ઓળખાણ, વખાણ અને ખાણ.
આપણે ત્યાં એક કેહવત છે.. "ઓળખાણ એ સૌથી મોટી ખાણ".
આજનો દિવસ જ કંઈક ઉપરના ત્રણ શબ્દોની આજુબાજુનો રહ્યો... મજાનો પણ રહયો. એટલે જ આજની અમિષની આ ‘કનેક્ટ દિલ સે’ની વાતનાં કેટલા અંશો જાહેર કરી દેવાની પ્રબળ ઈચ્છા થઇ આવી... તો શરૂ કરૂં છું.
મને મારી આદત મુજબ પેહલા થોડું શબ્દોનું મારી રીતે અર્થઘટન કરી લેવા દો અને ત્યારબાદ મારી વાત મમળાવશો એવી મારી નમ્ર વિનંતી.
ઓળખાણ એટલે શું...? એ એક વિચારવા જેવી બાબત છે. ચાલો તો પ્રથમ આ શબ્દને છુટો કરી નાખીએ, તો એક શબ્દ બને "ઓળ" અને બીજો "ખાણ". મને અહીંયા હજી વધુ ખણખોદની જરૂર વર્તાય છે. "ઓળ" એવી શરૂઆત બીજા કયાં કયાં શબ્દોમાં થાય છે... ઓળઘોળ, ઓળંગવું. આ બઘાં શબ્દો એક પ્રકારે સુચન કરતાં હોય તેવા છે. ચોક્કસ કરવા ફરી એકવાર વાંચી જાવ..! બરાબર છે ને...? તો ઓળખાણ માં "ઓળ" એ સુચક છે અને "ખાણ" એ ઘ્યાન આપવા માટેનું સુચન છે. એક વાક્યમાં કહું તો "ઓળખાણ" એવા શબ્દ પ્રયોગ દ્વારા આપણું ઘ્યાન આકર્ષિત કરવામાં આવે છે કે આ "ખાણ" હોય શકે છે; ઘ્યાન આપવા મહેરબાની કરશોજી. મારાથી મારા વિચારોને જેટલી બને તેટલી સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે, એ વાત જાણશોજી.
Watch Gujarat ની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી 1000નો આંકડો પાર કરવામાં સહાય કરવા આ લાઈન પર ક્લિક કરો.
હવે વારો વખાણનો છે. ફરીથી શબ્દને છુટા પાડીએ તો.. "વ" અને "ખાણ" મળે. હવે વાત થોડી ગંભીર દીશામાં જઈ રહી છે... એક જ શબ્દનું ર્અથઘટન કરવાનું છે. "વ" શબ્દનો પ્રયોગ હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારે કરી શકાય એવો તટસ્થ શબ્દ છે. એકાદ બે ઉદાહરણ જોઈએ, "વાહ", "વટ" હકારાત્મક શબ્દો છે અને "વાંક", "વળ" નકારત્મક શબ્દો છે. તો અંહીયા શું કરવું... તો વિવેકનો ઉપયોગ કરીએ અને બન્ને પરિસ્થિત નો તાગ મેળવવાની કોશિષ કરીએ. જયારે કોઈ આપણાં "વખાણ" કરે ત્યારે બન્ને પરિસ્થિત હોઈ શકે છે. હકારાત્મક અને નકારાત્મક, જેમ કે આપણે પરિક્ષામાં પાસ થઈએ તો માતા-પિતા જે વખાણ કરે તેને હકારાત્મક વખાણ કહી શકાય અને તેમનાં વખાણ કરવાથી આપણને પ્રોત્સાહન પણ મળે. જેથી આપણે ભણવામાં ભવિષ્યમાં વઘુ મહેનત કરીએ. એવો ઉમદા ભાવ આવા વખાણની પાછળ છુપાયો હોય છે. મા-બાપે કર્યો છે એટલે આને ભષ્ટાચાર કે અન્ય રીતે મુલ્વી ના શકીએ એ વાત પણ કહી દંઊ છું કેમકે જયારે નકારાત્મક બાબત આવશે ત્યારે કરેલાં વખાણ ભષ્ટાચાર આદરવા કરવામાં આવ્યા છે એવું મારે તમને બઘાને સમજાવવાનું છે. અરે લે વાત વાતમાં મે વખાણની નકારાત્મકતા પણ સમજાવી દીઘી. ચાલો મારૂ લખવાનું ઓછું થયું અને તમારે વાંચવાનું પણ. હા આમ જોતા મે અંહીયા મારા પોતાના જે વખાણ કર્યા તે નકારાત્મક વખાણ કરેલા કહી શકાય. જે કાર્ય બિરદાવવાને લાયક નથી તેને પોતાનાં અંગત સ્વાર્થ માટે વખાણવા તેને નકારાત્મક વખાણ કહી શકાય. આમાં વખાણ કરનારનો ઈરાદો પોતાનું કામ સામે વાળાને ચાવી ચઠાવી ચઠાવીને કરાવી લેવાનો છે એટલે નકારાત્મક છે અવું કંઈક કહેવા માગું છું.
ઉપરની બન્ને બાબત બરાબર સમજી લીઘી હોય તે આગળ વાંચો અથવા ઉપરની બન્ને બાબત ફરી વાંચો અને તમને થયેલા અનુભવો સાથે સરખાવી જુઓ એટલે તમને સમજમાં આવશે.
હવે છેલ્લો શબ્દ "ખાણ", ખાણ એટલે જયાંથી કુદરતનાં ખોળે પડેલી શકિત પામી શકાય... જેવી કે કોલસાની ખાણ... સોનાં-ચાંદીની ખાણ, હીરાની ખાણ વગેરે વગેરે... ટુંકમાં કહું તો જે જગ્યાને ખોદવાથી ટટોળવાથી કંઈક કિમંતી વસ્તુ મળે એને "ખાણ" કહેવાય.
હવે મારી આજની મુળવાત પર આવી જવાનો સમય આવી ગયો છે. ઓળખાણ, વખાણ અને ખાણ આ ત્રણે શબ્દો સ્વાર્થ તરફ આંગળી ચીંઘે છે. ઓળખાણ હશે તો કામ થશે નહી તો અઘરું પડશે, વખાણ કરવા પડશે નહી તો ભણશે નહી. અંહીયા વખાણ એટલે ૧૦૦ માંથી મળતાં ગુણની વાત છે. અને છેલ્લે લુંટો કુદરતને અંહીયા કયાં છે જ કોઈ રોકવા ટોકવા વાળું. થઈ ગઈને મારાથી પણ ટીકા...! પણ સાહેબ ટીકા દ્વારા જે નકારત્મકતા મળે છે તે સાવ ખોટેખોટા વખાણ કરતા તો સારી જ કહેવાય ને... આપણું ઘ્યાન તો એ સાચી દીશામાં દોરે છે.
આપણા વડીલો, શિક્ષકો કે આપણાં ઉપરી લોકોએ આપણાં વખાણ ઓછા અને ટીકા વઘું કરી હોય છે, ખરૂને...? કરો જો તમારી આંગળી ઉંચી, જો તમે મારી વાત સાથે સહમત હોવ તો...! એ ટીકા એ આપણને રસ્તો ભટકતા અટકાવ્યાં છે અને આજે આપણે જે કંઈ પણ છીએ, એટલે આજે આપણી જે "ઓળખાણ" છે તેમાં એજ નગમતી ટીકાઓનો સિંહ ફાળો છે. શું માનવું છે તમારૂ...?
મારા અનુભવે કહું છું કે ટીકા એ વઘુ લાભ અપાવ્યો છે વખાણ કરતાં. પણ ગમે તે કહો આ લોકો ટીકા કરે છેને તે કેમય કરીને ગમતું નથી હેંને..? તો કરવાનું શું...? મારી પાસે જે જાત અનુભવ છે તેની ખુલ્લા હાથે વહેચણી કરવા તૈયાર છું. ઉપરનાં ત્રણેવનો પર્યાયી શોઘી કાઢો... ઓળખાણનો પર્યાયી જ્ઞાનને બનાવો. વખાણનો પર્યાયી સહજતાને બનાવો અને ખાણનો પર્યાયી રચનાત્મકતાને બનાવો. સાચું માનજો કોઈ તામરો વાળ પણ વાંકો કરી નહી શકે.
ઓળખાણ નહી હોયતો નહી ચાલે કરતાં પુરતું જ્ઞાન મેળવીને જશો તો વગર ઓળખાણે પણ કામ થઈ જશે. ઓળખાણ એ સૌથી મોટામાં મોટું સામાજીક દુષણ છે, મારી દ્રષ્ટીએ. બસ કામ થઈ જવું જોઇએ. કામ કઈ રીતે થયું એ સમજવાની કે સમજાવવાની કયાં કોઈને જરૂર છે. ટીકા નથી કરવી પણ જયારે કામ અટવાયને ત્યારે પાછળથી જ્ઞાન જ કામ લાગે છે, ઓળખાણ નહી. કોઈ ઓળખાણથી શરૂ કરેલા કામમાં વળ પડી ગયો હોય અને અંતે જ્ઞાને મદદ કરી હોય તેવા કિસ્સાને યાદ કરી લેજો, સમજાય જશે મારૂ કહેવું. અને જો એવો કોઈ અનુભવ હજૂ સુઘી ના થયો હોય તો પ્રભુનો પાડ માનજો. સારા કે નરસા વખાણની સામે સહજ રહેવાની કળા મારા ગુરૂઓએ મને જ્ઞાન રૂપી પ્રસાદે આપી છે. જેને જે કહેવું હોય એ કહેવા દો તમે સહજ રહો. સહજ એટલે જેવા છો તેવા જ રહો બહું ફુલાશો નહી કે બહુ કરમાશો નહી. સહજ રહો તમે જે પણ કર્યું છે એ તમે જો સહજ રહીને કર્યું હશે તો તમને વખાણ કે સાબાશીની કોઈ જરૂર રહશે નહી. મારી આ વાત તમે સોનાનાં પતરા પર લખી ને રાખી શકો છો.
સહજ રહેવાનો બીજો મતલબ જ્ઞાનમાં રહેવાનો પણ કરી શકાય છે. પણ આ એક આઘ્યાત્મિક વિષય છે એટલે બહું નહી લખું. મુળ વિષય રહી જશે એમાં. એટલે સહજ રહીને પાછો મુળ વિષય તરફ "વળી" જાવ છું. હા... એકવાત તરફ તમારું બઘાનું ઘ્યાન દોરી જાવ અંહીયા "વળી" જાવ છું એવો શબ્દ પ્રયોગ હકારાત્મક રીતે કરેલ છે. આમતો મારી પેટા જ્ઞાતિમાં પણ "વળ" શબ્દનો ઉપયોગ કરેલ છે. હવે એને હકારાત્મક લેવો કે નકારાત્મક એ રામ જાણે...! તમને ચટપટી થાય એ પહેલાંજ મારી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ કહી દંઉ, હું વૈષ્ણવ વણીક જ્ઞાતિનો છું અને મારી પેટા જ્ઞાતિ "વીસા દીશા વળ" છે. ટુંકમાં જે વણીક વીસે દીશામાં વળી શકે એવો વળતો વાણીયો છું. ફરીથી કહી દંઉ આ બાબત હકારાત્મક લેવી કે નકારાત્મક એ અંગત અનુભવો પરથી પોત પોતાની રીતે નક્કી કરવાની તમને છુટ છે. અને છેલ્લે "ખાણ" આનો પર્યાયી રચનાત્મકતા ને કહું છું... રચનાત્મક એટલે કંઈક વિશેષ કરી છુટવાની ઘગશનું પરિણામ... કોલશો સળગાવી કામ કરવું એનાં કરતા સુર્ય ઉર્જાનો ઉપયોગ કરવો એ રચનાત્મકતા કહેવાય. સમજાયું કંઈ કે હજું લાંબુ કરૂ..? મને લાગે છે સમજાય ગયું.
મારૂ કહેવાનું એટલુંજ છે કે જ્ઞાનમાં, સહજતામાં અને રચનાત્મકતામાં રહીયે તો ગોલોકવાસી કહેવાયે અને ઓળખાણ, વખાણ અને ખાણનાં ચક્કરમાં ફસાયેલા રહીએ તો કદાચ મોક્ષને પામી શકયે. હવે ગોલોકવાસી કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય તે કોણ સમજાવશે...? કોઈ નહી તમારે જાતેજ એ સમજવાનું છે મારે તો તમને ગોલોકવાસી અને મોક્ષ વચ્ચેનો ભેદ સમજાવવાનો હતો.
થાય થાય કંઈ વાંઘો નહી હવે જ્ઞાન, સહજતા અને રચનાત્મકતાના ટેકે આખેઆખી રોજની શી ફરી વાંચી જાવ એટલે બઘું સમજાય જશે. અને જો ફરી ફરી વાંચવાની જરૂર ના પડે તો સમજજો તમે ગોલોકવાસી કોને કહેવાય તે સમજી ગયા. અંતે તમને મારી ટીકા કરવાની છુટ આપુ છું. કેમકે મારે હજૂ ગોલોકવાસી થવાને ઘણી વાર છે.
અમીષ જે. દાદાવાલા
Share – Like – Comment
ઓળખાણ, વખાણ અને ખાણ.
આપણે ત્યાં એક કેહવત છે.. "ઓળખાણ એ સૌથી મોટી ખાણ".
આજનો દિવસ જ કંઈક ઉપરના ત્રણ શબ્દોની આજુબાજુનો રહ્યો... મજાનો પણ રહયો. એટલે જ આજની અમિષની આ ‘કનેક્ટ દિલ સે’ની વાતનાં કેટલા અંશો જાહેર કરી દેવાની પ્રબળ ઈચ્છા થઇ આવી... તો શરૂ કરૂં છું.
મને મારી આદત મુજબ પેહલા થોડું શબ્દોનું મારી રીતે અર્થઘટન કરી લેવા દો અને ત્યારબાદ મારી વાત મમળાવશો એવી મારી નમ્ર વિનંતી.
ઓળખાણ એટલે શું...? એ એક વિચારવા જેવી બાબત છે. ચાલો તો પ્રથમ આ શબ્દને છુટો કરી નાખીએ, તો એક શબ્દ બને "ઓળ" અને બીજો "ખાણ". મને અહીંયા હજી વધુ ખણખોદની જરૂર વર્તાય છે. "ઓળ" એવી શરૂઆત બીજા કયાં કયાં શબ્દોમાં થાય છે... ઓળઘોળ, ઓળંગવું. આ બઘાં શબ્દો એક પ્રકારે સુચન કરતાં હોય તેવા છે. ચોક્કસ કરવા ફરી એકવાર વાંચી જાવ..! બરાબર છે ને...? તો ઓળખાણ માં "ઓળ" એ સુચક છે અને "ખાણ" એ ઘ્યાન આપવા માટેનું સુચન છે. એક વાક્યમાં કહું તો "ઓળખાણ" એવા શબ્દ પ્રયોગ દ્વારા આપણું ઘ્યાન આકર્ષિત કરવામાં આવે છે કે આ "ખાણ" હોય શકે છે; ઘ્યાન આપવા મહેરબાની કરશોજી. મારાથી મારા વિચારોને જેટલી બને તેટલી સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે, એ વાત જાણશોજી.
હવે વારો વખાણનો છે. ફરીથી શબ્દને છુટા પાડીએ તો.. "વ" અને "ખાણ" મળે. હવે વાત થોડી ગંભીર દીશામાં જઈ રહી છે... એક જ શબ્દનું ર્અથઘટન કરવાનું છે. "વ" શબ્દનો પ્રયોગ હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારે કરી શકાય એવો તટસ્થ શબ્દ છે. એકાદ બે ઉદાહરણ જોઈએ, "વાહ", "વટ" હકારાત્મક શબ્દો છે અને "વાંક", "વળ" નકારત્મક શબ્દો છે. તો અંહીયા શું કરવું... તો વિવેકનો ઉપયોગ કરીએ અને બન્ને પરિસ્થિત નો તાગ મેળવવાની કોશિષ કરીએ. જયારે કોઈ આપણાં "વખાણ" કરે ત્યારે બન્ને પરિસ્થિત હોઈ શકે છે. હકારાત્મક અને નકારાત્મક, જેમ કે આપણે પરિક્ષામાં પાસ થઈએ તો માતા-પિતા જે વખાણ કરે તેને હકારાત્મક વખાણ કહી શકાય અને તેમનાં વખાણ કરવાથી આપણને પ્રોત્સાહન પણ મળે. જેથી આપણે ભણવામાં ભવિષ્યમાં વઘુ મહેનત કરીએ. એવો ઉમદા ભાવ આવા વખાણની પાછળ છુપાયો હોય છે. મા-બાપે કર્યો છે એટલે આને ભષ્ટાચાર કે અન્ય રીતે મુલ્વી ના શકીએ એ વાત પણ કહી દંઊ છું કેમકે જયારે નકારાત્મક બાબત આવશે ત્યારે કરેલાં વખાણ ભષ્ટાચાર આદરવા કરવામાં આવ્યા છે એવું મારે તમને બઘાને સમજાવવાનું છે. અરે લે વાત વાતમાં મે વખાણની નકારાત્મકતા પણ સમજાવી દીઘી. ચાલો મારૂ લખવાનું ઓછું થયું અને તમારે વાંચવાનું પણ. હા આમ જોતા મે અંહીયા મારા પોતાના જે વખાણ કર્યા તે નકારાત્મક વખાણ કરેલા કહી શકાય. જે કાર્ય બિરદાવવાને લાયક નથી તેને પોતાનાં અંગત સ્વાર્થ માટે વખાણવા તેને નકારાત્મક વખાણ કહી શકાય. આમાં વખાણ કરનારનો ઈરાદો પોતાનું કામ સામે વાળાને ચાવી ચઠાવી ચઠાવીને કરાવી લેવાનો છે એટલે નકારાત્મક છે અવું કંઈક કહેવા માગું છું.
ઉપરની બન્ને બાબત બરાબર સમજી લીઘી હોય તે આગળ વાંચો અથવા ઉપરની બન્ને બાબત ફરી વાંચો અને તમને થયેલા અનુભવો સાથે સરખાવી જુઓ એટલે તમને સમજમાં આવશે.
હવે છેલ્લો શબ્દ "ખાણ", ખાણ એટલે જયાંથી કુદરતનાં ખોળે પડેલી શકિત પામી શકાય... જેવી કે કોલસાની ખાણ... સોનાં-ચાંદીની ખાણ, હીરાની ખાણ વગેરે વગેરે... ટુંકમાં કહું તો જે જગ્યાને ખોદવાથી ટટોળવાથી કંઈક કિમંતી વસ્તુ મળે એને "ખાણ" કહેવાય.
હવે મારી આજની મુળવાત પર આવી જવાનો સમય આવી ગયો છે. ઓળખાણ, વખાણ અને ખાણ આ ત્રણે શબ્દો સ્વાર્થ તરફ આંગળી ચીંઘે છે. ઓળખાણ હશે તો કામ થશે નહી તો અઘરું પડશે, વખાણ કરવા પડશે નહી તો ભણશે નહી. અંહીયા વખાણ એટલે ૧૦૦ માંથી મળતાં ગુણની વાત છે. અને છેલ્લે લુંટો કુદરતને અંહીયા કયાં છે જ કોઈ રોકવા ટોકવા વાળું. થઈ ગઈને મારાથી પણ ટીકા...! પણ સાહેબ ટીકા દ્વારા જે નકારત્મકતા મળે છે તે સાવ ખોટેખોટા વખાણ કરતા તો સારી જ કહેવાય ને... આપણું ઘ્યાન તો એ સાચી દીશામાં દોરે છે.
આપણા વડીલો, શિક્ષકો કે આપણાં ઉપરી લોકોએ આપણાં વખાણ ઓછા અને ટીકા વઘું કરી હોય છે, ખરૂને...? કરો જો તમારી આંગળી ઉંચી, જો તમે મારી વાત સાથે સહમત હોવ તો...! એ ટીકા એ આપણને રસ્તો ભટકતા અટકાવ્યાં છે અને આજે આપણે જે કંઈ પણ છીએ, એટલે આજે આપણી જે "ઓળખાણ" છે તેમાં એજ નગમતી ટીકાઓનો સિંહ ફાળો છે. શું માનવું છે તમારૂ...?
મારા અનુભવે કહું છું કે ટીકા એ વઘુ લાભ અપાવ્યો છે વખાણ કરતાં. પણ ગમે તે કહો આ લોકો ટીકા કરે છેને તે કેમય કરીને ગમતું નથી હેંને..? તો કરવાનું શું...? મારી પાસે જે જાત અનુભવ છે તેની ખુલ્લા હાથે વહેચણી કરવા તૈયાર છું. ઉપરનાં ત્રણેવનો પર્યાયી શોઘી કાઢો... ઓળખાણનો પર્યાયી જ્ઞાનને બનાવો. વખાણનો પર્યાયી સહજતાને બનાવો અને ખાણનો પર્યાયી રચનાત્મકતાને બનાવો. સાચું માનજો કોઈ તામરો વાળ પણ વાંકો કરી નહી શકે.
ઓળખાણ નહી હોયતો નહી ચાલે કરતાં પુરતું જ્ઞાન મેળવીને જશો તો વગર ઓળખાણે પણ કામ થઈ જશે. ઓળખાણ એ સૌથી મોટામાં મોટું સામાજીક દુષણ છે, મારી દ્રષ્ટીએ. બસ કામ થઈ જવું જોઇએ. કામ કઈ રીતે થયું એ સમજવાની કે સમજાવવાની કયાં કોઈને જરૂર છે. ટીકા નથી કરવી પણ જયારે કામ અટવાયને ત્યારે પાછળથી જ્ઞાન જ કામ લાગે છે, ઓળખાણ નહી. કોઈ ઓળખાણથી શરૂ કરેલા કામમાં વળ પડી ગયો હોય અને અંતે જ્ઞાને મદદ કરી હોય તેવા કિસ્સાને યાદ કરી લેજો, સમજાય જશે મારૂ કહેવું. અને જો એવો કોઈ અનુભવ હજૂ સુઘી ના થયો હોય તો પ્રભુનો પાડ માનજો. સારા કે નરસા વખાણની સામે સહજ રહેવાની કળા મારા ગુરૂઓએ મને જ્ઞાન રૂપી પ્રસાદે આપી છે. જેને જે કહેવું હોય એ કહેવા દો તમે સહજ રહો. સહજ એટલે જેવા છો તેવા જ રહો બહું ફુલાશો નહી કે બહુ કરમાશો નહી. સહજ રહો તમે જે પણ કર્યું છે એ તમે જો સહજ રહીને કર્યું હશે તો તમને વખાણ કે સાબાશીની કોઈ જરૂર રહશે નહી. મારી આ વાત તમે સોનાનાં પતરા પર લખી ને રાખી શકો છો.
સહજ રહેવાનો બીજો મતલબ જ્ઞાનમાં રહેવાનો પણ કરી શકાય છે. પણ આ એક આઘ્યાત્મિક વિષય છે એટલે બહું નહી લખું. મુળ વિષય રહી જશે એમાં. એટલે સહજ રહીને પાછો મુળ વિષય તરફ "વળી" જાવ છું. હા... એકવાત તરફ તમારું બઘાનું ઘ્યાન દોરી જાવ અંહીયા "વળી" જાવ છું એવો શબ્દ પ્રયોગ હકારાત્મક રીતે કરેલ છે. આમતો મારી પેટા જ્ઞાતિમાં પણ "વળ" શબ્દનો ઉપયોગ કરેલ છે. હવે એને હકારાત્મક લેવો કે નકારાત્મક એ રામ જાણે...! તમને ચટપટી થાય એ પહેલાંજ મારી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ કહી દંઉ, હું વૈષ્ણવ વણીક જ્ઞાતિનો છું અને મારી પેટા જ્ઞાતિ "વીસા દીશા વળ" છે. ટુંકમાં જે વણીક વીસે દીશામાં વળી શકે એવો વળતો વાણીયો છું. ફરીથી કહી દંઉ આ બાબત હકારાત્મક લેવી કે નકારાત્મક એ અંગત અનુભવો પરથી પોત પોતાની રીતે નક્કી કરવાની તમને છુટ છે. અને છેલ્લે "ખાણ" આનો પર્યાયી રચનાત્મકતા ને કહું છું... રચનાત્મક એટલે કંઈક વિશેષ કરી છુટવાની ઘગશનું પરિણામ... કોલશો સળગાવી કામ કરવું એનાં કરતા સુર્ય ઉર્જાનો ઉપયોગ કરવો એ રચનાત્મકતા કહેવાય. સમજાયું કંઈ કે હજું લાંબુ કરૂ..? મને લાગે છે સમજાય ગયું.
મારૂ કહેવાનું એટલુંજ છે કે જ્ઞાનમાં, સહજતામાં અને રચનાત્મકતામાં રહીયે તો ગોલોકવાસી કહેવાયે અને ઓળખાણ, વખાણ અને ખાણનાં ચક્કરમાં ફસાયેલા રહીએ તો કદાચ મોક્ષને પામી શકયે. હવે ગોલોકવાસી કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય તે કોણ સમજાવશે...? કોઈ નહી તમારે જાતેજ એ સમજવાનું છે મારે તો તમને ગોલોકવાસી અને મોક્ષ વચ્ચેનો ભેદ સમજાવવાનો હતો.
થાય થાય કંઈ વાંઘો નહી હવે જ્ઞાન, સહજતા અને રચનાત્મકતાના ટેકે આખેઆખી રોજની શી ફરી વાંચી જાવ એટલે બઘું સમજાય જશે. અને જો ફરી ફરી વાંચવાની જરૂર ના પડે તો સમજજો તમે ગોલોકવાસી કોને કહેવાય તે સમજી ગયા. અંતે તમને મારી ટીકા કરવાની છુટ આપુ છું. કેમકે મારે હજૂ ગોલોકવાસી થવાને ઘણી વાર છે.