વોર્ડ-17માં શૈલેષ પાટીલનુ નામ ગત મોડી રાતથી ચર્ચામાં આવતા વિરોધ વંટોળ શરૂ થયું હતુ.
વોર્ડ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકરો મોર્ચો લઇ મનુભાઇ ટાવર ખાતે પહોંચ્યાં હતા.
શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને મંત્રી યોગેશ પટેલની હાજરીમાં બંધ બારણે નારાજ કાર્યકરો સાથે મીટિંગ યોજાઇ અને પૂર્વ મહિલા કાઉન્સીલરનો ભોગ લેવાયો હોવાની ચર્ચા.
WatchGujarat. આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા આજે 6 મહાનગરોના 576 ઉમેદવારોની યાદી સત્તાવાર યાદી જાહેર કરી છે. જો કે, વડોદરાના વોર્ડ-17ના સંભવીત ઉમેદવારોમાં પ્રદેશ પ્રમુખની પંસદગીના ઉમેદવારનુ નામ ચર્ચામાં આવતા ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો. પ્રદેશ પ્રમુખની પસંદગી સામે વાંધો ન ઉઠાવી શકનાર શહેર સંગઠન અને રાજ્ય મંત્રીએ નારાજ કાર્યકરોને મનાવી લેવા પૂર્વ મહિલા કાઉન્સીલરનો ભોગ લીધો હોવાની ચર્ચા છે.
માંજલપુર વિધાનસભાના વોર્ડ-17ના ઉમેદવારોનુ નામ સત્તાવાર જાહેર થાય તે પહેલા જ સંભવીત ઉમેદવાર તરીકે શૈલેષ પાટીલના નામની ચર્ચાએ જોર પકડ્યું હતુ. તેવામાં વોર્ડ પ્રમુખથી લઇને અનેક દાવેદારો અને કાર્યકરોએ મોડી રાતથી જ શૈલેષ પાટીલના નામનો વિરોધ શરૂ કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારે વોર્ડના પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલના ઘરે રજૂઆત કરવામાં પહોંચ્યાં હતા. પરંતુ સી.આર પાટીલની પંસદગી હોવાથી મંત્રી યોગેશ પટેલ પણ કઇ રીતે વાંધો ઉઠાવે, જેથી તેઓ પણ દુવિધામાં ફસાયા હતા. શૈલેષ પટેલ ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો માનીતો હોવાની ચર્ચા છે.
શૈલેષ પાટીલનુ સત્તાવાર નામ જાહેર થયું ન હોવા છતાં તેના નામનો વિરોધ કરનાર નારાજ કાર્યકરો મોર્ચો લઇ આખરે ભાજપ કાર્યલય પર પહોંચ્યાં હતા. જ્યાં શહેર પ્રમુખ ડો. વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક અને મંત્રી યોગેશ પટેલ દ્વારા બંધ બારણે નારાજ કાર્યકરોને મનાવવા બેઠક કરી હતી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની પસંદગી સામે વાંધો ઉઠાવે કોણ અને નારાજ કાર્યકરોને કઇ રીતે મનાવવા તે સૌથી મોટો પ્રશ્ન હતો. તેવામાં મંત્રી યોગેશ પટેલે નારાજ કાર્યકરોને મનાવી લેવા પૂર્વ મહિલા કાઉન્સીલર ભાવિનાબહેન ચૌહાણના નામ પર ચેકડી ફેરવી દીધી હોવાની ચર્ચા ખુદ ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મિશન-76 પાર પાડવા માટે પાયાના કાર્યકરોને માત્ર ઝંડા જ પકડાવવામાં આવે છે અને નેતાઓના ઝભ્ભા પકડનારને ટિકિટ આપવામાં આવે છે તેવી પણ ચર્ચા ભાજપના નારાજ કાર્યકરોમાં ચર્ચાઇ રહીં છે.
વોર્ડ-17માં શૈલેષ પાટીલનુ નામ ગત મોડી રાતથી ચર્ચામાં આવતા વિરોધ વંટોળ શરૂ થયું હતુ.
વોર્ડ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકરો મોર્ચો લઇ મનુભાઇ ટાવર ખાતે પહોંચ્યાં હતા.
શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને મંત્રી યોગેશ પટેલની હાજરીમાં બંધ બારણે નારાજ કાર્યકરો સાથે મીટિંગ યોજાઇ અને પૂર્વ મહિલા કાઉન્સીલરનો ભોગ લેવાયો હોવાની ચર્ચા.
WatchGujarat. આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા આજે 6 મહાનગરોના 576 ઉમેદવારોની યાદી સત્તાવાર યાદી જાહેર કરી છે. જો કે, વડોદરાના વોર્ડ-17ના સંભવીત ઉમેદવારોમાં પ્રદેશ પ્રમુખની પંસદગીના ઉમેદવારનુ નામ ચર્ચામાં આવતા ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો. પ્રદેશ પ્રમુખની પસંદગી સામે વાંધો ન ઉઠાવી શકનાર શહેર સંગઠન અને રાજ્ય મંત્રીએ નારાજ કાર્યકરોને મનાવી લેવા પૂર્વ મહિલા કાઉન્સીલરનો ભોગ લીધો હોવાની ચર્ચા છે.
માંજલપુર વિધાનસભાના વોર્ડ-17ના ઉમેદવારોનુ નામ સત્તાવાર જાહેર થાય તે પહેલા જ સંભવીત ઉમેદવાર તરીકે શૈલેષ પાટીલના નામની ચર્ચાએ જોર પકડ્યું હતુ. તેવામાં વોર્ડ પ્રમુખથી લઇને અનેક દાવેદારો અને કાર્યકરોએ મોડી રાતથી જ શૈલેષ પાટીલના નામનો વિરોધ શરૂ કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારે વોર્ડના પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલના ઘરે રજૂઆત કરવામાં પહોંચ્યાં હતા. પરંતુ સી.આર પાટીલની પંસદગી હોવાથી મંત્રી યોગેશ પટેલ પણ કઇ રીતે વાંધો ઉઠાવે, જેથી તેઓ પણ દુવિધામાં ફસાયા હતા. શૈલેષ પટેલ ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો માનીતો હોવાની ચર્ચા છે.
શૈલેષ પાટીલનુ સત્તાવાર નામ જાહેર થયું ન હોવા છતાં તેના નામનો વિરોધ કરનાર નારાજ કાર્યકરો મોર્ચો લઇ આખરે ભાજપ કાર્યલય પર પહોંચ્યાં હતા. જ્યાં શહેર પ્રમુખ ડો. વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક અને મંત્રી યોગેશ પટેલ દ્વારા બંધ બારણે નારાજ કાર્યકરોને મનાવવા બેઠક કરી હતી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની પસંદગી સામે વાંધો ઉઠાવે કોણ અને નારાજ કાર્યકરોને કઇ રીતે મનાવવા તે સૌથી મોટો પ્રશ્ન હતો. તેવામાં મંત્રી યોગેશ પટેલે નારાજ કાર્યકરોને મનાવી લેવા પૂર્વ મહિલા કાઉન્સીલર ભાવિનાબહેન ચૌહાણના નામ પર ચેકડી ફેરવી દીધી હોવાની ચર્ચા ખુદ ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મિશન-76 પાર પાડવા માટે પાયાના કાર્યકરોને માત્ર ઝંડા જ પકડાવવામાં આવે છે અને નેતાઓના ઝભ્ભા પકડનારને ટિકિટ આપવામાં આવે છે તેવી પણ ચર્ચા ભાજપના નારાજ કાર્યકરોમાં ચર્ચાઇ રહીં છે.