ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાખેલું ભવિષ્ય સાચું પડ્યું અને કોંગ્રેસ ડબલ ડિજીટ ના મેળવી શકી.
વડોદરાની કથળેલી કોંગ્રેસમાંથી વિજેતા બનેલા 7 પૈકી કેટલાંક કોર્પોરેટર્સ કેસરીયો ધારણ કરે તેવી શક્યતા.
69 પર અટકેલાં ‘મિશન 76’ની વધુ નજીક પહોંચવા તખ્તો ગોઠવાયો.
કોંગ્રેસના 7માંથી એકાદ બે પણ ભાજપમાં જોડાય તો કોંગ્રેસ વિપક્ષમાં પણ ના બેસી શકે તેવી સ્થિતિ સર્જાય.
Watch Gujarat. વડોદરા ભાજપા શહેર પ્રમુખે કોર્પોરેશનની ચૂંટણીમાં નિર્ધારિત કરેલું ‘મિશન 76’ 69 બેઠકો પર અટકી ગયું છે. ત્યારે મિશનની વધુ નજીક પહોંચવાનો તખ્તો ગોઠવાયો હોવાની રાજકીય મોરચે ચર્ચા છે. કોંગ્રેસના વિજેતા 7 કોર્પોરેટર્સમાંથી કેટલાંક કેસરીયો ધારણ કરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો એમ થયું તો નજીકના ભવિષ્યમં મતદારોએ પેટા ચુંટણી માટે તૈયાર રહેવું પડશે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજીટ નહીં મેળવી શકે તેવી ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ભવિષ્યવાણી તો સાચી પડી છે, પરંતુ હાલ રાજકીય મોરચે એવી ચર્ચા ઉઠી છે કે, કોંગ્રેસના વિજેતા 7 કોર્પોરેટર પૈકી કેટલાંક કેસરીયો ધારણ કરવાની પેરવીમાં છે. અને જો એમ થાય તો કોંગ્રેસની હાલત વધું કફોડી થાય તેમ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના 7 કોર્પોરેટર વિજેતા નિવડતાં, એવી ટકોર વહેતી થઈ હતી કે 7 સીટર કાર ભરાય એટલાં કોંગ્રેસના કોર્પોરેટર જીત્યાં છે, પરંતુ હાલ એવી વાતો પણ સાંભળવા મળે છે કે 3 જેટલાં ઉમેદવારો કેસરીયો ધારણ કરી શકે છે. ત્યારે એવું કહેવું સ્હેજપણ ખોટું નથી કે કોંગ્રેસના કોર્પોરેટરો રિક્ષામાં કોર્પોરેશન આવી શકે એવો ઘાટ સર્જાશે.
કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયાં ત્યારે ચિરાગ ઝવેરી સહિતના કેટલાંક કોંગ્રેસી કાઉન્સિલરો ભાજપામાં જોડાવાના હોવાની હવા ઉઠી હતી. જોકે, ચોક્કસ કારણોસર તમામ કેસરીયા વાંચ્છુક કોંગ્રેસીઓનાં ઓરતાં અધુરાં રહી ગયાં હતાં. શહેર ભાજપના દિગ્ગજ નેતાની ચાલ સરળતાથી પાર પડી નહોતીં.
હવે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ફરી એકવાર વડોદરા કોર્પોરેશનને કોંગ્રેસ મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસના જીતેલાં 7 પૈકીના કેટલાંક કેસરીયો ધારણ કરે તેવી ગોઠવણો કરવામાં આવી રહી છે. એક તરફ, કોંગ્રેસની સ્થિતિ સાવ કથળી ગઈ છે, ત્યારે બીજી તરફ, ભાજપા દ્વારા કોંગ્રેસનો વિપક્ષ તરીકેની લાયકાત પણ નાબૂદ કરવાનો દાવ ગોઠવવામાં આવી રહ્યો છે.
વોર્ડ નં. 13માં ભાજપના ઉમેદવાર નિશિકાંત ચૌહાણની હાર પાછળ બે અપક્ષ ઉમેદવારોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. જોકે, ભાજપના અગ્રણીઓ ગણતરી કરવામાં ખોટાં ઠર્યા હોવાની સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ભાજપી મોવડીઓએ એક અપક્ષ ઉમેદવાર સત્યપ્રેમ કાછીયા પટેલને બેસાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, જોકે તે ટસથી મસ થયો નહીં. જ્યારે બીજો અપક્ષ ઉમેદવાર મુકેશ નાયકનેને સાવ સામાન્ય ગણીને તેની તરફ લક્ષ્ય આપવામાં આવ્યું નહીં. પોતે ભાજપાનો મતદાર હોવાનું કહેનાર અને કોઈને હરાવવા કે મત તોડવા ચુંટણી નથી લડી રહ્યો એમ કહેનાર મુકેશ નાયકને સમજાવી દેવાનો પ્રયાસ કરાયો હોત તો, આ વોર્ડમાંથી ભાજપાની આખી પેનલ વિજેતા બની હોત.
એકંદરે, વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં આગામી દિવસોમાં હજી અનેક ચઢાવ ઉતાર જોવા મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાખેલું ભવિષ્ય સાચું પડ્યું અને કોંગ્રેસ ડબલ ડિજીટ ના મેળવી શકી.
વડોદરાની કથળેલી કોંગ્રેસમાંથી વિજેતા બનેલા 7 પૈકી કેટલાંક કોર્પોરેટર્સ કેસરીયો ધારણ કરે તેવી શક્યતા.
69 પર અટકેલાં ‘મિશન 76’ની વધુ નજીક પહોંચવા તખ્તો ગોઠવાયો.
કોંગ્રેસના 7માંથી એકાદ બે પણ ભાજપમાં જોડાય તો કોંગ્રેસ વિપક્ષમાં પણ ના બેસી શકે તેવી સ્થિતિ સર્જાય.
Watch Gujarat. વડોદરા ભાજપા શહેર પ્રમુખે કોર્પોરેશનની ચૂંટણીમાં નિર્ધારિત કરેલું ‘મિશન 76’ 69 બેઠકો પર અટકી ગયું છે. ત્યારે મિશનની વધુ નજીક પહોંચવાનો તખ્તો ગોઠવાયો હોવાની રાજકીય મોરચે ચર્ચા છે. કોંગ્રેસના વિજેતા 7 કોર્પોરેટર્સમાંથી કેટલાંક કેસરીયો ધારણ કરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો એમ થયું તો નજીકના ભવિષ્યમં મતદારોએ પેટા ચુંટણી માટે તૈયાર રહેવું પડશે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજીટ નહીં મેળવી શકે તેવી ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ભવિષ્યવાણી તો સાચી પડી છે, પરંતુ હાલ રાજકીય મોરચે એવી ચર્ચા ઉઠી છે કે, કોંગ્રેસના વિજેતા 7 કોર્પોરેટર પૈકી કેટલાંક કેસરીયો ધારણ કરવાની પેરવીમાં છે. અને જો એમ થાય તો કોંગ્રેસની હાલત વધું કફોડી થાય તેમ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના 7 કોર્પોરેટર વિજેતા નિવડતાં, એવી ટકોર વહેતી થઈ હતી કે 7 સીટર કાર ભરાય એટલાં કોંગ્રેસના કોર્પોરેટર જીત્યાં છે, પરંતુ હાલ એવી વાતો પણ સાંભળવા મળે છે કે 3 જેટલાં ઉમેદવારો કેસરીયો ધારણ કરી શકે છે. ત્યારે એવું કહેવું સ્હેજપણ ખોટું નથી કે કોંગ્રેસના કોર્પોરેટરો રિક્ષામાં કોર્પોરેશન આવી શકે એવો ઘાટ સર્જાશે.
કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયાં ત્યારે ચિરાગ ઝવેરી સહિતના કેટલાંક કોંગ્રેસી કાઉન્સિલરો ભાજપામાં જોડાવાના હોવાની હવા ઉઠી હતી. જોકે, ચોક્કસ કારણોસર તમામ કેસરીયા વાંચ્છુક કોંગ્રેસીઓનાં ઓરતાં અધુરાં રહી ગયાં હતાં. શહેર ભાજપના દિગ્ગજ નેતાની ચાલ સરળતાથી પાર પડી નહોતીં.
હવે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ફરી એકવાર વડોદરા કોર્પોરેશનને કોંગ્રેસ મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસના જીતેલાં 7 પૈકીના કેટલાંક કેસરીયો ધારણ કરે તેવી ગોઠવણો કરવામાં આવી રહી છે. એક તરફ, કોંગ્રેસની સ્થિતિ સાવ કથળી ગઈ છે, ત્યારે બીજી તરફ, ભાજપા દ્વારા કોંગ્રેસનો વિપક્ષ તરીકેની લાયકાત પણ નાબૂદ કરવાનો દાવ ગોઠવવામાં આવી રહ્યો છે.
વોર્ડ નં. 13માં ભાજપના ઉમેદવાર નિશિકાંત ચૌહાણની હાર પાછળ બે અપક્ષ ઉમેદવારોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. જોકે, ભાજપના અગ્રણીઓ ગણતરી કરવામાં ખોટાં ઠર્યા હોવાની સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ભાજપી મોવડીઓએ એક અપક્ષ ઉમેદવાર સત્યપ્રેમ કાછીયા પટેલને બેસાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, જોકે તે ટસથી મસ થયો નહીં. જ્યારે બીજો અપક્ષ ઉમેદવાર મુકેશ નાયકનેને સાવ સામાન્ય ગણીને તેની તરફ લક્ષ્ય આપવામાં આવ્યું નહીં. પોતે ભાજપાનો મતદાર હોવાનું કહેનાર અને કોઈને હરાવવા કે મત તોડવા ચુંટણી નથી લડી રહ્યો એમ કહેનાર મુકેશ નાયકને સમજાવી દેવાનો પ્રયાસ કરાયો હોત તો, આ વોર્ડમાંથી ભાજપાની આખી પેનલ વિજેતા બની હોત.
એકંદરે, વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં આગામી દિવસોમાં હજી અનેક ચઢાવ ઉતાર જોવા મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.