શહેરવાસીઓની મહત્વની સમસ્યાનું સમાધાન લાવવા માટે શહેર ભાજપા અધ્યક્ષ સક્રિય થયા
કોરોનાના દર્દી માટે જીવન રક્ષક ગણાતી રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ રૂ. 1,700 નક્કી કરાયો
હોસ્પિટલ તંત્ર અને દર્દીના સગા વચ્ચેની સંઘર્ષ ટાળવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
મૃત્યુ પામેલા દર્દીઓને અસ્થિકુંભ અને અસ્થિ વિસર્જનને લઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
WatchGujarat. કોરોનાને કારણે સર્જાયેલા સ્થિતીમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જરૂરી ઇન્જેક્શન મેળવવા માટે વધુ ભાવ ચુકવવો પડે છે, તો ખાનગી હોસ્પિટલમાં સારવારના બીલોને લઇને અવારનવાર હોસ્પિટલ તંત્ર અને લોકો વચ્ચે ટકરાવી સ્થિતી સર્જાયાની ઘટના સામે આવી હતી. જેને લઇને હવે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિજય શાહે લોકોની સગવડતા ખાતર આગળ આવ્યા છે. અને હવે અનેક રીતે લોકોને ઉપયોગી થવા માટેના મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
શહેરમાં કોરોના વકરતા સ્થિતી નિરંકુશ થઇ રહી છે. ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનોએ જીવન રક્ષક રેમડીસીવીર ઇન્જેક્શન માટે મોંઘા ભાવ ચુકવવા પડી રહ્યા છે. તેવા સમયે ડો.વિજયભાઇ શાહે શહેરના અગ્રણી તબીબો, તથા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 નક્કી કર્યું છે. જે અંગે રાજ્ય સરકાર અથવા તો વડોદરાના OSD વિનોદ રાવ દ્વારા જાહેર જનતા માટે ટૂંક સમયમાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે.
ત્યાર બાદ શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના સગા અને હોસ્પિટલ તંત્ર વચ્ચે અનેક વખત ટકરાવની સ્થિતી સર્જાયાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને દર્દીના પરીવારજનોને બીલને લગતી બાબતો અથવા અન્ય કોઈ ઉભી થયેલી સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોને ઉપરોક્ત મામલે હેલ્પલાઈન માં સેવારત કુણાલ પટેલ (મો.૯૮૨૫૫૦૮૯૮૧) અને ડો.વસુધારા રાઠવા (મો.૮૧૫૪૯૧૪૬૪૧) પર સંપર્ક કરી શકે છે.
મૃત્યુ પામેલા દર્દીઓને અસ્થિકુંભ અને અસ્થિ વિસર્જનને લઇને પણ ભારે સમસ્યા સર્જાતી હોય છે. હાલની સ્થિતીમાં મૃત્યુદેહોનો સ્મશાનમાં ખડકલો થતો હોવાને કારણે ગમે ત્યારે અંતિમ ક્રિયા પતી ગયા બાદ તેનો નિકાલ કરાતો હોય છે. જેને લઇને પરિવારજનોની લાગણી દુભાતી હોય છે. ત્યારે ડો. વિજય શાહના પ્રયત્નોથી હવે સરકારી દવાખાનાઓમાં મૃત્યું થતા દર્દીઓના મૃતદેહને હિન્દુ રીતી રિવાજને અનુસરી હિન્દુ સંસ્કૃતિ અને રીતિ રીવાજ મુજબ મૃતદેહોનું સામુહિક અસ્તિ વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતીમાં અનેક રૂપે લોકોને મદદરૂપ થવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
શહેરવાસીઓની મહત્વની સમસ્યાનું સમાધાન લાવવા માટે શહેર ભાજપા અધ્યક્ષ સક્રિય થયા
હોસ્પિટલ તંત્ર અને દર્દીના સગા વચ્ચેની સંઘર્ષ ટાળવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
મૃત્યુ પામેલા દર્દીઓને અસ્થિકુંભ અને અસ્થિ વિસર્જનને લઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
WatchGujarat. કોરોનાને કારણે સર્જાયેલા સ્થિતીમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જરૂરી ઇન્જેક્શન મેળવવા માટે વધુ ભાવ ચુકવવો પડે છે, તો ખાનગી હોસ્પિટલમાં સારવારના બીલોને લઇને અવારનવાર હોસ્પિટલ તંત્ર અને લોકો વચ્ચે ટકરાવી સ્થિતી સર્જાયાની ઘટના સામે આવી હતી. જેને લઇને હવે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિજય શાહે લોકોની સગવડતા ખાતર આગળ આવ્યા છે. અને હવે અનેક રીતે લોકોને ઉપયોગી થવા માટેના મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
શહેરમાં કોરોના વકરતા સ્થિતી નિરંકુશ થઇ રહી છે. ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનોએ જીવન રક્ષક રેમડીસીવીર ઇન્જેક્શન માટે મોંઘા ભાવ ચુકવવા પડી રહ્યા છે. તેવા સમયે ડો.વિજયભાઇ શાહે શહેરના અગ્રણી તબીબો, તથા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને રેમડેસીવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 નક્કી કર્યું છે. જે અંગે રાજ્ય સરકાર અથવા તો વડોદરાના OSD વિનોદ રાવ દ્વારા જાહેર જનતા માટે ટૂંક સમયમાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે.
ત્યાર બાદ શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના સગા અને હોસ્પિટલ તંત્ર વચ્ચે અનેક વખત ટકરાવની સ્થિતી સર્જાયાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને દર્દીના પરીવારજનોને બીલને લગતી બાબતો અથવા અન્ય કોઈ ઉભી થયેલી સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોને ઉપરોક્ત મામલે હેલ્પલાઈન માં સેવારત કુણાલ પટેલ (મો.૯૮૨૫૫૦૮૯૮૧) અને ડો.વસુધારા રાઠવા (મો.૮૧૫૪૯૧૪૬૪૧) પર સંપર્ક કરી શકે છે.
મૃત્યુ પામેલા દર્દીઓને અસ્થિકુંભ અને અસ્થિ વિસર્જનને લઇને પણ ભારે સમસ્યા સર્જાતી હોય છે. હાલની સ્થિતીમાં મૃત્યુદેહોનો સ્મશાનમાં ખડકલો થતો હોવાને કારણે ગમે ત્યારે અંતિમ ક્રિયા પતી ગયા બાદ તેનો નિકાલ કરાતો હોય છે. જેને લઇને પરિવારજનોની લાગણી દુભાતી હોય છે. ત્યારે ડો. વિજય શાહના પ્રયત્નોથી હવે સરકારી દવાખાનાઓમાં મૃત્યું થતા દર્દીઓના મૃતદેહને હિન્દુ રીતી રિવાજને અનુસરી હિન્દુ સંસ્કૃતિ અને રીતિ રીવાજ મુજબ મૃતદેહોનું સામુહિક અસ્તિ વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતીમાં અનેક રૂપે લોકોને મદદરૂપ થવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિજય શાહ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.