વડોદરા માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટસમાં ગત મોડી રાત્રે બનેલી ઘટના
રાત્રે અઢી વાગ્યાના અરસામાં પરિણીતાએ મોતની છલંગ લગાવી મોતને વ્હાલુ કર્યું
મકરપુરા પોલીસને જાણ થતાં સમગ્ર ઘટનાની તપાસ ડીસીપીએ હાથ ધરી
WatchGujarat. આપઘાતના કિસ્સાઓનો અંત આવતો દેખાતો નથી, સામાન્ય બાબતોમાં વાતનુ નિરાકરણ લાવવાને બદલે હતાશ થઇ લોકો આપઘાતનો રસ્તો અપનાવી લે છે. તેવામાં હજી તો સોની પરિવારના સામૂહિક આપઘાતની સ્યાહી સુંકાઇ નથી ત્યા તો વધુ એક યુવાન પરિણીતાએ સાંતમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલુ કરી લીધું હતુ.ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ બાજવાના યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટમાં ત્રણ વર્ષ પૂર્વે સૌરભ દેશમુખ અને તેમના પત્ની વૈશાલીબેન રહેવા માટે આવ્યાં હતા. સૌરભ શહેર નજીકની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. સૌરભ અને વૈશાલીના અંદાજીત સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતિ વડોદરા સ્થિત માણેજા ખાતેના બાકેરી ફ્લેટમાં રહેવા લાગ્યું હતુ. તેવામાં ગત મોડી રાત્રે દંપતિ વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં તેણીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
અંદાજીત રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલાના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહ્યું છે. તેવામાં ફ્લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનુ વૈશાલીને લાગી આવતા તેણીએ સાંતમાં માળેથી કુદી આપઘાત કરી લીધો હોવાનુ હાલ સૂત્રો દ્વારા જાણાવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે આપઘાત જેવા કિસ્સાઓની તપાસ પી.આઇ અથવા તો પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ આ બનાવની તપાસ ખુદ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા કરી રહ્યાં છે. ત્યારે ઉપરોક્તમાં બનવામાં પરિણીતાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું તેનુ ચોંકવનારૂ કારણ બહાર આવે તો નવાઇ નહીં.
વડોદરા માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટસમાં ગત મોડી રાત્રે બનેલી ઘટના
મકરપુરા પોલીસને જાણ થતાં સમગ્ર ઘટનાની તપાસ ડીસીપીએ હાથ ધરી
WatchGujarat. આપઘાતના કિસ્સાઓનો અંત આવતો દેખાતો નથી, સામાન્ય બાબતોમાં વાતનુ નિરાકરણ લાવવાને બદલે હતાશ થઇ લોકો આપઘાતનો રસ્તો અપનાવી લે છે. તેવામાં હજી તો સોની પરિવારના સામૂહિક આપઘાતની સ્યાહી સુંકાઇ નથી ત્યા તો વધુ એક યુવાન પરિણીતાએ સાંતમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલુ કરી લીધું હતુ.ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ બાજવાના યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટમાં ત્રણ વર્ષ પૂર્વે સૌરભ દેશમુખ અને તેમના પત્ની વૈશાલીબેન રહેવા માટે આવ્યાં હતા. સૌરભ શહેર નજીકની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. સૌરભ અને વૈશાલીના અંદાજીત સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતિ વડોદરા સ્થિત માણેજા ખાતેના બાકેરી ફ્લેટમાં રહેવા લાગ્યું હતુ. તેવામાં ગત મોડી રાત્રે દંપતિ વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં તેણીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
અંદાજીત રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલાના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહ્યું છે. તેવામાં ફ્લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનુ વૈશાલીને લાગી આવતા તેણીએ સાંતમાં માળેથી કુદી આપઘાત કરી લીધો હોવાનુ હાલ સૂત્રો દ્વારા જાણાવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે આપઘાત જેવા કિસ્સાઓની તપાસ પી.આઇ અથવા તો પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ આ બનાવની તપાસ ખુદ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા કરી રહ્યાં છે. ત્યારે ઉપરોક્તમાં બનવામાં પરિણીતાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું તેનુ ચોંકવનારૂ કારણ બહાર આવે તો નવાઇ નહીં.