કોરોના દર્દીઓની સારવાર માટે પરિવારજનોમાં ભારે દોડધામ.
પાયોનિયર હોસ્પિટલ 170, સુમનદીપ હોસ્પિટલમાં 170 અને પારુલમાં 100 પથારી ખાલી હોવાનો ડૉ. રાવનો દાવો.
આગામી એક સપ્તાહમાં વધારે પથારીઓ (બેડ્સ)ની વ્યવસ્થા કરાશે તેવી ડૉ. રાવની જાહેરાત.
WatchGujarat. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે તો જ કામગીરીની નોંધ લેવાય. બાકી, આગ લાગ્યા વિના કૂવો શું કામ ખોદવો? એવી ચતુરવૃત્તિથી કાર્યરત શહેરનું તંત્ર હવે કર્યા પર પાણી ફેરવવા દોડધામ કરી રહ્યું છે. હાલ જ્યારે કોરોના વિષ્ફોટ થયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વડોદરા ખાતે નિયુક્ત વિશેષ અધિકારી ડૉ. રાવ કોરોના દર્દીઓની સારવાર માટે વધુ પથારીઓ (બેડ્સ)ની વ્યવસ્થા કરવા આજે 3 ખાનગી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતાં. એક તરફ પથારીઓની અછત હોવાની બૂમરાણ મચી છે ત્યારે ડૉ. રાવે 3 ખાનગી હોસ્પિટલ્સમાં કુલ મળીને 440 પથારી ખાલી હોવાનો દાવો કર્યો છે.
વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવાં માટે સરકાર દ્વારા OSD તરીકે ડૉ. વિનોદ રાવને નિયુક્ત કરાયા હતાં. આવતાંની સાથે જ ધડાધડ પથારીઓ વધારવાનું મેનેજમેન્ટ કરનાર ડૉ. રાવ સપ્ટેમ્બર-2020 બાદ સુસુપ્ત અવસ્થામાં જતાં રહ્યાં હતાં. જોકે, ચૂંટણીનો માહોલ અને શિવજી કી સવારીની સમાપ્તિ બાદ કોરોના સંક્રમણે ચિંતાજનક સ્થિતિ સર્જવાની શરૂઆત કરતાં જ ડૉ. રાવ પુનઃ એક્શન મોડમાં આવી ગયાં હતાં.
વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ટર પ્લાન ઘડીને તાજેતરમાં જ ડૉ. રાવ મંત્રી યોગેશ પટેલ સાથે મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડી ગયા હતાં. બેઠકમાં મુખ્યમંત્રીએ આપેલી સૂચનાઓ અંગે મંત્રી યોગેશ પટેલે જાહેરાત કરી હતી. જોકે, મુખ્યમંત્રીની સૂચનાઓનું પુરતું પાલન કરવામાં ડૉ. રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર પૂરેપુરું સફળ થયું નથી.
કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધું ગંભીર બની રહ્યો છે. રોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવી રહ્યાં છે. આંકડાની માયાજાળના આક્ષેપો વચ્ચે સ્મશાનોમાં રાઉન્ડ ધ ક્લોક ચિતાઓ સળગી રહી છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડૉ. રાવે આજરોજ ત્રણ ખાનગી હોસ્પિટલ્સમાં વધુ પથારીઓ પથરાય તે માટે દોડધામ કરી હતી. ડૉ. રાવે મિડીયા ગ્રૂપમાં કરેલી જાહેરાત અનુસાર, પાયોનિયર હોસ્પિટલ ખાતે 280 પથારીની કેપેસિટી છે, જેમાંથી 170 ખાલી છે. ત્યાં આગામી 3 દિવસમાં પથારી વધારવાની શરૂઆત કરાશે. આઈઓસીએલની મદદથી આગામી 7 દિવસમાં કુલ 750 પથારીઓની વ્યવસ્થા કરાશે. અર્થાત્ પાયોનિયર હોસ્પિટલમાં 170 પથારીઓ ભરાઈ નથી, છતાં ત્યાં વધુ 470 પથારી પથરાશે.
ધીરજ હોસ્પિટલની કેપેસિટી 320ની છે જે પૈકી 170 (પાયોનિયર જેટલી જ) પથારી ખાલી છે. અને આગામી 3 દિવસમાં કુલ 500 પથારી અને 7 દિવસમાં કુલ 1000 પથારીની વ્યવસ્થા કરાશે. એટલે કે, 3 દિવસમાં 180 વધશે અને 7 દિવસમાં 680 પથારીનો વધારો કરાશે.
જ્યારે 300 પથારીની કેપિસિટી ધરાવતી પારુલ હોસ્પિટલમાં 100 પથારી ખાલી છે. અને આગામી 3 – 4 દિવસમાં કુલ 500 પથારીની કેપિસિટી કરાશે. એકંદરે, આગામી એક સપ્તાહમાં 3 ખાનગી હોસ્પિટલ્સમાં વધુ 1350 પથારીઓ પથરાશે.
કોરોના દર્દીઓની સારવાર માટે પરિવારજનોમાં ભારે દોડધામ.
આગામી એક સપ્તાહમાં વધારે પથારીઓ (બેડ્સ)ની વ્યવસ્થા કરાશે તેવી ડૉ. રાવની જાહેરાત.
WatchGujarat. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે તો જ કામગીરીની નોંધ લેવાય. બાકી, આગ લાગ્યા વિના કૂવો શું કામ ખોદવો? એવી ચતુરવૃત્તિથી કાર્યરત શહેરનું તંત્ર હવે કર્યા પર પાણી ફેરવવા દોડધામ કરી રહ્યું છે. હાલ જ્યારે કોરોના વિષ્ફોટ થયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વડોદરા ખાતે નિયુક્ત વિશેષ અધિકારી ડૉ. રાવ કોરોના દર્દીઓની સારવાર માટે વધુ પથારીઓ (બેડ્સ)ની વ્યવસ્થા કરવા આજે 3 ખાનગી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતાં. એક તરફ પથારીઓની અછત હોવાની બૂમરાણ મચી છે ત્યારે ડૉ. રાવે 3 ખાનગી હોસ્પિટલ્સમાં કુલ મળીને 440 પથારી ખાલી હોવાનો દાવો કર્યો છે.
વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવાં માટે સરકાર દ્વારા OSD તરીકે ડૉ. વિનોદ રાવને નિયુક્ત કરાયા હતાં. આવતાંની સાથે જ ધડાધડ પથારીઓ વધારવાનું મેનેજમેન્ટ કરનાર ડૉ. રાવ સપ્ટેમ્બર-2020 બાદ સુસુપ્ત અવસ્થામાં જતાં રહ્યાં હતાં. જોકે, ચૂંટણીનો માહોલ અને શિવજી કી સવારીની સમાપ્તિ બાદ કોરોના સંક્રમણે ચિંતાજનક સ્થિતિ સર્જવાની શરૂઆત કરતાં જ ડૉ. રાવ પુનઃ એક્શન મોડમાં આવી ગયાં હતાં.
વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ટર પ્લાન ઘડીને તાજેતરમાં જ ડૉ. રાવ મંત્રી યોગેશ પટેલ સાથે મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડી ગયા હતાં. બેઠકમાં મુખ્યમંત્રીએ આપેલી સૂચનાઓ અંગે મંત્રી યોગેશ પટેલે જાહેરાત કરી હતી. જોકે, મુખ્યમંત્રીની સૂચનાઓનું પુરતું પાલન કરવામાં ડૉ. રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર પૂરેપુરું સફળ થયું નથી.
કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધું ગંભીર બની રહ્યો છે. રોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવી રહ્યાં છે. આંકડાની માયાજાળના આક્ષેપો વચ્ચે સ્મશાનોમાં રાઉન્ડ ધ ક્લોક ચિતાઓ સળગી રહી છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડૉ. રાવે આજરોજ ત્રણ ખાનગી હોસ્પિટલ્સમાં વધુ પથારીઓ પથરાય તે માટે દોડધામ કરી હતી. ડૉ. રાવે મિડીયા ગ્રૂપમાં કરેલી જાહેરાત અનુસાર, પાયોનિયર હોસ્પિટલ ખાતે 280 પથારીની કેપેસિટી છે, જેમાંથી 170 ખાલી છે. ત્યાં આગામી 3 દિવસમાં પથારી વધારવાની શરૂઆત કરાશે. આઈઓસીએલની મદદથી આગામી 7 દિવસમાં કુલ 750 પથારીઓની વ્યવસ્થા કરાશે. અર્થાત્ પાયોનિયર હોસ્પિટલમાં 170 પથારીઓ ભરાઈ નથી, છતાં ત્યાં વધુ 470 પથારી પથરાશે.
ધીરજ હોસ્પિટલની કેપેસિટી 320ની છે જે પૈકી 170 (પાયોનિયર જેટલી જ) પથારી ખાલી છે. અને આગામી 3 દિવસમાં કુલ 500 પથારી અને 7 દિવસમાં કુલ 1000 પથારીની વ્યવસ્થા કરાશે. એટલે કે, 3 દિવસમાં 180 વધશે અને 7 દિવસમાં 680 પથારીનો વધારો કરાશે.
જ્યારે 300 પથારીની કેપિસિટી ધરાવતી પારુલ હોસ્પિટલમાં 100 પથારી ખાલી છે. અને આગામી 3 – 4 દિવસમાં કુલ 500 પથારીની કેપિસિટી કરાશે. એકંદરે, આગામી એક સપ્તાહમાં 3 ખાનગી હોસ્પિટલ્સમાં વધુ 1350 પથારીઓ પથરાશે.