વધારે પૈસાની લાલચે ખાનગી કંપનીના મેનેજરને તાંત્રિકે ચુનો ચોપડ્યો
વિશ્વાસમાં લેવા માટે એક પ્રયોગ બતાવ્યા બાદ તાંત્રિકે અનેક વખત પૈસા ખંખેર્યા
મેનેજરે પૈસા આપવાનું બંધ કરતા તાંત્રિકે વિધી કરી નાંખવાની ધમકી આપી
WatchGujarat. વડોદરાથી ઉજ્જૈનમાં દર્શનાર્થે ગયેલા ખાનગી કંપનીના એક મેનેજરે ઘંઘો વધારવાની લાલચે લોટ માંથી કંકુ બનાવી ચમત્કાર બતાવનાર તાંત્રિકના ચક્કરમાં ફસાતાં રૂ. 21.31 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વધુ પૈસા પડાવવા માટે તાંત્રિક દ્વારા ઘમકી આપવામાં આવતી હોવાને કારણે આખરે છેતરાયેલા શખ્સે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
[caption id="attachment_489667" align="aligncenter" width="1280"] આરોપી રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ (તાંત્રિક)[/caption]
પોલીસ ફરિયાદ અનુસાર, અકોટા વિસ્તારમાં અનુરાગ સોસાયટીમાં સિદ્ધાર્થ શર્મા રહે છે. અને તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ૩ ડિસેમ્બરના રોજ તેઓ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતા. દરમિયાન દિનેશ સોલંકી નામના રિક્ષાચાલકે સિદ્ધાર્થને ઘંધો વધારી આપવામાં મદદ કરતા ઉજ્જૈનના એક તાંત્રિક બાબા વિશે વાત કરી હતી.
ત્યાર બાદ સિદ્ધાર્થ અને રીક્ષા ચાલક, રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ નામના તાંત્રિક ને મળવા માટે ગયા હતા. તાંત્રિકે સિદ્ધાર્થને લોટમાંથી કંકુ બનાવી બતાવ્યું હતું. ઉપરાંત સિદ્ધાર્થના ખિસ્સામાંથી રૂ 10ની નોટ ચાદરમાં પકડાવી જાદર ઊંચી કરતા તેના હાથમાં રૂ 110 આવ્યા હતા. જેથી સિદ્ધાર્થ તાંત્રિકથી પ્રભાવિત થઈ ગયો હતો.
સિદ્ધાર્થ શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તાંત્રિક બાબા એ મને મોટો લાભ કરાવવા માટે સ્મશાનમાંથી તાંત્રિક વિધિ કરી આદેશ લેવો પડશે તેમ કહ્યું હતું. બીજા દિવસે દિનેશ સોલંકી કાર લઇ હોટેલ પર આવ્યો હતો અને તાંત્રિક બાબા ને ત્યાં લઈ ગયો હતો.
ત્યાંથી તાંત્રિક બાબા મને અને દિનેશને તેમજ અન્ય બે જણા ને લઇ નદી ના કિનારે લઈ ગયા હતા અને ત્યાં દસથી બાર ડુબકી મરાવી હતી. તેમણે કહ્યું હતું કે માં ભગવતી નો સંકલ્પ કર્યો છે એટલે રૂ. 31,000 દક્ષિણા આપવી પડશે. જેના પૈસા ગૂગલ પે મારફતે ચુકવ્યા હતા. મારી તબિયત ખરાબ થવાને કારણે બીજા દિવસે તાંત્રિક રાજ્યગુરુ, દિનેશ તેમજ અન્ય બે જણા નંબર વગરની કારમાં મારી સાથે વડોદરા આવ્યા હતા અને વડોદરાની એક હોટેલમાં રોકાયા હતા.
જેનો ખર્ચો મેં કર્યો હતો. તેમણે મારા ઘરે આવી મારી પત્ની અને પિતાની સામે લોટ માંથી કંકુ બનાવી ચમત્કાર બતાવ્યો હતો. તાંત્રિકે તમારે ઉજ્જૈન આવવું પડશે તેમ કહી દક્ષિણા પેટે 30 હજારની માંગણી કરતા આ રકમ પણ ચૂકવી હતી. ત્યાર બાદ તાંત્રિકે વિધી, પુજા, જેવા જુદા જુદા બહાને શિક્ષીત યુવક પાસેથી વિવિધ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન કુલ રૂ. 21.31 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
તેમ છત્તા ઉજ્જૈન ગયા બાદ તાંત્રિક તેમજ તેના સાગરિતોએ એકાઉન્ટમાં રકમ જમા કરાવવા માટે વારંવાર માંગણી કરતા અમને આશ્ચર્ય થયું હતું. રૂપિયા નહીં મોકલતાં તરીકે વિધિ કરીને આખું ખાનદાન સાફ કરી દઈશ તેવી ધમકી આપી હતી. તાંત્રિક દ્વારા વારંવાર અપાતી ઘમકીઓથી ત્રસ્ત સિદ્ધાર્થ શર્માએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બનાવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાંત્રિક તેમજ રીક્ષા ચાલક સહિત ચાર જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ નામના તાંત્રિકની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી છે.
વધારે પૈસાની લાલચે ખાનગી કંપનીના મેનેજરને તાંત્રિકે ચુનો ચોપડ્યો
વિશ્વાસમાં લેવા માટે એક પ્રયોગ બતાવ્યા બાદ તાંત્રિકે અનેક વખત પૈસા ખંખેર્યા
મેનેજરે પૈસા આપવાનું બંધ કરતા તાંત્રિકે વિધી કરી નાંખવાની ધમકી આપી
WatchGujarat. વડોદરાથી ઉજ્જૈનમાં દર્શનાર્થે ગયેલા ખાનગી કંપનીના એક મેનેજરે ઘંઘો વધારવાની લાલચે લોટ માંથી કંકુ બનાવી ચમત્કાર બતાવનાર તાંત્રિકના ચક્કરમાં ફસાતાં રૂ. 21.31 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વધુ પૈસા પડાવવા માટે તાંત્રિક દ્વારા ઘમકી આપવામાં આવતી હોવાને કારણે આખરે છેતરાયેલા શખ્સે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર, અકોટા વિસ્તારમાં અનુરાગ સોસાયટીમાં સિદ્ધાર્થ શર્મા રહે છે. અને તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ૩ ડિસેમ્બરના રોજ તેઓ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતા. દરમિયાન દિનેશ સોલંકી નામના રિક્ષાચાલકે સિદ્ધાર્થને ઘંધો વધારી આપવામાં મદદ કરતા ઉજ્જૈનના એક તાંત્રિક બાબા વિશે વાત કરી હતી.
ત્યાર બાદ સિદ્ધાર્થ અને રીક્ષા ચાલક, રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ નામના તાંત્રિક ને મળવા માટે ગયા હતા. તાંત્રિકે સિદ્ધાર્થને લોટમાંથી કંકુ બનાવી બતાવ્યું હતું. ઉપરાંત સિદ્ધાર્થના ખિસ્સામાંથી રૂ 10ની નોટ ચાદરમાં પકડાવી જાદર ઊંચી કરતા તેના હાથમાં રૂ 110 આવ્યા હતા. જેથી સિદ્ધાર્થ તાંત્રિકથી પ્રભાવિત થઈ ગયો હતો.
સિદ્ધાર્થ શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તાંત્રિક બાબા એ મને મોટો લાભ કરાવવા માટે સ્મશાનમાંથી તાંત્રિક વિધિ કરી આદેશ લેવો પડશે તેમ કહ્યું હતું. બીજા દિવસે દિનેશ સોલંકી કાર લઇ હોટેલ પર આવ્યો હતો અને તાંત્રિક બાબા ને ત્યાં લઈ ગયો હતો.
ત્યાંથી તાંત્રિક બાબા મને અને દિનેશને તેમજ અન્ય બે જણા ને લઇ નદી ના કિનારે લઈ ગયા હતા અને ત્યાં દસથી બાર ડુબકી મરાવી હતી. તેમણે કહ્યું હતું કે માં ભગવતી નો સંકલ્પ કર્યો છે એટલે રૂ. 31,000 દક્ષિણા આપવી પડશે. જેના પૈસા ગૂગલ પે મારફતે ચુકવ્યા હતા. મારી તબિયત ખરાબ થવાને કારણે બીજા દિવસે તાંત્રિક રાજ્યગુરુ, દિનેશ તેમજ અન્ય બે જણા નંબર વગરની કારમાં મારી સાથે વડોદરા આવ્યા હતા અને વડોદરાની એક હોટેલમાં રોકાયા હતા.
જેનો ખર્ચો મેં કર્યો હતો. તેમણે મારા ઘરે આવી મારી પત્ની અને પિતાની સામે લોટ માંથી કંકુ બનાવી ચમત્કાર બતાવ્યો હતો. તાંત્રિકે તમારે ઉજ્જૈન આવવું પડશે તેમ કહી દક્ષિણા પેટે 30 હજારની માંગણી કરતા આ રકમ પણ ચૂકવી હતી. ત્યાર બાદ તાંત્રિકે વિધી, પુજા, જેવા જુદા જુદા બહાને શિક્ષીત યુવક પાસેથી વિવિધ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન કુલ રૂ. 21.31 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
તેમ છત્તા ઉજ્જૈન ગયા બાદ તાંત્રિક તેમજ તેના સાગરિતોએ એકાઉન્ટમાં રકમ જમા કરાવવા માટે વારંવાર માંગણી કરતા અમને આશ્ચર્ય થયું હતું. રૂપિયા નહીં મોકલતાં તરીકે વિધિ કરીને આખું ખાનદાન સાફ કરી દઈશ તેવી ધમકી આપી હતી. તાંત્રિક દ્વારા વારંવાર અપાતી ઘમકીઓથી ત્રસ્ત સિદ્ધાર્થ શર્માએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બનાવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાંત્રિક તેમજ રીક્ષા ચાલક સહિત ચાર જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ નામના તાંત્રિકની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી છે.