કોરોના કેસોમાં ઉછાળો આવતા તંત્રએ વધુ બેડની સુવિધાઓ તૈયાર કરવાની ફરજ પડી
શહેરમાં વધુ નર્સિંગ સ્ટાફ અને તબિબોને કોરોનાની ડ્યુટીમાં જોડવામાં આવ્યા
સંકલન માટે નવ ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોરવાર જવાબદારીઓ સોંપી
WatchGujarat. કોરોનાનો કહેર વધતા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો કરવાની ફરજ પડી છે. કોવીડના દર્દીઓને બહેતર સેવાઓ મળી રહે તે માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ગોત્રી દવાખાનામાં ICU બેડ, તબીબો અને નર્સિંગ સહાયકો વધારવામાં આવ્યાં છે.
ઓ.એસ.ડી ડો. વિનોદ રાવે જણાવ્યું કે, ગોત્રી મેડીકલ હોસ્પિટલ ખાતે આઇસીયુ બેડની સંખ્યા વધારીને 250 કરવામાં આવી છે જે પૈકી 125 વેન્ટિલેટર બેડ રહેશે. આજે 137 એમ. બી. બી. એસ. ઇન્ટર્ન ગોત્રીમાં જોડાતા કોવિડ સેવાઓ વધુ મજબૂત બની છે. આપણી પાસે અન્ય જિલ્લાઓમાંથી મોકલવામાં આવેલા 47 તબીબો છે. જ્યારે વડોદરાની સ્થાનિક નર્સિંગ કોલેજોમાંથી 130 નર્સિંગ સહાયકો પણ લીધાં છે. અને એસએસજી હોસ્પિટલમાં પણ 250 આઇસીયુ બેડની સુવિધા તૈયાર કરવામાં આવશે. જેને પગલે શહેરમાં આવેલી બે સરકારી હોસ્પિટલમાં વધુ 500 ICU બેડની સુવિધા ટુંક સમયમાં કાર્યરત થશે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલમાં કોવીડની સારવાર અને બહેતર સંકલન માટે નવ ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોરવાર જવાબદારીઓ સોંપી ને દિવસમાં બે વાર સીધા તેમને રિપોર્ટ કરવા જણાવ્યું છે. તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષક ને પણ રિપોર્ટ કરશે.
ગુરૂવારે સવારે ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટીમ મેમ્બર્સ સાથે બેઠક યોજી હતી અને હાલમાં અહી 500 જેટલાં દર્દીઓ દાખલ હોવાથી અસરકારક પ્રબંધન અને જવાબદેહી માટે તબીબો અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી.
જેમાં ડો.મયુર અડાલજાને ઓપીડી ઇન્ચાર્જ, દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સંકલન અને સંદેશા વ્યવહાર માટે ડો.આશિષ સચદેવ, વેન્ટિલેટર અને ઓકસીજનના મેનેજમેન્ટ માટે ડો. નીતા બોઝ, હોસ્પિટલમાં નોંધાતા મરણ અંગે સંકલન સહિતની તમામ બાબતો અંગે ડો.હિતેશ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલને ચાર સેક્શનમાં વહેંચી તેનું નેતૃત્વ સેક્શન હેડને સોંપવામાં આવ્યું છે.
તે પ્રમાણે ડો.મીનાક્ષી શાહ ડોમ સ્ટ્રકચરની, ડો.અનુપ ચંદાણી ચોથા માળની, ડો.ભાવેશ દલવાડી પાંચમાં માળની અને ડો.ચિરાગ રાઠોડ છઠ્ઠા માળની અને ડો.શુભાંગી દેશપાંડે સાતમામાં માળની જવાબદારી સંભાળશે.
કોરોના કેસોમાં ઉછાળો આવતા તંત્રએ વધુ બેડની સુવિધાઓ તૈયાર કરવાની ફરજ પડી
શહેરમાં વધુ નર્સિંગ સ્ટાફ અને તબિબોને કોરોનાની ડ્યુટીમાં જોડવામાં આવ્યા
સંકલન માટે નવ ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોરવાર જવાબદારીઓ સોંપી
WatchGujarat. કોરોનાનો કહેર વધતા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો કરવાની ફરજ પડી છે. કોવીડના દર્દીઓને બહેતર સેવાઓ મળી રહે તે માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ગોત્રી દવાખાનામાં ICU બેડ, તબીબો અને નર્સિંગ સહાયકો વધારવામાં આવ્યાં છે.
ઓ.એસ.ડી ડો. વિનોદ રાવે જણાવ્યું કે, ગોત્રી મેડીકલ હોસ્પિટલ ખાતે આઇસીયુ બેડની સંખ્યા વધારીને 250 કરવામાં આવી છે જે પૈકી 125 વેન્ટિલેટર બેડ રહેશે. આજે 137 એમ. બી. બી. એસ. ઇન્ટર્ન ગોત્રીમાં જોડાતા કોવિડ સેવાઓ વધુ મજબૂત બની છે. આપણી પાસે અન્ય જિલ્લાઓમાંથી મોકલવામાં આવેલા 47 તબીબો છે. જ્યારે વડોદરાની સ્થાનિક નર્સિંગ કોલેજોમાંથી 130 નર્સિંગ સહાયકો પણ લીધાં છે. અને એસએસજી હોસ્પિટલમાં પણ 250 આઇસીયુ બેડની સુવિધા તૈયાર કરવામાં આવશે. જેને પગલે શહેરમાં આવેલી બે સરકારી હોસ્પિટલમાં વધુ 500 ICU બેડની સુવિધા ટુંક સમયમાં કાર્યરત થશે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલમાં કોવીડની સારવાર અને બહેતર સંકલન માટે નવ ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોરવાર જવાબદારીઓ સોંપી ને દિવસમાં બે વાર સીધા તેમને રિપોર્ટ કરવા જણાવ્યું છે. તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષક ને પણ રિપોર્ટ કરશે.
ગુરૂવારે સવારે ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટીમ મેમ્બર્સ સાથે બેઠક યોજી હતી અને હાલમાં અહી 500 જેટલાં દર્દીઓ દાખલ હોવાથી અસરકારક પ્રબંધન અને જવાબદેહી માટે તબીબો અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી.
જેમાં ડો.મયુર અડાલજાને ઓપીડી ઇન્ચાર્જ, દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સંકલન અને સંદેશા વ્યવહાર માટે ડો.આશિષ સચદેવ, વેન્ટિલેટર અને ઓકસીજનના મેનેજમેન્ટ માટે ડો. નીતા બોઝ, હોસ્પિટલમાં નોંધાતા મરણ અંગે સંકલન સહિતની તમામ બાબતો અંગે ડો.હિતેશ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલને ચાર સેક્શનમાં વહેંચી તેનું નેતૃત્વ સેક્શન હેડને સોંપવામાં આવ્યું છે.
તે પ્રમાણે ડો.મીનાક્ષી શાહ ડોમ સ્ટ્રકચરની, ડો.અનુપ ચંદાણી ચોથા માળની, ડો.ભાવેશ દલવાડી પાંચમાં માળની અને ડો.ચિરાગ રાઠોડ છઠ્ઠા માળની અને ડો.શુભાંગી દેશપાંડે સાતમામાં માળની જવાબદારી સંભાળશે.