કરજણ જળાશય યોજનાની જમણા કાંઠાની મુખ્ય નહેરની કામગીરીમાં વેઠ ઉતારાતી
ખૂબ જ ખરાબ કામ થઈ રહ્યું હોય ખેડૂતોના હિતમાં ગુણવત્તા યુક્ત કામ કરવા CM ને પત્ર લખી રજુઆત
4 દિવસ પહેલા જ સાંસદે કામગીરીની સ્થળ મુલાકાત લઈ અધકારીઓને સારું કામ કરવા તતડાવ્યા
WatchGujarat. સાંસદ મનસુખ વસાવાએ 4 દિવસ પહેલા જ નહેરની કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. હલકી અને ખરાબ થઈ રહેલી કામગીરી અંગે સાંસદે અધિકારીઓને તતડાવી ગુણવક્તાયુક્ત કામગીરી કરવા ટકોર પણ કરી હતી. સાંસદ દ્વારા નબળી કામગીરીને પગલે રોષ પ્રગટ કરતો પત્ર સીએમ રૂપાણીને લખ્યો હતો. જેને લઇને રાજકીય મોરચે ખળભળાય મચી જવા પામ્યો હતો. મનસુખ વસાવા અગાઉ પણ અનેક વખત સરકારી કામગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો.
https://twitter.com/MansukhbhaiMp/status/1385918309439205379?s=20
કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરનું બાંધકામનું કામ જીતગઢ થી ગુવાર સુધી ચાલી રહયું છે. આ કામ કરોડો રૂપિયાના ખર્ચે થનાર છે. છેલ્લા 10 વર્ષથી કેનાલ અનેક જગ્યાએથી તૂટી જવાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હતું અને ઘણા વર્ષો પછી નવેસરથી આ કેનાલોનું કામ થઈ રહયું છે. તો પાછલા વર્ષોની જેમ ફરી કેનાલના કામમાં તકલાદી કામગીરી ન થાય અને કામની ગુણવતા સારી જળવાય રહે તથા ફરી ખેડૂતોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતને ધ્યાનમાં રાખી સાંસદ સ્થળ પર મુલાકાત લેવા ગયા હતા.
વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતોઓએ હાલમાં કેનાલના કામમાં પીચિંગ કરવાનું કામ ચાલુ છે, તેમાં બરાબર પાણી છાંટવામાં આવતું નથી અને તેના લીધે કામની બરાબર ગુણવતા જળવાતી નથી સહિતની MP મનસુખ વસાવાને રજુઆત કરાઈ હતી. રજુઆતને ધ્યાને રાખીને ભરૂચના સાંસદ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના આગેવાનો તથા ભાજપ અગ્રણીઓ સાથે આ કેનાલના કામનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
સાંસદે રજુઆત કરનાર ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવે. અને કામ બરાબર થાય અને કામની ગુણવત્તા જળવાય રહે, બરાબર પાણી છાંટવામાં આવે તથા ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોના હિતમાં કેનાલનું કામ સારૂ અને ગુણવત્તાવાળું કરવામાં આવે, તે માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરીશુ.
સાંસદ એ અધિકારીઓને કામગીરી યોગ્ય કરવા ટકોર છતાં કોઈ સુધારો નહીં થતા શનિવારે CM વિજય રૂપાણી ને પત્ર લખી કામગીરીનું જાત નિરીક્ષણ સહિત તમામ હકીકતથી અવગત કર્યા હતા.
MP એ CM ને રજુઆત કરી છે કે, કામગીરીમાં મારા સ્થળ નિરીક્ષણ બાદ પણ જે સુધારો કરવો જોઈએ એ કરાયો નથી. હજી પણ ખૂબ જ ખરાબ કામ થઈ રહ્યું છે. કેનાલની કામગીરીમાં સુધારો કરાઈ અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે પોતાના સ્તરે થી યોગ્ય કરવા CM ને જણાવ્યું છે.
કરજણ જળાશય યોજનાની જમણા કાંઠાની મુખ્ય નહેરની કામગીરીમાં વેઠ ઉતારાતી
ખૂબ જ ખરાબ કામ થઈ રહ્યું હોય ખેડૂતોના હિતમાં ગુણવત્તા યુક્ત કામ કરવા CM ને પત્ર લખી રજુઆત
4 દિવસ પહેલા જ સાંસદે કામગીરીની સ્થળ મુલાકાત લઈ અધકારીઓને સારું કામ કરવા તતડાવ્યા
WatchGujarat. સાંસદ મનસુખ વસાવાએ 4 દિવસ પહેલા જ નહેરની કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. હલકી અને ખરાબ થઈ રહેલી કામગીરી અંગે સાંસદે અધિકારીઓને તતડાવી ગુણવક્તાયુક્ત કામગીરી કરવા ટકોર પણ કરી હતી. સાંસદ દ્વારા નબળી કામગીરીને પગલે રોષ પ્રગટ કરતો પત્ર સીએમ રૂપાણીને લખ્યો હતો. જેને લઇને રાજકીય મોરચે ખળભળાય મચી જવા પામ્યો હતો. મનસુખ વસાવા અગાઉ પણ અનેક વખત સરકારી કામગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો.
કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરનું બાંધકામનું કામ જીતગઢ થી ગુવાર સુધી ચાલી રહયું છે. આ કામ કરોડો રૂપિયાના ખર્ચે થનાર છે. છેલ્લા 10 વર્ષથી કેનાલ અનેક જગ્યાએથી તૂટી જવાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હતું અને ઘણા વર્ષો પછી નવેસરથી આ કેનાલોનું કામ થઈ રહયું છે. તો પાછલા વર્ષોની જેમ ફરી કેનાલના કામમાં તકલાદી કામગીરી ન થાય અને કામની ગુણવતા સારી જળવાય રહે તથા ફરી ખેડૂતોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતને ધ્યાનમાં રાખી સાંસદ સ્થળ પર મુલાકાત લેવા ગયા હતા.
વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતોઓએ હાલમાં કેનાલના કામમાં પીચિંગ કરવાનું કામ ચાલુ છે, તેમાં બરાબર પાણી છાંટવામાં આવતું નથી અને તેના લીધે કામની બરાબર ગુણવતા જળવાતી નથી સહિતની MP મનસુખ વસાવાને રજુઆત કરાઈ હતી. રજુઆતને ધ્યાને રાખીને ભરૂચના સાંસદ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના આગેવાનો તથા ભાજપ અગ્રણીઓ સાથે આ કેનાલના કામનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
સાંસદે રજુઆત કરનાર ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવે. અને કામ બરાબર થાય અને કામની ગુણવત્તા જળવાય રહે, બરાબર પાણી છાંટવામાં આવે તથા ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોના હિતમાં કેનાલનું કામ સારૂ અને ગુણવત્તાવાળું કરવામાં આવે, તે માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરીશુ.
સાંસદ એ અધિકારીઓને કામગીરી યોગ્ય કરવા ટકોર છતાં કોઈ સુધારો નહીં થતા શનિવારે CM વિજય રૂપાણી ને પત્ર લખી કામગીરીનું જાત નિરીક્ષણ સહિત તમામ હકીકતથી અવગત કર્યા હતા.
MP એ CM ને રજુઆત કરી છે કે, કામગીરીમાં મારા સ્થળ નિરીક્ષણ બાદ પણ જે સુધારો કરવો જોઈએ એ કરાયો નથી. હજી પણ ખૂબ જ ખરાબ કામ થઈ રહ્યું છે. કેનાલની કામગીરીમાં સુધારો કરાઈ અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે પોતાના સ્તરે થી યોગ્ય કરવા CM ને જણાવ્યું છે.