ડેથ ઓડિટમાં ભલે નજીવો મૃત્યુઆંક દર્શાવાતો હોય, કોરોના કાળમાં મૃત્યુ વધ્યા હોવાનો આખરે તંત્રએ સ્વિકાર કર્યો
કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા છતાં નહીં પહોંચી વળતાં તંત્રએ ચિતાની સંખ્યા વધારી
શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાન ગૃહોના બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે
Watchgujarat. વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. જેને કારણે હવે વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સારવાર માટે બેડની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અને તેની માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હવે કોવિડ ગાઇડલાઇન સાથે મૃતદેહોની અંતિમક્રિયાની સંખ્યા વધતા સ્મશાનમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડ્યો છે. ખાસવાડી સ્મશાનમાં વધુ 6 ચિતા ઉમેરાઇ છે.
શહેરમાં કોરોનાનો કહેર જારી છે. કોરોનાને કારણે અસંખ્ય લોકો રોજેરોજ મૃત્યુ પામતા હોય છે. પરંતુ ડેથ ઓડિટ કમિટી દ્વારા કાચબાની ગતિએ કરવામાં આવતી કામગીરીને પગલે માત્ર જુજ લોકોના મોત કોરોનાથી થયા હોવાનું લોકની સામે આવતું હોય છે. કોરોના વધતા હવે હોસ્પિટલ અને સ્મશાનો પર કામનું ભારણ ખુબ જ વધ્યું છે. રોજે રોજ હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં વધારો જોવા મળે છે. તો બીજી તરફ સ્મશાનોમાં મૃતદેહોની સંખ્યા વધતા કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ અને સ્મશાનગૃહોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગત રોજ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાન ગૃહોના બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
હવે સ્મશાનગૃહોમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાતા શહેરના ખાસવાડી સ્મશાનગૃહમાં વધુ 6 ચિતા ઉમેરવામાં આવી છે. શહેરના ખાસવાડી સ્મશાનમાં અત્યાર સુધી 14 ચિતાઓ કાર્યરત હતી. હવે ચિતાની સંખ્યામાં વધારો કરાતા ખાસવાડી સ્મશાનમાં ચિતાની સંખ્યા 20 થઇ છે.
અગાઉ સ્મશાનમાં ચિતા પર મુકવા માટેના લાકડા ગાડામાં ભરીને લાવવામાં આવતા હતા. પરંતુ કોરોનાને કારણે સ્મશાનમાં કામનું ભારણ વધતા હવે લાકડા લાવવા – લઇ જવા માટે ઇ રીક્ષા પાલિકા તંત્ર દ્વારા મુકવામાં આવી છે. જેને લઇને હવે સરળતાથી લાડકાની હેરફેર કરી શકાશે. અને કર્મચારીઓ પર કામના ભારણમાં આંશિક ઘટાડો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા ઓ.એસ.ડી.ની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોરોનાના આંકડા છુપાવવામાં આવતા હોવાનું હવે તમામ લોકો માની રહ્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો બીજી તરફ સ્મશાનગૃહોમાં મૃતદેહોની અંતિમક્રિયા માટે કતારો લાગી છે. સરકારી આંકડાની સામે હોસ્પિટલો અને સ્મશાનગૃહોની સ્થિતી કંઇ અલગ જ છે.
ડેથ ઓડિટમાં ભલે નજીવો મૃત્યુઆંક દર્શાવાતો હોય, કોરોના કાળમાં મૃત્યુ વધ્યા હોવાનો આખરે તંત્રએ સ્વિકાર કર્યો
કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા છતાં નહીં પહોંચી વળતાં તંત્રએ ચિતાની સંખ્યા વધારી
શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાન ગૃહોના બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે
Watchgujarat. વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. જેને કારણે હવે વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સારવાર માટે બેડની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અને તેની માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હવે કોવિડ ગાઇડલાઇન સાથે મૃતદેહોની અંતિમક્રિયાની સંખ્યા વધતા સ્મશાનમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડ્યો છે. ખાસવાડી સ્મશાનમાં વધુ 6 ચિતા ઉમેરાઇ છે.
શહેરમાં કોરોનાનો કહેર જારી છે. કોરોનાને કારણે અસંખ્ય લોકો રોજેરોજ મૃત્યુ પામતા હોય છે. પરંતુ ડેથ ઓડિટ કમિટી દ્વારા કાચબાની ગતિએ કરવામાં આવતી કામગીરીને પગલે માત્ર જુજ લોકોના મોત કોરોનાથી થયા હોવાનું લોકની સામે આવતું હોય છે. કોરોના વધતા હવે હોસ્પિટલ અને સ્મશાનો પર કામનું ભારણ ખુબ જ વધ્યું છે. રોજે રોજ હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં વધારો જોવા મળે છે. તો બીજી તરફ સ્મશાનોમાં મૃતદેહોની સંખ્યા વધતા કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ અને સ્મશાનગૃહોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગત રોજ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મશાન ગૃહોના બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
હવે સ્મશાનગૃહોમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાતા શહેરના ખાસવાડી સ્મશાનગૃહમાં વધુ 6 ચિતા ઉમેરવામાં આવી છે. શહેરના ખાસવાડી સ્મશાનમાં અત્યાર સુધી 14 ચિતાઓ કાર્યરત હતી. હવે ચિતાની સંખ્યામાં વધારો કરાતા ખાસવાડી સ્મશાનમાં ચિતાની સંખ્યા 20 થઇ છે.
અગાઉ સ્મશાનમાં ચિતા પર મુકવા માટેના લાકડા ગાડામાં ભરીને લાવવામાં આવતા હતા. પરંતુ કોરોનાને કારણે સ્મશાનમાં કામનું ભારણ વધતા હવે લાકડા લાવવા – લઇ જવા માટે ઇ રીક્ષા પાલિકા તંત્ર દ્વારા મુકવામાં આવી છે. જેને લઇને હવે સરળતાથી લાડકાની હેરફેર કરી શકાશે. અને કર્મચારીઓ પર કામના ભારણમાં આંશિક ઘટાડો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા ઓ.એસ.ડી.ની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોરોનાના આંકડા છુપાવવામાં આવતા હોવાનું હવે તમામ લોકો માની રહ્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો બીજી તરફ સ્મશાનગૃહોમાં મૃતદેહોની અંતિમક્રિયા માટે કતારો લાગી છે. સરકારી આંકડાની સામે હોસ્પિટલો અને સ્મશાનગૃહોની સ્થિતી કંઇ અલગ જ છે.