કોંગ્રેસની ભુંડી હાર થવા પાછળ પક્ષમાં આંતરિક જુથબંધી જવાબદાર હોવાનું અનુમાન
પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પોતાની વાત કહેવા માટે સોશિયલ મિડીયાનો સહારો લીધો
જાગૃતિ રાણાની પોસ્ટને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો
WatchGujarat. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં આંતરિક જુથબંધી છતી થવાની શરૂ થઇ ગઇ હતી. વોર્ડ નંબર - 7 ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પાલિકાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જાગૃતિબેન રાણાએ સોશિયલ મીડિયા પર , 'યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું તેવી પોસ્ટ મુકી હતી. જેને લઇને હાલ વિવાદ સર્જાયો છે
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં એક તરફ જ્યાં ભાજપમાં ખુશીની લહેર છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધવા લાગ્યા છે. વોર્ડ નં-7ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ આ વખતે ફરી એકવાર કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ, તેમની પેનલની હાર થઇ હતી. જેમાં પક્ષે મૂકેલા અન્ય સાથી ઉમેદવાર યોગ્ય ન હોવાનું હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પેનલના અન્ય ઉમેદવારોની લોકપ્રિયતા ઓછી હોવાથી તેની સીધી અસર છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર તરીકે રહેલા જાગૃતિબેન રાણાએ ભોગવવી પડી હતી.
પરિણામના બે દિવસ બાદ જાગૃતિબેન રાણાએ 'યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું, વિરોધીઓ આ ખૌફ 5 વર્ષ માટે કાયમ રાખજો'... તેમ લખીને પોસ્ટ મુકી હતી. સોશિયલ મીડિયા પર તેમના આ પોસ્ટથી તેમની હાર માટે આડકતરી રીતે ક્યાંકને ક્યાંક પાર્ટીમાં ચાલતી જૂથબંધી જવાબદાર હોવાનું તેમણે જણાવ્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. આગામી દિવસોમાં આવા અનેક મુદ્દે કોંગ્રેસ પક્ષના આંતરિક રાજકારણમાં ગંભીર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જોવા મળે તો નવાઇ નહિ.
જો કે ત્યાર બાદ તેમણે બીજી પોસ્ટ મુકી મતદારોનો આભાર માન્યો હતો. અને લખ્યું હતું કે, જીત હાર તો સિક્કાની બે બાજુ છે, હું પ્રજા માટે સતત કાર્ય રહીશ તેની હુ ખાતરી આપું છું.જેણે મારા પર વિશ્વાસ મુક્યો એ સૌ લોકો નો આભાર માનું છું.
પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પોતાની વાત કહેવા માટે સોશિયલ મિડીયાનો સહારો લીધો
જાગૃતિ રાણાની પોસ્ટને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો
WatchGujarat. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં આંતરિક જુથબંધી છતી થવાની શરૂ થઇ ગઇ હતી. વોર્ડ નંબર - 7 ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પાલિકાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જાગૃતિબેન રાણાએ સોશિયલ મીડિયા પર , 'યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું તેવી પોસ્ટ મુકી હતી. જેને લઇને હાલ વિવાદ સર્જાયો છે
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં એક તરફ જ્યાં ભાજપમાં ખુશીની લહેર છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધવા લાગ્યા છે. વોર્ડ નં-7ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ આ વખતે ફરી એકવાર કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ, તેમની પેનલની હાર થઇ હતી. જેમાં પક્ષે મૂકેલા અન્ય સાથી ઉમેદવાર યોગ્ય ન હોવાનું હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પેનલના અન્ય ઉમેદવારોની લોકપ્રિયતા ઓછી હોવાથી તેની સીધી અસર છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર તરીકે રહેલા જાગૃતિબેન રાણાએ ભોગવવી પડી હતી.
પરિણામના બે દિવસ બાદ જાગૃતિબેન રાણાએ 'યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું, વિરોધીઓ આ ખૌફ 5 વર્ષ માટે કાયમ રાખજો'... તેમ લખીને પોસ્ટ મુકી હતી. સોશિયલ મીડિયા પર તેમના આ પોસ્ટથી તેમની હાર માટે આડકતરી રીતે ક્યાંકને ક્યાંક પાર્ટીમાં ચાલતી જૂથબંધી જવાબદાર હોવાનું તેમણે જણાવ્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. આગામી દિવસોમાં આવા અનેક મુદ્દે કોંગ્રેસ પક્ષના આંતરિક રાજકારણમાં ગંભીર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જોવા મળે તો નવાઇ નહિ.
જો કે ત્યાર બાદ તેમણે બીજી પોસ્ટ મુકી મતદારોનો આભાર માન્યો હતો. અને લખ્યું હતું કે, જીત હાર તો સિક્કાની બે બાજુ છે, હું પ્રજા માટે સતત કાર્ય રહીશ તેની હુ ખાતરી આપું છું.જેણે મારા પર વિશ્વાસ મુક્યો એ સૌ લોકો નો આભાર માનું છું.