાથે મળ્યા
ચુંટણીમાં થયેલું મનદુખ મતદાન બાદ ભુલી જવા અપીલ
WatchGujarat. રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત નથી હોતો કે દુશ્મન નથી હોતો, આ વાક્ય ઘણું પ્રચલિત છે. પરંતુ કેટલીક વખત રાજકારણની ચર્ચામાં એક બીજા સાથે દુશ્મનાવટ થઇ જાય તે સ્તરે પણ વાત વણસી જાય છે. જો કે, હવે સમય સાથે રાજનિતી પણ બદલાઇ છે તેમ દેખાઇ રહ્યું છે. મતદાન પતી ગયા બાદ ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા. અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચુંટણી આવ-જા કરે, આપણી દોસ્તી રહેશે.
ચાલુ વર્ષે પાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક જગ્યાઓ પર નવા ચહેરાઓને ઉમેદવારી કરવા માટે તક આપી હતી. જેને લઇને અનેક જગ્યાએ વિરોધના સુર તેજ બન્યા હતા. શહેરના વોર્ડ નંબર – 3 માં છેલ્લા 30 વર્ષથી વધુના સમય સુધી પાટીદાર ઉમેદવારને ટીકીટ આપવામાં આવતી હતી. પણ ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારની બાદબાકી કરી અન્ય બે નવા ચહેરાઓને સ્થાન આપી પરાક્રમસિંહ જાડેજા. ડો. રાજેશ શાહ, રૂપલ મહેતા અને છાયા ખરાડીની પેનલ ઉતારી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પાટીદાર મતદારો પર પ્રભુત્વ ધરાવતા ઉમેદવાર સંદિપ પટેલને ટીકીટ આપવામાં આવી હતી.
વર્ષોથી પાટીદાર મતદારો પર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં જીત મેળવવા માટે તમામ પ્રકારે મહેનત કર્યા બાદ મતદાન પતી ગયા બાદ બ્રાઇટ સ્કુલના મતદાન મથકમાં ભાજપના વજનદાર ઉમેદવાર પરાક્રમસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર સંદિપ પટેલ ભેગા થયા હતા. સામ સામે ચુંટણી લડતા ઉમેદવારો સામ સામે ભેગા થયા બાદ શું થશે તેવું બંન્ને તરફના સમર્થકો અંદાજો લગાડી રહ્યા હતા. જો કે, લોકોએ ધાર્યું હતું તેનાથી એકદમ અલગ ઘટના હકીકતે બની હતી.
ભાજના પરાક્રમસિંહ જાહેજા કોંગ્રેસના ઉમેદવાર સંદિપ પટેલની પાસે આવીને તેના ખભે હાથ મુક્યો હતો. અને કહ્યું કે. હવે ચુંટણી પતી ગઇ છે. ચુંટણી દરમિયાન આપણે એકબીજાની સામે લડી રહ્યા હતા. ચુંટણી ટાણે જે કંઇ થયું તે ભુલી જવાનું. આપણી દોસ્તી રહેશે. ચુંટણી તો આવતા કરે. તેની સાથે પરાક્રમસિંહ જાડેજાએ આસપાસ ઉભેલા અલગ અલગ સોસાયટીના લોકોને પણ ચુંટણી દરમિયાન કોઇને મનદુખ થયું હોત તો તે ભુલી જવા જણાવ્યું હતું.
આમ, એક તરફ રાજકારણની ચર્ચામાં લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી સંબંધો બગાડવા સુધી વાત લઇ જતા હોય છે. ત્યારે વડોદરામાં બીજુ જ ચિત્ર સામે આવ્યું હતું. અને રાજનિતી ખેલદીલીથી થવી જોઇએ તેનું ઉદાહરણ ઉમેદવારે પોતે જ રજુ કર્યું હતું.
23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી બાદ વોર્ડ નંબર - 3 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારો વિજયી થયા હતા.