સયાજી હોસ્પિટલ ખાતેથી શહેર જિલ્લામાં કોવિડ રસીકરણની કરાવ્યો પ્રારંભ
ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 79 ટકા લાભાર્થીઓ એ રસી લીધી
બુધ્ધિધનમાં ભારત આગળ છે અને રહેશે - ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી
WatchGujarat. કોરોના મહામારીને ધ્યાને લઇને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના રસીકરણનો આજે દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ઉપસ્થિત રહી શહેર અને જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, તા.12 મીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિના દિવસે વડાપ્રધાને કોરોના રસીનું દેશવ્યાપી વિતરણ શરૂ કરાવ્યું. દરેક જગ્યા પર ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે તેમને પ્રથમ રસી આપવામાં આવશે. આ રસી ક્યાંય પાછી નહિ પડે. સચેત થઇ, માહિતી મેળવીને, વૈજ્ઞાનિકો, ડોકટર્સ, ડબ્લ્યુએચઓ તરફથી માહિતી મેળવીને આ રસી તૈયાર કરવામાં આવી છે. આ રસી માત્ર 8 ડિગ્રીએ રાખી કે સંગ્રહી શકાય છે. પશ્ચિમના દેશો આગળ છે તેવું માનવામાં આવે છે પણ બુધ્ધિધનમાં ભારત આગળ છે અને રહેશે.
કોરોનાના સંકટકાળમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સએ આગળ રહી ફરજ બજાવી છે. કોરોનાગ્રસ્ત થયા પછી ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કરીને પણ ફરજ પર હાજર રહ્યા છે. તેવા તમામને રસી પહેલા આપવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, અફવાઓથી સાવધાન રહેવું. ભારતમાં કોરોના રસી ફાઇઝર મંગાવવામાં આવી નથી. રસીકરણમાં અને લોકશાહીમાં આ દેશ સૌથી આગળ છે. આખા વિશ્વમાં રસીકરણની આવી પધ્ધતિ નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના 6 અને ગ્રામ્યના 4 સહિત કુલ 10 કેન્દ્રો પર રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. તેમણે પ્રેરક પ્રવચનમાં કહ્યું કે, રાત-દિન જોયા વિના ફ્રન્ટ લાઇન વોરિયર્સએ કામ કર્યુ છે. ઓછામાં ઓછા સમયમાં મેઇડ ઇન ઇન્ડિયા બે રસી ઉપલબ્ધ છે. અન્ય રસી પર પણ કામ શરૂ છે, તે ભારતની ટેલેન્ટનું જીવતું-જાગતું ઉદાહરણ છે. માણસ મહેનતથી કાર્ય કરે તો તે પથ્થરમાંથી પાણી કાઢી શકે છે એનો દાખલો કોરોના રસીના વિકાસમાં જોવા મળે છે. કોરોના આરોગ્ય વોરિયર્સને સૌથી વધુ કોરોના સંક્રમણની સંભાવના છે તેવા તમામને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવશે. રાષ્ટ્રના સુરક્ષા બળ, પોલીસ, ફાયર બ્રિગ્રેડ, સફાઇ કર્મચારીઓને આવરી લેવામાં આવશે.
પહેલા દિવસે જિલ્લાના 4 કેન્દ્રો ખાતે અંદાજે 79 ટકા રસીકરણ
કોવીડ રસીકરણ પ્રારંભના પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં અંદાજે 79 ટકા લાભાર્થીઓ એ રસી લીધી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે બે સરકારી અને બે ખાનગી મળી ચાર સેન્ટર ખાતે કોરોના રસી મૂકવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસ માટે રસીને પાત્ર 363 આરોગ્યના કોરોના યોદ્ધાઓ ની યાદી બનાવવામાં આવી હતી.તે પૈકી 285 વોરિયર એ રસી મુકાવી હતી.ભાયલી ના સ્ટર્લિંગ સેન્ટર ખાતે 100 ટકા રસીકરણ થયું હતું.
સયાજી હોસ્પિટલ ખાતેથી શહેર જિલ્લામાં કોવિડ રસીકરણની કરાવ્યો પ્રારંભ
ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 79 ટકા લાભાર્થીઓ એ રસી લીધી
બુધ્ધિધનમાં ભારત આગળ છે અને રહેશે - ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી
WatchGujarat. કોરોના મહામારીને ધ્યાને લઇને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના રસીકરણનો આજે દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ઉપસ્થિત રહી શહેર અને જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, તા.12 મીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિના દિવસે વડાપ્રધાને કોરોના રસીનું દેશવ્યાપી વિતરણ શરૂ કરાવ્યું. દરેક જગ્યા પર ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે તેમને પ્રથમ રસી આપવામાં આવશે. આ રસી ક્યાંય પાછી નહિ પડે. સચેત થઇ, માહિતી મેળવીને, વૈજ્ઞાનિકો, ડોકટર્સ, ડબ્લ્યુએચઓ તરફથી માહિતી મેળવીને આ રસી તૈયાર કરવામાં આવી છે. આ રસી માત્ર 8 ડિગ્રીએ રાખી કે સંગ્રહી શકાય છે. પશ્ચિમના દેશો આગળ છે તેવું માનવામાં આવે છે પણ બુધ્ધિધનમાં ભારત આગળ છે અને રહેશે.
કોરોનાના સંકટકાળમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સએ આગળ રહી ફરજ બજાવી છે. કોરોનાગ્રસ્ત થયા પછી ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કરીને પણ ફરજ પર હાજર રહ્યા છે. તેવા તમામને રસી પહેલા આપવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, અફવાઓથી સાવધાન રહેવું. ભારતમાં કોરોના રસી ફાઇઝર મંગાવવામાં આવી નથી. રસીકરણમાં અને લોકશાહીમાં આ દેશ સૌથી આગળ છે. આખા વિશ્વમાં રસીકરણની આવી પધ્ધતિ નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના 6 અને ગ્રામ્યના 4 સહિત કુલ 10 કેન્દ્રો પર રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. તેમણે પ્રેરક પ્રવચનમાં કહ્યું કે, રાત-દિન જોયા વિના ફ્રન્ટ લાઇન વોરિયર્સએ કામ કર્યુ છે. ઓછામાં ઓછા સમયમાં મેઇડ ઇન ઇન્ડિયા બે રસી ઉપલબ્ધ છે. અન્ય રસી પર પણ કામ શરૂ છે, તે ભારતની ટેલેન્ટનું જીવતું-જાગતું ઉદાહરણ છે. માણસ મહેનતથી કાર્ય કરે તો તે પથ્થરમાંથી પાણી કાઢી શકે છે એનો દાખલો કોરોના રસીના વિકાસમાં જોવા મળે છે. કોરોના આરોગ્ય વોરિયર્સને સૌથી વધુ કોરોના સંક્રમણની સંભાવના છે તેવા તમામને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવશે. રાષ્ટ્રના સુરક્ષા બળ, પોલીસ, ફાયર બ્રિગ્રેડ, સફાઇ કર્મચારીઓને આવરી લેવામાં આવશે.
પહેલા દિવસે જિલ્લાના 4 કેન્દ્રો ખાતે અંદાજે 79 ટકા રસીકરણ
કોવીડ રસીકરણ પ્રારંભના પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં અંદાજે 79 ટકા લાભાર્થીઓ એ રસી લીધી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે બે સરકારી અને બે ખાનગી મળી ચાર સેન્ટર ખાતે કોરોના રસી મૂકવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસ માટે રસીને પાત્ર 363 આરોગ્યના કોરોના યોદ્ધાઓ ની યાદી બનાવવામાં આવી હતી.તે પૈકી 285 વોરિયર એ રસી મુકાવી હતી.ભાયલી ના સ્ટર્લિંગ સેન્ટર ખાતે 100 ટકા રસીકરણ થયું હતું.