શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી
કાર આગળ પાછળથી ચગદાઇ જતા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
કારમાં બેઠેલા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તમામ પોતાની સીટ પર જ ઢળી પડ્યા
પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી
WatchGujarat. શહેર નજીકથી પસાર થતા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ઘટનામાં સુરતથી અમદાવાદ તરફ કારમાં જઇ રહેલા ત્રણ યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મામલે પોલીસને જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
https://youtu.be/2seRdGvpbe8
શહેર નજીકથી સુરતથી અમદાવાદ તરફ જવા માટેનો હાઇવે પસાર થાય છે. હાઇવે પર લોકોની ચુકના કારણે અનેક વખત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. કારમાં અમદાવાદ તરફ જઇ રહેલા યુવકને અકસ્માત નડતા સવાર ત્રણના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શનિવારે વહેલી સવારે અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36) (રહે- પરા સુખ મંદિર રો-હાઉસ, ઓલપાડ રોડ) સંજયભાઇ ઉર્ફ ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) (રહે -, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42) (રહે – તા.મહુવા, ભાંભણીયા ગામ) કારમાં સુરતથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન કાર વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ચાલકને ઝોકું આવી જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ઝડપમાં ચાલતી કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવવતા કાર ડિવાઇડર કુદીને સામેની લેનમાં જતી રહી હતી.
કાર કુદીને સામેની લેનમાં જતા અમદાવાદથી સુરત તરફ જઇ રહેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી. કાર ભટકાવવાને કારણે ધડાકા જેવો અવાજ આવતા આસપાસના લોકો તાત્કાલિક અવાજની દિશામાં દોડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર આગળ અને પાછળ બંને તરફથી ચગદાઇ ગઇ હતી. અને કારમાં બેઠેલા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તમામ પોતાની સીટ પર જ ઢળી પડ્યા હતા. કારના બોનેટનો ભાગ અંદર તરફ આવી જતા આગળ બેઠેલા લોકોનો મૃતદેહ ફસાયો હતો.
કારનું બોનેટ ચગદાઇ જવાને કારણે મૃતદેહો બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
ઘટનાની જાણ થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કાર આગળથી વધારે ચગદાઇ જવાને કારણે આગળ બેઠેલા વ્યક્તિઓનો મૃતદેહ સરળતાથી કાઢી શકાય તેમ ન હતું. એટલે પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા બાદ તમામને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરીને ઘટના અંગે તેમના પરિજનોને જાણ કરી
પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારમાં સવાર લોકોના દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરીને ઘટના અંગે તેમના પરિજનોને જાણ કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફીક જામ થતા પોલીસે ટ્રાફિકનું નિયમન કર્યું હતું. ઘટના જાણ થતા જ પરિજનો તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. પાણીગેટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી
કાર આગળ પાછળથી ચગદાઇ જતા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
કારમાં બેઠેલા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તમામ પોતાની સીટ પર જ ઢળી પડ્યા
પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી
WatchGujarat. શહેર નજીકથી પસાર થતા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ઘટનામાં સુરતથી અમદાવાદ તરફ કારમાં જઇ રહેલા ત્રણ યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મામલે પોલીસને જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
શહેર નજીકથી સુરતથી અમદાવાદ તરફ જવા માટેનો હાઇવે પસાર થાય છે. હાઇવે પર લોકોની ચુકના કારણે અનેક વખત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. શનિવારે વહેલી સવારે કપુરાઇ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. કારમાં અમદાવાદ તરફ જઇ રહેલા યુવકને અકસ્માત નડતા સવાર ત્રણના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શનિવારે વહેલી સવારે અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36) (રહે- પરા સુખ મંદિર રો-હાઉસ, ઓલપાડ રોડ) સંજયભાઇ ઉર્ફ ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) (રહે -, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42) (રહે – તા.મહુવા, ભાંભણીયા ગામ) કારમાં સુરતથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન કાર વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ચાલકને ઝોકું આવી જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ઝડપમાં ચાલતી કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવવતા કાર ડિવાઇડર કુદીને સામેની લેનમાં જતી રહી હતી.
કાર કુદીને સામેની લેનમાં જતા અમદાવાદથી સુરત તરફ જઇ રહેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી. કાર ભટકાવવાને કારણે ધડાકા જેવો અવાજ આવતા આસપાસના લોકો તાત્કાલિક અવાજની દિશામાં દોડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર આગળ અને પાછળ બંને તરફથી ચગદાઇ ગઇ હતી. અને કારમાં બેઠેલા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તમામ પોતાની સીટ પર જ ઢળી પડ્યા હતા. કારના બોનેટનો ભાગ અંદર તરફ આવી જતા આગળ બેઠેલા લોકોનો મૃતદેહ ફસાયો હતો.
કારનું બોનેટ ચગદાઇ જવાને કારણે મૃતદેહો બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
ઘટનાની જાણ થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કાર આગળથી વધારે ચગદાઇ જવાને કારણે આગળ બેઠેલા વ્યક્તિઓનો મૃતદેહ સરળતાથી કાઢી શકાય તેમ ન હતું. એટલે પોલીસે મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા બાદ તમામને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરીને ઘટના અંગે તેમના પરિજનોને જાણ કરી
પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારમાં સવાર લોકોના દસ્તાવેજોના આધારે તેમની ઓળખ કરીને ઘટના અંગે તેમના પરિજનોને જાણ કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફીક જામ થતા પોલીસે ટ્રાફિકનું નિયમન કર્યું હતું. ઘટના જાણ થતા જ પરિજનો તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. પાણીગેટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.