છેલ્લા બેથી ત્રણ અઠવાડીયામાં રાજ્યામાં કોરોના કેસોની સંખ્યા વધતા દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમ વડોદરા પહોંચી
ચૂંટણી અને તહેવારનો કારણે કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનુ કેન્દ્રની ટીમનુ અનુમાન
અમદાવાદની મુલાકાત બાદ કેન્દ્રની ટીમ વડોદરા પહોંચી હતી.
ટીમ દ્વારા સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ સહિત કન્ટેનમેન્ટ ઝોનની પણ મુલાકાત લેવામાં આવી
કોરોનાના દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે તેનુ કારણ જાણવા અમે ગુજરાત આવ્યા છે – ડો. કપૂર ચંદ્રા
WatchGujarat. છેલ્લા એક મહિના જેટલા સમયથી ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓ દરમિયાન થયેલા મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઇ રહ્યા હતા. સરકારની કોરોનાની ગાઇડલાઇનને રાજકીય પક્ષો જાણે ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો આપણે જોયા છે. ત્યારે હવે છેલ્લા બે થી ત્રણ અઠવાડીયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં એકા એક વધારો નોંધાતા કેન્દ્રની ટીમ તાત્કાલીક ગુજરાત પહોંચી હતી.
ગુજરાતમાં એકા એક કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની ટીમ અમદાવાદ બાદ આજે વડોદરા પહોંચી હતી. જ્યાં સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ શહેરના કન્ટેનમેન્ટ ઝોન અને દર્દીઓની આપવામાં આવી સારવાર અંગેની પણ આ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જો કે, દિલ્હીની આ ટીમને હોસ્પિટલમાં કોઇ ક્ષતિઓ જણાઇ આવી ન હોવાનુ ડો. કપૂર ચંદ્રાએ જણાવ્યું હતુ.
ડો. કપૂર ચંદ્રાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાઓમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાય છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી ત્રણ સભ્યોની ટીમ ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યાનુ નિરીક્ષણ કરવા આવી છે. વડોદરામાં સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દર્દીઓને કઇ રીતે સારવાર આપવામાં આવી રહી છે, તથા PPE કીટ તેમજ સારવારની સમગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓની સાર સંભાળ અને સારવાર આપવાની પદ્ધતિમાં કોઇ ક્ષતિ જણાઇ આવી નથી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારી ટીમ દ્વારા શહેરના કન્ટેનમેન્ટ ઝોનની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. તેમજ ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લઇ વધી રહેલા કોરોના કેસોનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતમાં જે રીતે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનુ કારણ જાણવા ખાસ ટીમ ગુજરતા આવી પહોંચી છે.
છેલ્લા બેથી ત્રણ અઠવાડીયામાં રાજ્યામાં કોરોના કેસોની સંખ્યા વધતા દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમ વડોદરા પહોંચી
ચૂંટણી અને તહેવારનો કારણે કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો હોવાનુ કેન્દ્રની ટીમનુ અનુમાન
અમદાવાદની મુલાકાત બાદ કેન્દ્રની ટીમ વડોદરા પહોંચી હતી.
ટીમ દ્વારા સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ સહિત કન્ટેનમેન્ટ ઝોનની પણ મુલાકાત લેવામાં આવી
કોરોનાના દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે તેનુ કારણ જાણવા અમે ગુજરાત આવ્યા છે – ડો. કપૂર ચંદ્રા
WatchGujarat. છેલ્લા એક મહિના જેટલા સમયથી ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓ દરમિયાન થયેલા મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઇ રહ્યા હતા. સરકારની કોરોનાની ગાઇડલાઇનને રાજકીય પક્ષો જાણે ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો આપણે જોયા છે. ત્યારે હવે છેલ્લા બે થી ત્રણ અઠવાડીયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં એકા એક વધારો નોંધાતા કેન્દ્રની ટીમ તાત્કાલીક ગુજરાત પહોંચી હતી.
ગુજરાતમાં એકા એક કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની ટીમ અમદાવાદ બાદ આજે વડોદરા પહોંચી હતી. જ્યાં સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ શહેરના કન્ટેનમેન્ટ ઝોન અને દર્દીઓની આપવામાં આવી સારવાર અંગેની પણ આ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જો કે, દિલ્હીની આ ટીમને હોસ્પિટલમાં કોઇ ક્ષતિઓ જણાઇ આવી ન હોવાનુ ડો. કપૂર ચંદ્રાએ જણાવ્યું હતુ.
ડો. કપૂર ચંદ્રાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાઓમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાય છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી ત્રણ સભ્યોની ટીમ ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યાનુ નિરીક્ષણ કરવા આવી છે. વડોદરામાં સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દર્દીઓને કઇ રીતે સારવાર આપવામાં આવી રહી છે, તથા PPE કીટ તેમજ સારવારની સમગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓની સાર સંભાળ અને સારવાર આપવાની પદ્ધતિમાં કોઇ ક્ષતિ જણાઇ આવી નથી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારી ટીમ દ્વારા શહેરના કન્ટેનમેન્ટ ઝોનની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. તેમજ ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લઇ વધી રહેલા કોરોના કેસોનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતમાં જે રીતે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનુ કારણ જાણવા ખાસ ટીમ ગુજરતા આવી પહોંચી છે.