ગત તા. 14 ઓકટોબર 2020ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યા કરી દેવામાં આવી હતી
વડોદરા સેન્ટ્રલ જેલની બેરેક નં-12માં અજ્જુ કાણીયા હત્યા કરાઇ હતી
અજ્જુની હત્યા કરનાર સાહીલ પરમાર, કિરણ અને અફતાબ સામે ગુનો નોંધ્યો હતો
સ્થાનિક પોલીસ તપાસથી અસંતુષ્ટ અજ્જુની બહેન પરવીનબાનુએ ન્યાયીક તપાસ અર્થે ડી.જી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી કરી હતી
આ મામલે હાઇકોર્ટમાં પણ પિટીશિયન કરવામાં આવી હતી
WatchGujarat. કુખ્યાત અજ્જુ કાણીયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હતા. જેમાં વાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ખંડણીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જેલ વાસ ભોગવી રહેલા અજ્જુ કાણીયાની ગત તા. 14 ઓક્ટોબર 2020ના રોજ સવારે બેરેક નં-12માં હત્યા કરી દેવામાં આવી હતી. જોકે આ મામલે રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ હવે સમગ્ર મામલની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.
વડોદરા સેન્ટ્રલ જેલામાં રહેલા કુખ્યાત અજ્જુ કાણીયાની ગત તા. 14 ઓકટોબરના રોજ સાહીલ પરમારે હત્યા કરી નાખી હતી. સાહીલે પતરાનો ટુકડો અજ્જુના ગળાના ભાગે ફેરવી દઇ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાનો આ પ્રથમ બનાવ હતો જેથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા. આ મામલે રાવપુરા પોલીસે સાહીલ પરમાર, કિરણ અને અફતાબ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
જોકે પોલીસ તપાસથી અસંતુષ્ટ અજ્જુની બહેન પરવીનબાનુએ ગુજરાત પોલીસ વડાને ન્યાયીક તપાસ અંગે લેખિત અરજી કરી હતી. આ સહીત પરવીનબાનુએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશિયન પણ કરી હતી. દરમિયાન સીઆઇડી ક્રાઇમ દ્વારા પરવાનીબાનુનો જવાબ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ તેમના વકીલ એસ.એફ પઠાણે જણાવ્યું હતુ.
પરવીનબાનુની પીટીશિયનને ધ્યાને લઇ હાઇકોર્ટે તપાસ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવાનુ જવાબમાં જણાવ્યું હતુ. જેથી હાઇકોર્ટે જવાબ ગ્રાહ્ય રાખ્યો હતો. અને અજ્જુ કાણીયા મર્ડર કેસની તપાસ હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે તેવુ એડવોકેટ એસ.એફ પઠાણે જણાવ્યું હતુ.
ગત તા. 14 ઓકટોબર 2020ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યા કરી દેવામાં આવી હતી
વડોદરા સેન્ટ્રલ જેલની બેરેક નં-12માં અજ્જુ કાણીયા હત્યા કરાઇ હતી
અજ્જુની હત્યા કરનાર સાહીલ પરમાર, કિરણ અને અફતાબ સામે ગુનો નોંધ્યો હતો
સ્થાનિક પોલીસ તપાસથી અસંતુષ્ટ અજ્જુની બહેન પરવીનબાનુએ ન્યાયીક તપાસ અર્થે ડી.જી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી કરી હતી
આ મામલે હાઇકોર્ટમાં પણ પિટીશિયન કરવામાં આવી હતી
WatchGujarat. કુખ્યાત અજ્જુ કાણીયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હતા. જેમાં વાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ખંડણીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જેલ વાસ ભોગવી રહેલા અજ્જુ કાણીયાની ગત તા. 14 ઓક્ટોબર 2020ના રોજ સવારે બેરેક નં-12માં હત્યા કરી દેવામાં આવી હતી. જોકે આ મામલે રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ હવે સમગ્ર મામલની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.
વડોદરા સેન્ટ્રલ જેલામાં રહેલા કુખ્યાત અજ્જુ કાણીયાની ગત તા. 14 ઓકટોબરના રોજ સાહીલ પરમારે હત્યા કરી નાખી હતી. સાહીલે પતરાનો ટુકડો અજ્જુના ગળાના ભાગે ફેરવી દઇ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાનો આ પ્રથમ બનાવ હતો જેથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા. આ મામલે રાવપુરા પોલીસે સાહીલ પરમાર, કિરણ અને અફતાબ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
જોકે પોલીસ તપાસથી અસંતુષ્ટ અજ્જુની બહેન પરવીનબાનુએ ગુજરાત પોલીસ વડાને ન્યાયીક તપાસ અંગે લેખિત અરજી કરી હતી. આ સહીત પરવીનબાનુએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશિયન પણ કરી હતી. દરમિયાન સીઆઇડી ક્રાઇમ દ્વારા પરવાનીબાનુનો જવાબ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ તેમના વકીલ એસ.એફ પઠાણે જણાવ્યું હતુ.
પરવીનબાનુની પીટીશિયનને ધ્યાને લઇ હાઇકોર્ટે તપાસ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવાનુ જવાબમાં જણાવ્યું હતુ. જેથી હાઇકોર્ટે જવાબ ગ્રાહ્ય રાખ્યો હતો. અને અજ્જુ કાણીયા મર્ડર કેસની તપાસ હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે તેવુ એડવોકેટ એસ.એફ પઠાણે જણાવ્યું હતુ.