ભરૂચમાં સેકન્ડ સ્ટ્રેનમાં મૃતકોના ડેટાબેઝમાં વેકસીન લેનારની ઉભી કરાયેલી કોલમ પરથી બહાર આવેલું સર્વેક્ષણ
કોરોનાના 877 મૃતકોની એપ્રિલ સુધીમાં અંતિમવિધિમાં માત્ર 10 વ્યક્તિએ જ વેકસીન લીધી હતી
વેકસીન ન મુકાવનારના મૃત્યુની ટકાવારી 98.96 ટકા જોવા મળી
Watchgujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાંથી વેકસીન કેટલી અસરકારક અને કારગર છે તેનું સત્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. COVID-19 ના બીજા વેવમાં કોવિડ સ્મશાનમાં 877 મૃતકોની અંતિમવિધિમાં વેકસીનનો ડોઝ લીધો હોય અને મૃત્યુ થયાની ટકાવારી માત્ર 1.14 % જ નોંધાઇ છે. એટલે કે વેકસીન નહિ લેનારા લોકોના કોરોનાથી મૃત્યુની ટકાવારી 96.86 % જેટલી ઊંચી રહી છે.
ભરૂચ કોવિડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં વેકસીનને લઈ ચોંકાવનારી હકીકત સામે આવી છે. કોરોના વેક્સિનની અસરકારકતા મૃત્યુનું જોખમ ઘટાડે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે તે હકીકત વધુ એક વખત આ સર્વેક્ષણ પરથી ફલિત થઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં પણ હજુ ઘણા લોકો એવા છે, જે વેક્સિન લેતા ખચકાટ અનુભવે છે. આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવિડ સ્મશાને જાહેર કરેલા આંકડા અને માહિતી દૂર કરી દે તેમ છે. સ્પેશિયલ કોવિડ સ્મશનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આજ દિન સુધી જેટલા પણ મૃતદેહની અંતિમક્રિયા કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી હતી.
કોરોનના આ અજગરી ભરડામાં ગુજરાતમાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું. રોજના સરેરાશ 4થી 5 મોતના આંકડાઓ 30 એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા હતા. સ્થિતિ અને સંજોગો એવા ઉભા થયા કે સ્મશાનને ત્રણ ગણું મોટું બનાવવાની જરૂરિયાત ઉભી થઇ. ભરૂચ કોવિડ સ્મશાનના સંચાલકના જણાવ્યા મુજબ, તેમણે સ્મશાનમાં અત્યાર સુધીમાં લગભગ 877 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી છે. સેકન્ડ સ્ટ્રેઇનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઉમેરી હતી. 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જયારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે.
કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ માટે લવાયેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમણે વેક્સીનના 2 ડોઝ લીધા હતા. જો ટકાવારી જોવામાં આવે તો વેકસીન નહિ લેનાર મૃતદેહોની ટકાવારી 98.86 % થાય છે.
જે જોતા એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર 1.14 % લોકોએ પોતાના વેક્સિનના 2 ડોઝ પુરા કર્યા હતા, જોકે ઇમ્યુનીટી બનવા માટે જરૂરી બીજી વેક્સીન પછી 14 દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહિ તેની કોઈ માહિતી સામે આવી નથી.
ભરૂચમાં સેકન્ડ સ્ટ્રેનમાં મૃતકોના ડેટાબેઝમાં વેકસીન લેનારની ઉભી કરાયેલી કોલમ પરથી બહાર આવેલું સર્વેક્ષણ
કોરોનાના 877 મૃતકોની એપ્રિલ સુધીમાં અંતિમવિધિમાં માત્ર 10 વ્યક્તિએ જ વેકસીન લીધી હતી
વેકસીન ન મુકાવનારના મૃત્યુની ટકાવારી 98.96 ટકા જોવા મળી
Watchgujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાંથી વેકસીન કેટલી અસરકારક અને કારગર છે તેનું સત્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. COVID-19 ના બીજા વેવમાં કોવિડ સ્મશાનમાં 877 મૃતકોની અંતિમવિધિમાં વેકસીનનો ડોઝ લીધો હોય અને મૃત્યુ થયાની ટકાવારી માત્ર 1.14 % જ નોંધાઇ છે. એટલે કે વેકસીન નહિ લેનારા લોકોના કોરોનાથી મૃત્યુની ટકાવારી 96.86 % જેટલી ઊંચી રહી છે.
ભરૂચ કોવિડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં વેકસીનને લઈ ચોંકાવનારી હકીકત સામે આવી છે. કોરોના વેક્સિનની અસરકારકતા મૃત્યુનું જોખમ ઘટાડે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે તે હકીકત વધુ એક વખત આ સર્વેક્ષણ પરથી ફલિત થઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં પણ હજુ ઘણા લોકો એવા છે, જે વેક્સિન લેતા ખચકાટ અનુભવે છે. આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવિડ સ્મશાને જાહેર કરેલા આંકડા અને માહિતી દૂર કરી દે તેમ છે. સ્પેશિયલ કોવિડ સ્મશનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આજ દિન સુધી જેટલા પણ મૃતદેહની અંતિમક્રિયા કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી હતી.
કોરોનના આ અજગરી ભરડામાં ગુજરાતમાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું. રોજના સરેરાશ 4થી 5 મોતના આંકડાઓ 30 એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા હતા. સ્થિતિ અને સંજોગો એવા ઉભા થયા કે સ્મશાનને ત્રણ ગણું મોટું બનાવવાની જરૂરિયાત ઉભી થઇ. ભરૂચ કોવિડ સ્મશાનના સંચાલકના જણાવ્યા મુજબ, તેમણે સ્મશાનમાં અત્યાર સુધીમાં લગભગ 877 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી છે. સેકન્ડ સ્ટ્રેઇનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઉમેરી હતી. 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જયારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે.
કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ માટે લવાયેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમણે વેક્સીનના 2 ડોઝ લીધા હતા. જો ટકાવારી જોવામાં આવે તો વેકસીન નહિ લેનાર મૃતદેહોની ટકાવારી 98.86 % થાય છે.
જે જોતા એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર 1.14 % લોકોએ પોતાના વેક્સિનના 2 ડોઝ પુરા કર્યા હતા, જોકે ઇમ્યુનીટી બનવા માટે જરૂરી બીજી વેક્સીન પછી 14 દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહિ તેની કોઈ માહિતી સામે આવી નથી.