Covid-19 રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવાનુ વધુ એક કૌભાંડ, 4 સામે નોંધાયો ગુનો
દંપતિના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવા છતાં બોગસ પોઝિટીવ રિપોર્ટ બનાવ્યા
બાલાજી હોસ્પિટલના સંચાલક અને દ્વારકેશ લેબની વધુ એક વખત સંડોવણી સામે આવી
ન્યૂબર્ગ લેબોરેટરીની તપાસમાં પતિ – પત્નીનો કોવિડ-19 રિપોર્ટ બનાવટી હોવાની ખુલ્યું
ગોત્રી પોલીસે બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના રિપલ મિશ્રા સહીત ચાર સામે ગુનો નોંધ્યો
જેલમાંથી ચારેય આરોપીઓનો ટ્રાન્સફર વોરન્ટના આધારે ગોત્રી પોલીસ કબજો મેળવી વધુ પુછપરછ હાથ ધરશે
WatchGujarat. રાજ્યમાં પ્રથમ વખત કોવિડ-19ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવાના કૌભાંડ મામલે જે.પી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે વાઘોડીયાની બાલાજી હોસ્પિટલના સંચાલક, દ્વારકેશ લેબના રિપલ મિશ્રા, મિતેશ પ્રજાપતિ અને વચેટીયાની ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ દરમિયાન ટોળકી દ્વારા આચરવામાં આવેલુ વધુ એક કૌભાંડ મામલે ગોત્રી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જેતલપુર રોડ પર આવેલા ન્યૂબર્ગ લેબોરેટરી ખાતે ગત તા. 8 જાન્યુઆરીના રોજ એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ મેડિક્લેમ (HDFC ERGO HEALTH MEDICLAIM) કંપનીમાંથી કોવિડ-19 (Covid-19) ત્રણ રિપોર્ટ ચકાસણી માટે આવ્યાં હતા. જેની તપાસ કરતા મિતેશકુમાર પ્રજાપતિ અને તેમના પત્ની જ્યોતિબહેનનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે ચકાસણી માટે આવેલા રિપોર્ટ જોતા તેમા છેડાછેડ કરી નેગેટીવ રિપોર્ટને પોઝિટીવ બનાવવામાં આવ્યુ માલુમ પડ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, ગત તા. 8 જાન્યુઆરીના રોજ જે.પી પોલીસ સ્ટેશન ખાતે કોવિડ-19ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે પોલીસ તપાસ કરતા મીતેશકુમાર પ્રજાપિત, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા અને વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મુખ્યસૂત્રધાર મીતેશકુમારની પુછપરછ કરતા ઉપરોક્ત બનાવ અંગેની તમામ હકિકત બહાર આવી હતી.
જેમાં એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા પ્રવિણકુમાર પરમાર પાસે મીતેશ પ્રજાપતિએ કોવિડ-19નો ઇન્શ્યોરન્સ કઢાવ્યો હતો. ઇન્શ્યોરન્સના રૂપિયા મેળવવા માટે ટોળકીએ બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીના સંચાલકની મદદથી ખોટા અને બનાવટી રિપોર્ટ તૈયાર કરી મીતેશ અને તેની પત્નીના કોરોના રિપોર્ટ નેગેટીવ હોવા છતાં પોઝિટીવ બનાવી મેડિક્લેમ પાસ કરાવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. દંપત્તિએ વડોદરામાં એક પણ દિવસ આવ્યા વગર અને સારવાર લીધા વગર બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા.
જેથી આ મામલે જે.પી પોલીસ સ્ટેશન બાદ ગોત્રી પોલીસે દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના એજન્ટ પ્રવિણકુમાર પરમાર અને મીતેશ પ્રજાપતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, જે.પી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રથમ ગુનામાં ચારેય શખ્સની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસ ચારેયાના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા હતા. તેવામાં આ ટોળકી સામે વધુ એક ગુનો નોંધાતા ગોત્રી પોલીસ તમામનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવી વધુ તપાસ હાથ ધરશે.
Covid-19 રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવાનુ વધુ એક કૌભાંડ, 4 સામે નોંધાયો ગુનો
દંપતિના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવા છતાં બોગસ પોઝિટીવ રિપોર્ટ બનાવ્યા
બાલાજી હોસ્પિટલના સંચાલક અને દ્વારકેશ લેબની વધુ એક વખત સંડોવણી સામે આવી
WatchGujarat. રાજ્યમાં પ્રથમ વખત કોવિડ-19ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવાના કૌભાંડ મામલે જે.પી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે વાઘોડીયાની બાલાજી હોસ્પિટલના સંચાલક, દ્વારકેશ લેબના રિપલ મિશ્રા, મિતેશ પ્રજાપતિ અને વચેટીયાની ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ દરમિયાન ટોળકી દ્વારા આચરવામાં આવેલુ વધુ એક કૌભાંડ મામલે ગોત્રી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જેતલપુર રોડ પર આવેલા ન્યૂબર્ગ લેબોરેટરી ખાતે ગત તા. 8 જાન્યુઆરીના રોજ એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ મેડિક્લેમ (HDFC ERGO HEALTH MEDICLAIM) કંપનીમાંથી કોવિડ-19 (Covid-19) ત્રણ રિપોર્ટ ચકાસણી માટે આવ્યાં હતા. જેની તપાસ કરતા મિતેશકુમાર પ્રજાપતિ અને તેમના પત્ની જ્યોતિબહેનનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે ચકાસણી માટે આવેલા રિપોર્ટ જોતા તેમા છેડાછેડ કરી નેગેટીવ રિપોર્ટને પોઝિટીવ બનાવવામાં આવ્યુ માલુમ પડ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, ગત તા. 8 જાન્યુઆરીના રોજ જે.પી પોલીસ સ્ટેશન ખાતે કોવિડ-19ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે પોલીસ તપાસ કરતા મીતેશકુમાર પ્રજાપિત, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા અને વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મુખ્યસૂત્રધાર મીતેશકુમારની પુછપરછ કરતા ઉપરોક્ત બનાવ અંગેની તમામ હકિકત બહાર આવી હતી.
જેમાં એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા પ્રવિણકુમાર પરમાર પાસે મીતેશ પ્રજાપતિએ કોવિડ-19નો ઇન્શ્યોરન્સ કઢાવ્યો હતો. ઇન્શ્યોરન્સના રૂપિયા મેળવવા માટે ટોળકીએ બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીના સંચાલકની મદદથી ખોટા અને બનાવટી રિપોર્ટ તૈયાર કરી મીતેશ અને તેની પત્નીના કોરોના રિપોર્ટ નેગેટીવ હોવા છતાં પોઝિટીવ બનાવી મેડિક્લેમ પાસ કરાવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. દંપત્તિએ વડોદરામાં એક પણ દિવસ આવ્યા વગર અને સારવાર લીધા વગર બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા.
જેથી આ મામલે જે.પી પોલીસ સ્ટેશન બાદ ગોત્રી પોલીસે દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના એજન્ટ પ્રવિણકુમાર પરમાર અને મીતેશ પ્રજાપતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, જે.પી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રથમ ગુનામાં ચારેય શખ્સની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસ ચારેયાના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા હતા. તેવામાં આ ટોળકી સામે વધુ એક ગુનો નોંધાતા ગોત્રી પોલીસ તમામનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવી વધુ તપાસ હાથ ધરશે.