વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ગત પાલીકાની ચુંટણીમાં ભાજપા દ્વારા ટીકીટ આપવામાં આવી હતી
દિપક શ્રીવાસ્તવ પહેલી ચુંટણી જેડીયુમાંથી લડ્યા હતા, અને ત્યાર બાદ બીજેપીમાં જોડાયા હતા
આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે પુન: જોડાવવું કે નહિ તે અંગેનો નિર્ણય જે તે સમયે લેવામાં આવશે - દિપક શ્રીવાસ્તવ
WatchGujarat. વાઘોડિયાના બાહુબલી બીજેપી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિવક શ્રીવાસ્તવે પાલીકાની ચુંટણીમાં વોર્ડ નંબર - 15 માંથી અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. દિપક શ્રીવાસ્તવ બીજીની ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ચુંટાયેલા પ્રતિનીધીના સગાને ટીકીટ નહિ આપવાના નિર્ણયને કારણે દિપક શ્રીવાસ્તવને બીજેપીમાંથી ટીકીટ નહિ આપવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.
શહેરના વાઘોડિયા વિસ્તારમાં છેલ્લી કેટલીય ટર્મથી બીજેપીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચુંટાઇને આવે છે. મધુ શ્રીવાસ્તવના પુત્રએ બે ટર્મ પૈકી એક ટર્મ જેડીયુમાંથી ચુંટણી લડ્યા હતા. અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને ગત ચુંટણીમાં દિપક શ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી. અને જીત્યા હતા. ચાલુ વર્ષે તેમને ટીકીટ મળશે તેવો આશાવાદ હતો પરંતુ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ચુંટાયેલા પ્રતિનિધીના સગાને ટીકીટ આપવામાં ન આવે તેવો નિયમ બનાવાતા દિપક શ્રીવાસ્તવની ટીકીટ કપાઇ હોવાનું મનાઇ રહ્યું છે.
ટીકીટ ન મળતા દિપક શ્રીવાસ્તવે ચુંટણીમાં ફોર્મ ભરવાની આખરી દિવસે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ નહિ મળતા મેં આજે અપક્ષ ઉમેદવારી કરી છે. પહેલા જેડીયુ માંથી ચુંટણી લડી અને કાઉન્સિલર તરીકે ચુંટાયો હતો. ત્યાર બાદ મારા પિતાજીની પ્રેરણાથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડી કાઉન્સિલર તરીકે લોકોની સેવા કરી હતી. લોકો તેમની સમસ્યાને ચુંટાયેલા પ્રતિનીધીને કહેતા હોય છે. ચુંટાયેલા પ્રતિનિધી લોકોની સમસ્યાનું સમાધાન લાવતા હોય છે. લોકશાહીમાં પાર્ટી નહિ વ્યક્તિનું મહત્વ હોય છે.
અગાઉ હું બીજી પાર્ટીમાંથી ચુંટણી લડ્યો હતો. ત્યાર બાદ બીજેપીમાં જોડાયો હતો. હવે ફરી એક વખત અપક્ષ લડવા જઇ રહ્યો છું. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે પુન: જોડાવવું કે નહિ તે અંગેનો નિર્ણય જે તે સમયે લેવામાં આવશે.
વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ગત પાલીકાની ચુંટણીમાં ભાજપા દ્વારા ટીકીટ આપવામાં આવી હતી
દિપક શ્રીવાસ્તવ પહેલી ચુંટણી જેડીયુમાંથી લડ્યા હતા, અને ત્યાર બાદ બીજેપીમાં જોડાયા હતા
આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે પુન: જોડાવવું કે નહિ તે અંગેનો નિર્ણય જે તે સમયે લેવામાં આવશે - દિપક શ્રીવાસ્તવ
WatchGujarat. વાઘોડિયાના બાહુબલી બીજેપી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિવક શ્રીવાસ્તવે પાલીકાની ચુંટણીમાં વોર્ડ નંબર - 15 માંથી અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. દિપક શ્રીવાસ્તવ બીજીની ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ચુંટાયેલા પ્રતિનીધીના સગાને ટીકીટ નહિ આપવાના નિર્ણયને કારણે દિપક શ્રીવાસ્તવને બીજેપીમાંથી ટીકીટ નહિ આપવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.
શહેરના વાઘોડિયા વિસ્તારમાં છેલ્લી કેટલીય ટર્મથી બીજેપીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચુંટાઇને આવે છે. મધુ શ્રીવાસ્તવના પુત્રએ બે ટર્મ પૈકી એક ટર્મ જેડીયુમાંથી ચુંટણી લડ્યા હતા. અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને ગત ચુંટણીમાં દિપક શ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી. અને જીત્યા હતા. ચાલુ વર્ષે તેમને ટીકીટ મળશે તેવો આશાવાદ હતો પરંતુ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ચુંટાયેલા પ્રતિનિધીના સગાને ટીકીટ આપવામાં ન આવે તેવો નિયમ બનાવાતા દિપક શ્રીવાસ્તવની ટીકીટ કપાઇ હોવાનું મનાઇ રહ્યું છે.
ટીકીટ ન મળતા દિપક શ્રીવાસ્તવે ચુંટણીમાં ફોર્મ ભરવાની આખરી દિવસે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાંથી ટીકીટ નહિ મળતા મેં આજે અપક્ષ ઉમેદવારી કરી છે. પહેલા જેડીયુ માંથી ચુંટણી લડી અને કાઉન્સિલર તરીકે ચુંટાયો હતો. ત્યાર બાદ મારા પિતાજીની પ્રેરણાથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડી કાઉન્સિલર તરીકે લોકોની સેવા કરી હતી. લોકો તેમની સમસ્યાને ચુંટાયેલા પ્રતિનીધીને કહેતા હોય છે. ચુંટાયેલા પ્રતિનિધી લોકોની સમસ્યાનું સમાધાન લાવતા હોય છે. લોકશાહીમાં પાર્ટી નહિ વ્યક્તિનું મહત્વ હોય છે.
અગાઉ હું બીજી પાર્ટીમાંથી ચુંટણી લડ્યો હતો. ત્યાર બાદ બીજેપીમાં જોડાયો હતો. હવે ફરી એક વખત અપક્ષ લડવા જઇ રહ્યો છું. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે પુન: જોડાવવું કે નહિ તે અંગેનો નિર્ણય જે તે સમયે લેવામાં આવશે.