WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સભાઓ ગજવવા કામે લગાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ હાલ સુષુપ્ત અવસ્થામાં પ્રચાર કરી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરના મહેમાન બનશે. તરસાલીમાં સભા ગજવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં જોતરાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવવા માટે સ્ટાર પ્રચારકોની ફોજ ઉજારવામાં આવશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં સીએમ વિજય રૂપાણી, સી. આર. પાટીલ સહિતના જાણીતા નેતો છે.
વડોદરામાં અગામી દિવસમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી અલગ અલગ દિવસે વિવિધ વિસ્તારોમાં સભા ગજવશે અને મતદારોને આકર્ષવાના પ્રયાસ કરશે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરસાલી, નિઝામપુરા અને સંગમ ચાર રસ્તા ખાતે સભા ગજવશે.
16 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ શહેરના મહેમાન બનશે. સી. આર. પાટીલ ઝાંસીની રાણી સર્કલ અને ખંડેરાવ માર્કેટ ખાતે જાહેર સભા કરશે.
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સભાઓ ગજવવા કામે લગાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ હાલ સુષુપ્ત અવસ્થામાં પ્રચાર કરી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરના મહેમાન બનશે. તરસાલીમાં સભા ગજવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં જોતરાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવવા માટે સ્ટાર પ્રચારકોની ફોજ ઉજારવામાં આવશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં સીએમ વિજય રૂપાણી, સી. આર. પાટીલ સહિતના જાણીતા નેતો છે.
વડોદરામાં અગામી દિવસમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી અલગ અલગ દિવસે વિવિધ વિસ્તારોમાં સભા ગજવશે અને મતદારોને આકર્ષવાના પ્રયાસ કરશે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરસાલી, નિઝામપુરા અને સંગમ ચાર રસ્તા ખાતે સભા ગજવશે.
16 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ શહેરના મહેમાન બનશે. સી. આર. પાટીલ ઝાંસીની રાણી સર્કલ અને ખંડેરાવ માર્કેટ ખાતે જાહેર સભા કરશે.