WatchGujarat. આરએસપી પાર્ટીના રાજેશ આયરે તેમની પેનલ સાથે બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યાર બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પહેલા વોર્ડ નં - 9 અને ત્યાર બાદ આજે વોર્ડ નં - 8 માંથી અનેક કાર્યકરોએ રાજીનામા આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
રાજેશ આયરે પહેલા ભારતીયા જનતા પાર્ટીમાંથી કાઉન્સિલર હતા. જો કે અગાઉ વિવાદ થતા તેઓ ભાજપા છોડીને આરએસપીમાં જોડાયા હતા. અને આરએસપીમાંથી ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સ્થાનિક વોર્ડમાં પેનલ સાથે જીત મેળવી હતી.
સી આર પાટીલ ભાજપા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજ્યમાં તમામ સીટો પર ભાજપાનો વિજય થાય તે દિશામાં તેઓ કામગીરી કરી રહ્યા છે. જેને સાકાર કરવા માટે અન્ય પાર્ટીઓમાંથી ચુંટણી લડી જીતેલા વગદાર વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેના પ્રયાસોના ભાગ રૂપે આરએસપીના રાજેશ આયરેને ભાજપામાં જોડવામાં આવ્યા હતા. જો કે રાજેશ આયરેના ભાજપમાં જોડાવવાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અને છેલ્લા બે દિવસથી સ્થાનિક વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા છે. અને બીજેપીના અનેક કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દીધા છે.
રવિવારે અજિત સિંહ રાઠોડ સમર્થકો સાથે પહોંચ્યા ભાજપા કાર્યાલય પહોંચ્યા હતા. અને પ્રખુખને રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે કાર્યાલય ખાતે નેતાઓ દોડી આવ્યા હતા.
રાજીનામાને પગલે ભાજપાના ઉચ્ચપદાધીકારીઓ દોડતા થયા હતા. અને ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું હતું. વર્ષોથી ભાજપા માટે કામ કરતા કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર રાજેશ આયરેને ભાજપમાં સામેલ કરાતા વિરોધ તેજ થયો છે. આમ થતાની સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં આવવા માટે તૈયાર કોર્પોરેટરના પ્લાન પર પાણી ફેરવાયું છે.
WatchGujarat. આરએસપી પાર્ટીના રાજેશ આયરે તેમની પેનલ સાથે બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યાર બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પહેલા વોર્ડ નં - 9 અને ત્યાર બાદ આજે વોર્ડ નં - 8 માંથી અનેક કાર્યકરોએ રાજીનામા આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
રાજેશ આયરે પહેલા ભારતીયા જનતા પાર્ટીમાંથી કાઉન્સિલર હતા. જો કે અગાઉ વિવાદ થતા તેઓ ભાજપા છોડીને આરએસપીમાં જોડાયા હતા. અને આરએસપીમાંથી ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સ્થાનિક વોર્ડમાં પેનલ સાથે જીત મેળવી હતી.
સી આર પાટીલ ભાજપા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજ્યમાં તમામ સીટો પર ભાજપાનો વિજય થાય તે દિશામાં તેઓ કામગીરી કરી રહ્યા છે. જેને સાકાર કરવા માટે અન્ય પાર્ટીઓમાંથી ચુંટણી લડી જીતેલા વગદાર વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેના પ્રયાસોના ભાગ રૂપે આરએસપીના રાજેશ આયરેને ભાજપામાં જોડવામાં આવ્યા હતા. જો કે રાજેશ આયરેના ભાજપમાં જોડાવવાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અને છેલ્લા બે દિવસથી સ્થાનિક વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા છે. અને બીજેપીના અનેક કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દીધા છે.
રવિવારે અજિત સિંહ રાઠોડ સમર્થકો સાથે પહોંચ્યા ભાજપા કાર્યાલય પહોંચ્યા હતા. અને પ્રખુખને રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે કાર્યાલય ખાતે નેતાઓ દોડી આવ્યા હતા.
રાજીનામાને પગલે ભાજપાના ઉચ્ચપદાધીકારીઓ દોડતા થયા હતા. અને ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું હતું. વર્ષોથી ભાજપા માટે કામ કરતા કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર રાજેશ આયરેને ભાજપમાં સામેલ કરાતા વિરોધ તેજ થયો છે. આમ થતાની સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં આવવા માટે તૈયાર કોર્પોરેટરના પ્લાન પર પાણી ફેરવાયું છે.