બાળકોમાં કોરોના પોઝીટીવ કેસો આવતા તંત્ર એલર્ટ બન્યું
બાળકોના માતા – પિતા અને કેરટેકર પણ સંક્રમિત હોવાની વાત ધ્યાને આવી
એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું
સમગ્ર મામલે એક્સપર્ટ તબિબોની સઘન દેખરેખ
WatchGujarat. કોરોનાના સંક્રમણનો ફેલાવો હવે નવી રીતે થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. કોરોના હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. છેલ્લા 5 – 6 દિવસથી એસએસજી હોસ્પિટલમાં સરેરાશ પાંચ જેટલા બાળકોમાં કોરોનાનું સંક્રમણ સામે આવતા હવે તંત્ર એલર્ટ બન્યું છે. અને હવે એસએસજી હોસ્પિટલ ખાતે બાળકોની સારવાર માટે વિશેષ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે.
https://youtu.be/O2M5HwNdS2g
બાળકોમાં વધી રહેલા સંક્રમણ અંતે માહિતી આપતા એસએસજી હોસ્પિટલના પેડીયાટ્રીક ડિપાર્ટમેન્ટના હેડ ડો. શિલા ઐયરે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 – 6 દિવસથી એસએસજી હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા બાળકોમાં સરેરાશ 5 બાળકોમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ જોવા મળ્યું છે. જેને લઇને તંત્ર એલર્ટ છે. તાજેતરમાં બાળકોની સારવાર અર્થે વિશેષ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે. અને તેમાં હાલ ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા છે.
ડો. શિલા ઐયરે મિડીયા સાથે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, અમારે ત્યાં દાખલ બાળકોમાં એક 3 વર્ષનો બાળક ઓક્સિજન પર છે. તાજેતરમાં 15 દિવસના બે જોડિયા બાળકોને વાઇરલના ઝાડા, ઉલ્ટીના લક્ષણો સાથે આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ થયેલા બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. અને તેઓનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ડો. શીલા ઐયરે વધુ જણાવ્યું કે, જે બાળકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. તેમના માતા – પિતા અથવાતો કેરટેકર પણ કોરોના પોઝીટીવ થયાનું સામે આવ્યું છે. મોટાભાગે કોરોના પોઝીટીવ બાળકોને હોમ આઇસોલેશનમાં રહી શકે તેવી સ્થિતી ધરાવતા હોય છે. છેલ્લા 5 – 6 દિવસથી બાળકોમાં કોરોના પોઝીટીવ આવવાના કેસો વધત તંત્ર એક્શનમાં આવ્યું છે. અને હવે સ્થિતીને પહોંચી વળવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોટાને આપવામાં આવતી રેમડેસીવીર તથા અન્ય દવાઓને બાળકો પર આપી શકવા અંગે કોઇ પરિણામ સામે ન હોવાને કારણે તેને સારવારમાં સામેલ કરવામાં આવી નથી. જરૂર પડ્યો બાળકો માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે.
બાળકોમાં કોરોના પોઝીટીવ કેસો આવતા તંત્ર એલર્ટ બન્યું
બાળકોના માતા – પિતા અને કેરટેકર પણ સંક્રમિત હોવાની વાત ધ્યાને આવી
એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું
સમગ્ર મામલે એક્સપર્ટ તબિબોની સઘન દેખરેખ
WatchGujarat. કોરોનાના સંક્રમણનો ફેલાવો હવે નવી રીતે થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. કોરોના હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. છેલ્લા 5 – 6 દિવસથી એસએસજી હોસ્પિટલમાં સરેરાશ પાંચ જેટલા બાળકોમાં કોરોનાનું સંક્રમણ સામે આવતા હવે તંત્ર એલર્ટ બન્યું છે. અને હવે એસએસજી હોસ્પિટલ ખાતે બાળકોની સારવાર માટે વિશેષ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે.
બાળકોમાં વધી રહેલા સંક્રમણ અંતે માહિતી આપતા એસએસજી હોસ્પિટલના પેડીયાટ્રીક ડિપાર્ટમેન્ટના હેડ ડો. શિલા ઐયરે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 – 6 દિવસથી એસએસજી હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા બાળકોમાં સરેરાશ 5 બાળકોમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ જોવા મળ્યું છે. જેને લઇને તંત્ર એલર્ટ છે. તાજેતરમાં બાળકોની સારવાર અર્થે વિશેષ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે. અને તેમાં હાલ ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા છે.
ડો. શિલા ઐયરે મિડીયા સાથે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, અમારે ત્યાં દાખલ બાળકોમાં એક 3 વર્ષનો બાળક ઓક્સિજન પર છે. તાજેતરમાં 15 દિવસના બે જોડિયા બાળકોને વાઇરલના ઝાડા, ઉલ્ટીના લક્ષણો સાથે આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ થયેલા બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. અને તેઓનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ડો. શીલા ઐયરે વધુ જણાવ્યું કે, જે બાળકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. તેમના માતા – પિતા અથવાતો કેરટેકર પણ કોરોના પોઝીટીવ થયાનું સામે આવ્યું છે. મોટાભાગે કોરોના પોઝીટીવ બાળકોને હોમ આઇસોલેશનમાં રહી શકે તેવી સ્થિતી ધરાવતા હોય છે. છેલ્લા 5 – 6 દિવસથી બાળકોમાં કોરોના પોઝીટીવ આવવાના કેસો વધત તંત્ર એક્શનમાં આવ્યું છે. અને હવે સ્થિતીને પહોંચી વળવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોટાને આપવામાં આવતી રેમડેસીવીર તથા અન્ય દવાઓને બાળકો પર આપી શકવા અંગે કોઇ પરિણામ સામે ન હોવાને કારણે તેને સારવારમાં સામેલ કરવામાં આવી નથી. જરૂર પડ્યો બાળકો માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે.