WatchGujarat. કોરોનાની વેક્સીનને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ હતો. ગતરોજ પ્રધાનમંત્રી દ્વારા દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સીનેશન અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પહેલા દિવસે તમામ સેન્ટરો પર 100 રસીકરણ કરવામાં આવ્યું હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોરોના રસી લેવાના નિર્ણયથી રસી લીધા બાદના 24 કલાકના સુધીના શરીરમાં થયેલા ફેરફારો અંગે સયાજી હોસ્પિટલના ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ચેતના સેજુએ watchgujarat.com સાથે વાત કરી હતી.
સવાલ - તમે છેલ્લી વેક્સીન ક્યારે લીધી હતી ?
ડો.ચેતના સેજુ - ચોક્કસ તો ખ્યાલ નથી. પરંતુ આશરે 35 વર્ષ પહેલા વેક્સીન લીધી હતી. અને હવે ગઇ કાલે કોરોનાની વેક્સીન લીધી હતી.
સવાલ - કોરોનાની વેક્સીન લેવા અંગે તમારા પરિવરજનોને જણાવ્યું ત્યારે તેમનું શું રીએક્શન હતું ?
ડો.ચેતના સેજુ - મારા પરિવારના સભ્યો નોન મેડીકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. એટલે તેમણે મારા કોરોના વેક્સીન લેવા અંગેની વાત સાંભળીને સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અને મારો પરિવાર મારી સાથે સપોર્ટમાં રહ્યો હતો.
સવાલ - કોરોનાની વેક્સીન લીધા બાદ 24 કલાકમાં તમારા શરીરમાં કોઇ ફેરફાર જણાયા છે ?
ડો.ચેતના સેજુ - સામાન્ય રીતે નાના બાળકને પણ જો રસી આપવામાં આવે તો રસી લીધાના એક બે દિવસ સુધી, તેને સામાન્ય તાવના લક્ષણો જોવા મળતા હોય છે. કોરોનાની વેક્સીન લીધા બાદ 24 કલાકમાં મને હળવા તાવના લક્ષણો અનુભવાઇ રહ્યા છે. પરંતુ તેને કારણે મારા રૂટીન પર કોઇ અસર પડી નથી. હું નિયમીત રીતે જે ક્રમમાં કામ કરતી હતી તે આજે પણ ચાલુ રહ્યું હતું.
સવાલ - કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં કોઇ અસર જોવા મળે તો શું કરવું ?
ડો.ચેતના સેજુ - કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં કોઇ લક્ષણ જોવા મળે તો તેના માટે સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે. અને રસી લેનાર વ્યક્તિઓને કમિટી મેમ્બર્સના કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે. જો કોઇ પણ વ્યક્તિને રસી લીધા બાદ લક્ષણો જણાય તો કમિટી મેમ્બર્સના માર્ગદર્શનમાં ગાઇડન્સ અને જરૂર પડ્યે ટ્રીટમેન્ટ લઇ શકે છે.
સવાલ - વેક્સીનને લઇને અનેક ગેરમાન્યતાઓ છે, તે અંગે તમે શું કહેશો ?
ડો.ચેતના સેજુ - વેક્સીનને લઇને લોકોમાં ગેરમાન્યતાઓ હોઇ શકે. પરંતુ સરકાર દ્વારા ખુબ જ શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. વેક્સીનને પહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આપવામાં આવી છે. જેને લઇને લોકોમાં કોરોના વેક્સીનને લઇને રહેલી ગેરમાન્યતાઓ દુર થશે. લોકોની સારવાર લઇ રહેલા ડોક્ટર્સ પહેલી રસી લેશે તો લોકોનો રસી પર ભરોષો વધશે. તબિબિ ક્ષેત્રમાં જાણકાર જ્યારે પહેલા દવા અથવાતો વેક્સીન પોતે લે તો તેમાં લોકોનો વિશ્વાસ વધુ મજબુત થતો હોય છે.
સવાલ - વેક્સીન લીધા બાદ ફેમીલી અને ફ્રેન્ડ્સનું શું રીએક્શન હતું ?
ડો.ચેતના સેજુ - વેક્સીન લીધા બાદ લોકો તરફથી ખુબ જ સરાહના મળી છે. ફેમીલી અને ફ્રેન્ડ્સ દ્વારા વેક્સીન લેવાના નિર્ણયને બહાદુરી પુર્વકનો ગણી બિરદાવ્યો છે. વેક્સીન લીધા બાદ અનેક લોકોએ મારી સાથે મેસેજ શેર કર્યા હતા. મેં પરિવારજનો અને મેડીકલ ફ્રેટર્નીટી માટે રોલ મોડેલ જેવું કામ કર્યાની લાગણી અનુભવી રહી છું. મારા વેક્સીનેશન થયા બાદ હવે મારી નજીકના લોકોમાં વેક્સીન પ્રત્યે ભરોષો વધારે મજબુત થયો છે.
(ડો. ચેતના સેજુ (MPT - Ortho) SSH હોસ્પિટલમાં છેલ્લા 24 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા છે. હાલ તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફીઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે. અને તેની સાથે Geriatric Rehabilitation વિષયમાં PhD કરી રહ્યા છે. કોરોના કાળમાં ડો. ચેતના સેજુની કોવિડ વોર્ડમાં ફિઝીયોથેરાપીના નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. અને તેમના માર્ગદર્શનમાં કોરોના પોઝીટીવ દર્દીઓને વિવિધ એક્સરસાઇઝ કરાવવામાં આવતી હતી.)
WatchGujarat. કોરોનાની વેક્સીનને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ હતો. ગતરોજ પ્રધાનમંત્રી દ્વારા દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સીનેશન અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પહેલા દિવસે તમામ સેન્ટરો પર 100 રસીકરણ કરવામાં આવ્યું હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોરોના રસી લેવાના નિર્ણયથી રસી લીધા બાદના 24 કલાકના સુધીના શરીરમાં થયેલા ફેરફારો અંગે સયાજી હોસ્પિટલના ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ચેતના સેજુએ watchgujarat.com સાથે વાત કરી હતી.
સવાલ - તમે છેલ્લી વેક્સીન ક્યારે લીધી હતી ?
ડો.ચેતના સેજુ - ચોક્કસ તો ખ્યાલ નથી. પરંતુ આશરે 35 વર્ષ પહેલા વેક્સીન લીધી હતી. અને હવે ગઇ કાલે કોરોનાની વેક્સીન લીધી હતી.
સવાલ - કોરોનાની વેક્સીન લેવા અંગે તમારા પરિવરજનોને જણાવ્યું ત્યારે તેમનું શું રીએક્શન હતું ?
ડો.ચેતના સેજુ - મારા પરિવારના સભ્યો નોન મેડીકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. એટલે તેમણે મારા કોરોના વેક્સીન લેવા અંગેની વાત સાંભળીને સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અને મારો પરિવાર મારી સાથે સપોર્ટમાં રહ્યો હતો.
સવાલ - કોરોનાની વેક્સીન લીધા બાદ 24 કલાકમાં તમારા શરીરમાં કોઇ ફેરફાર જણાયા છે ?
ડો.ચેતના સેજુ - સામાન્ય રીતે નાના બાળકને પણ જો રસી આપવામાં આવે તો રસી લીધાના એક બે દિવસ સુધી, તેને સામાન્ય તાવના લક્ષણો જોવા મળતા હોય છે. કોરોનાની વેક્સીન લીધા બાદ 24 કલાકમાં મને હળવા તાવના લક્ષણો અનુભવાઇ રહ્યા છે. પરંતુ તેને કારણે મારા રૂટીન પર કોઇ અસર પડી નથી. હું નિયમીત રીતે જે ક્રમમાં કામ કરતી હતી તે આજે પણ ચાલુ રહ્યું હતું.
સવાલ - કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં કોઇ અસર જોવા મળે તો શું કરવું ?
ડો.ચેતના સેજુ - કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં કોઇ લક્ષણ જોવા મળે તો તેના માટે સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે. અને રસી લેનાર વ્યક્તિઓને કમિટી મેમ્બર્સના કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે. જો કોઇ પણ વ્યક્તિને રસી લીધા બાદ લક્ષણો જણાય તો કમિટી મેમ્બર્સના માર્ગદર્શનમાં ગાઇડન્સ અને જરૂર પડ્યે ટ્રીટમેન્ટ લઇ શકે છે.
સવાલ - વેક્સીનને લઇને અનેક ગેરમાન્યતાઓ છે, તે અંગે તમે શું કહેશો ?
ડો.ચેતના સેજુ - વેક્સીનને લઇને લોકોમાં ગેરમાન્યતાઓ હોઇ શકે. પરંતુ સરકાર દ્વારા ખુબ જ શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. વેક્સીનને પહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આપવામાં આવી છે. જેને લઇને લોકોમાં કોરોના વેક્સીનને લઇને રહેલી ગેરમાન્યતાઓ દુર થશે. લોકોની સારવાર લઇ રહેલા ડોક્ટર્સ પહેલી રસી લેશે તો લોકોનો રસી પર ભરોષો વધશે. તબિબિ ક્ષેત્રમાં જાણકાર જ્યારે પહેલા દવા અથવાતો વેક્સીન પોતે લે તો તેમાં લોકોનો વિશ્વાસ વધુ મજબુત થતો હોય છે.
સવાલ - વેક્સીન લીધા બાદ ફેમીલી અને ફ્રેન્ડ્સનું શું રીએક્શન હતું ?
ડો.ચેતના સેજુ - વેક્સીન લીધા બાદ લોકો તરફથી ખુબ જ સરાહના મળી છે. ફેમીલી અને ફ્રેન્ડ્સ દ્વારા વેક્સીન લેવાના નિર્ણયને બહાદુરી પુર્વકનો ગણી બિરદાવ્યો છે. વેક્સીન લીધા બાદ અનેક લોકોએ મારી સાથે મેસેજ શેર કર્યા હતા. મેં પરિવારજનો અને મેડીકલ ફ્રેટર્નીટી માટે રોલ મોડેલ જેવું કામ કર્યાની લાગણી અનુભવી રહી છું. મારા વેક્સીનેશન થયા બાદ હવે મારી નજીકના લોકોમાં વેક્સીન પ્રત્યે ભરોષો વધારે મજબુત થયો છે.
(ડો. ચેતના સેજુ (MPT - Ortho) SSH હોસ્પિટલમાં છેલ્લા 24 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા છે. હાલ તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફીઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે. અને તેની સાથે Geriatric Rehabilitation વિષયમાં PhD કરી રહ્યા છે. કોરોના કાળમાં ડો. ચેતના સેજુની કોવિડ વોર્ડમાં ફિઝીયોથેરાપીના નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. અને તેમના માર્ગદર્શનમાં કોરોના પોઝીટીવ દર્દીઓને વિવિધ એક્સરસાઇઝ કરાવવામાં આવતી હતી.)