કલેકટરે બોમ્બે પટેલ વેલફેર ટ્રસ્ટને જૂની બિલ્ડીંગમાં ડેડીકેટેડ કોવિડ સેન્ટર ઉભું કરવા આપેલી પરવાનગી સામે નવી બિલ્ડિંગમાં COVID-19 કાર્યરત કર્યું
નવી બિલ્ડિંગમાં પરવાનગી વગર કોવિડ સેન્ટર કાર્યરત કરવા સાથે BU (બિલ્ડીંગ યુઝ) પરમિશન, ફાયર સેફટીના સાધનો, NOC કે વીજ જોડાણ પણ કાયમી ન હતું
ASP એ જાતે ફરિયાદી બની બીડીવીઝન પોલીસ મથકે FIR નોંધાવી, તપાસ Dy.SP એમ.પી. ભોજાણીના હવાલે
વેલફેર હોસ્પિટલમાં આગની ઘટના પાછળ જવાબદારી નક્કી કરો, હાઇકોર્ટની 11મીએ સરકારને ટકોર બાદ 24 કલાકમાં જ હોસ્પિટલ સત્તાધીશો અને ટ્રસ્ટીઓની નિષ્કાળજી બદલ ફરિયાદ દાખલ
FSL, RFO, DGVCL, BAUDA, ડાયરેકટર ઓફ સેફટી એન્ડ હેલ્થ, 2 IAS ની ટીમ, તપાસ એજન્સીઓ, પોલીસની વિઝીટ બાદ અભિપ્રાયના આધારે હોસ્પિટલના વ્યવસ્થાપકો અને કર્તાહર્તાઓ પર ગાજ
WatchGujarat. ગુજરાતના 61 માં સ્થાપના દિવસની પૂર્વ રાત્રે ભરૂચની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના સેન્ટરમાં લાગેલી આગમાં 16 દર્દીઓ અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ જવાની કમભાગી ઘટનામાં 11 મી એ હાઇકોર્ટની ગાજ બાદ 24 કલાકમાં જ બેજવાબદાર ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો સામે ગંભીર ગુનાઇત નિષ્કાળજી બદલ ASP એ જાતે ફરિયાદી બની FIR દાખલ કરવામાં આવી છે.
ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે કોવિડ સેન્ટરના ICU વોર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 11 મે ના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટના 2 ન્યાયાધીશની બેંચે આ હોનારતમાં જવાબદાર કોણ તે નક્કી કરવા સરકાર અને તંત્રને ટકોર કરી હતી.
બીજી તરફ હોનારત બાદ થી જ પોલીસ, ફાયર, DGVCL, FSL, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, BAUDA, પાલિકા સહિતની ટીમોએ ઘટના સ્થળની વિઝીટ કરી તપાસ ધમધમાવી હતી. સરકારે તાત્કાલિક 2 સિનિયર IAS અધિકારીઓને પણ ભરૂચ દોડી આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવા સૂચના આપી હતી. ગૃહમંત્રી અને IG પણ દોડી આવ્યા હતા.
જે બાદ આ અગ્નિકાંડની તપાસ પણ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને રાજ્ય સરકારે આપી હતી. દરમિયાન હાઇકોર્ટમાં 11 મી એ આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેલફેર આગની ઘટનામાં જવાબદારી નક્કી કરવા ટકોર કરી સંબંધિત તંત્ર અને જવાબદારોને જોડી નોટિસ આપવા પણ જણાવાયું હતું. જેની વધુ સુનાવણી 25 મે રાખવામાં આવી છે.
હાઈકોર્ટની 11 મી ના રોજ સુનાવણીના 24 કલાકની અંદર જ આ હોનારતમાં ભરૂચ ASP વિકાસ સુંડાએ ફરિયાદી બની બી ડિવિઝનમાં પટેલ વેલફેર હોસ્પિટલ કોવિડ હોસ્પિટલની દુર્ઘટનામાં મુખ્ય ટ્રસ્ટી ખાલીદ પટેલ (ફાંસીવાલા), અન્ય ટ્રસ્ટીઓ તેમજ તપાસમાં બીજા જે નીકળે તેની સામે ગંભીર બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાવ્યો છે.
બી ડિવિઝનમાં ASP એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન સબંધીત અલગ અલગ વિભાગો પાસેથી અહેવાલ-અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ ( BAUDA ), ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય અગ્ની નિવારણ સેવા - રિઝયોનલ ફાયર ઓફીસર સુરત ( RFO ), પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા ( FSL ) સુરતે સ્થળ તપાસ કર્યા બાદ 16 જેટલી ખામીઓ, બેદરકારી કે નિષ્કાળ બહાર આવી હતી.
કલેકટર ડો. એમ. ડી. મોડિયા દ્વારા ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી, ભરૂચના સંચાલકોને પટેલ વેલ્ફર હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં આવેલ જુની બિલ્ડીંગ કે જે વેલ્ફર હોસ્પીટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર તરીકે ઓળખાય છે જેમાં ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી અપાઈ હતી.
જો કે, સક્ષમ સત્તાધિકારીની પુર્વ મંજુરી વિના આ જ કમ્પાઉન્ડ માં આવેલ નવા બિલ્ડીંગમાં BU સર્ટીફીકેટ મેળવ્યા વિના, FIRE SAFETY માટેની નકકી થયેલ ધારા ધોરણો મુજબના આગ નિયંત્રક ઉપકરણો ગોઠવ્યા વિના, ફાયર વિભાગના NOC વિના તથા નવા બિલ્ડીંગમાં વહીવટી નિતી - નિયમોનો ભંગ કરી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરી અકસ્માતે આગમાં મોટી જાનહાની થઇ શકે તેવી ગંભીર નિષ્કાળજી દાખવી છે. આ ગુનાહિત બેદરકારીના પરિણામે કુલ 18 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે નવા બિલ્ડીંગ ખાતે કાર્યરત આ ડેઝીનેટેડ કોવિડ હોસ્પીટલ ખાતે આગમાં મોટી જાનહાની થઇ છે . જેથી તજજ્ઞ અભિપ્રાય , સ્થ ળ - સ્થિ તી પંચનામા , અકસ્માતમાં બચેલા સાહેદો , નજરે જોનાર સાક્ષી , તત્કાલ બચાવ કામગીરીમાં જોડાયેલ પોલીસ દળના સભ્યો , ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સાહેદો વિગેરેની હકીકત આધારે પટેલ વેલફેર હોસ્પીટલના નવા બિલ્ડીંગ ખાતે મંજુરી ન હોવા છતા અને ફાયર NOC મેળવ્યા વિના ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરાવનાર અને તેના સંચાલક અને ધી બોમ્બે પટેલ વેલ્ફર સોસાયટીના પ્રમુખ ખાલીદ પટેલ ( ફાંસીવાલા), ટ્રસ્ટ ના અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ અને તપાસમાં નીકળે તેવા અન્ય કોઇ પણ જવાબદાર ઇસમો વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 304 ( અ ) , 336, 337 , 114 મુજબ FIR નોંધી તપાસ DySP એમ.પી. બોજાણીને સોંપાઈ હોવાનું DSP રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
કલેકટરે બોમ્બે પટેલ વેલફેર ટ્રસ્ટને જૂની બિલ્ડીંગમાં ડેડીકેટેડ કોવિડ સેન્ટર ઉભું કરવા આપેલી પરવાનગી સામે નવી બિલ્ડિંગમાં COVID-19 કાર્યરત કર્યું
નવી બિલ્ડિંગમાં પરવાનગી વગર કોવિડ સેન્ટર કાર્યરત કરવા સાથે BU (બિલ્ડીંગ યુઝ) પરમિશન, ફાયર સેફટીના સાધનો, NOC કે વીજ જોડાણ પણ કાયમી ન હતું
ASP એ જાતે ફરિયાદી બની બીડીવીઝન પોલીસ મથકે FIR નોંધાવી, તપાસ Dy.SP એમ.પી. ભોજાણીના હવાલે
વેલફેર હોસ્પિટલમાં આગની ઘટના પાછળ જવાબદારી નક્કી કરો, હાઇકોર્ટની 11મીએ સરકારને ટકોર બાદ 24 કલાકમાં જ હોસ્પિટલ સત્તાધીશો અને ટ્રસ્ટીઓની નિષ્કાળજી બદલ ફરિયાદ દાખલ
FSL, RFO, DGVCL, BAUDA, ડાયરેકટર ઓફ સેફટી એન્ડ હેલ્થ, 2 IAS ની ટીમ, તપાસ એજન્સીઓ, પોલીસની વિઝીટ બાદ અભિપ્રાયના આધારે હોસ્પિટલના વ્યવસ્થાપકો અને કર્તાહર્તાઓ પર ગાજ
WatchGujarat. ગુજરાતના 61 માં સ્થાપના દિવસની પૂર્વ રાત્રે ભરૂચની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના સેન્ટરમાં લાગેલી આગમાં 16 દર્દીઓ અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ જવાની કમભાગી ઘટનામાં 11 મી એ હાઇકોર્ટની ગાજ બાદ 24 કલાકમાં જ બેજવાબદાર ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો સામે ગંભીર ગુનાઇત નિષ્કાળજી બદલ ASP એ જાતે ફરિયાદી બની FIR દાખલ કરવામાં આવી છે.
ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે કોવિડ સેન્ટરના ICU વોર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 11 મે ના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટના 2 ન્યાયાધીશની બેંચે આ હોનારતમાં જવાબદાર કોણ તે નક્કી કરવા સરકાર અને તંત્રને ટકોર કરી હતી.
બીજી તરફ હોનારત બાદ થી જ પોલીસ, ફાયર, DGVCL, FSL, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, BAUDA, પાલિકા સહિતની ટીમોએ ઘટના સ્થળની વિઝીટ કરી તપાસ ધમધમાવી હતી. સરકારે તાત્કાલિક 2 સિનિયર IAS અધિકારીઓને પણ ભરૂચ દોડી આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવા સૂચના આપી હતી. ગૃહમંત્રી અને IG પણ દોડી આવ્યા હતા.
જે બાદ આ અગ્નિકાંડની તપાસ પણ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને રાજ્ય સરકારે આપી હતી. દરમિયાન હાઇકોર્ટમાં 11 મી એ આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેલફેર આગની ઘટનામાં જવાબદારી નક્કી કરવા ટકોર કરી સંબંધિત તંત્ર અને જવાબદારોને જોડી નોટિસ આપવા પણ જણાવાયું હતું. જેની વધુ સુનાવણી 25 મે રાખવામાં આવી છે.
હાઈકોર્ટની 11 મી ના રોજ સુનાવણીના 24 કલાકની અંદર જ આ હોનારતમાં ભરૂચ ASP વિકાસ સુંડાએ ફરિયાદી બની બી ડિવિઝનમાં પટેલ વેલફેર હોસ્પિટલ કોવિડ હોસ્પિટલની દુર્ઘટનામાં મુખ્ય ટ્રસ્ટી ખાલીદ પટેલ (ફાંસીવાલા), અન્ય ટ્રસ્ટીઓ તેમજ તપાસમાં બીજા જે નીકળે તેની સામે ગંભીર બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાવ્યો છે.
બી ડિવિઝનમાં ASP એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન સબંધીત અલગ અલગ વિભાગો પાસેથી અહેવાલ-અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ ( BAUDA ), ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય અગ્ની નિવારણ સેવા - રિઝયોનલ ફાયર ઓફીસર સુરત ( RFO ), પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા ( FSL ) સુરતે સ્થળ તપાસ કર્યા બાદ 16 જેટલી ખામીઓ, બેદરકારી કે નિષ્કાળ બહાર આવી હતી.
કલેકટર ડો. એમ. ડી. મોડિયા દ્વારા ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી, ભરૂચના સંચાલકોને પટેલ વેલ્ફર હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં આવેલ જુની બિલ્ડીંગ કે જે વેલ્ફર હોસ્પીટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર તરીકે ઓળખાય છે જેમાં ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી અપાઈ હતી.
જો કે, સક્ષમ સત્તાધિકારીની પુર્વ મંજુરી વિના આ જ કમ્પાઉન્ડ માં આવેલ નવા બિલ્ડીંગમાં BU સર્ટીફીકેટ મેળવ્યા વિના, FIRE SAFETY માટેની નકકી થયેલ ધારા ધોરણો મુજબના આગ નિયંત્રક ઉપકરણો ગોઠવ્યા વિના, ફાયર વિભાગના NOC વિના તથા નવા બિલ્ડીંગમાં વહીવટી નિતી - નિયમોનો ભંગ કરી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરી અકસ્માતે આગમાં મોટી જાનહાની થઇ શકે તેવી ગંભીર નિષ્કાળજી દાખવી છે. આ ગુનાહિત બેદરકારીના પરિણામે કુલ 18 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે નવા બિલ્ડીંગ ખાતે કાર્યરત આ ડેઝીનેટેડ કોવિડ હોસ્પીટલ ખાતે આગમાં મોટી જાનહાની થઇ છે . જેથી તજજ્ઞ અભિપ્રાય , સ્થ ળ - સ્થિ તી પંચનામા , અકસ્માતમાં બચેલા સાહેદો , નજરે જોનાર સાક્ષી , તત્કાલ બચાવ કામગીરીમાં જોડાયેલ પોલીસ દળના સભ્યો , ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સાહેદો વિગેરેની હકીકત આધારે પટેલ વેલફેર હોસ્પીટલના નવા બિલ્ડીંગ ખાતે મંજુરી ન હોવા છતા અને ફાયર NOC મેળવ્યા વિના ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરાવનાર અને તેના સંચાલક અને ધી બોમ્બે પટેલ વેલ્ફર સોસાયટીના પ્રમુખ ખાલીદ પટેલ ( ફાંસીવાલા), ટ્રસ્ટ ના અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ અને તપાસમાં નીકળે તેવા અન્ય કોઇ પણ જવાબદાર ઇસમો વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 304 ( અ ) , 336, 337 , 114 મુજબ FIR નોંધી તપાસ DySP એમ.પી. બોજાણીને સોંપાઈ હોવાનું DSP રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે.