વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગી રહેલા ગુનેગાર કોરોના સંક્રમિત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવે છે.
કેદીઓ સાથે જાપ્તામાં પોલીસ પણ હોસ્પિટલ પરિસરમાં હાજર હોય છે.
કોવિડ વોર્ડ કોરોના સંક્રમિત થવાની બીકે પોલીસ કર્મીઓ બહાર ફરજ બજાવી રહ્યાં હતા
તકનો લાભ ઉઠાવી સુરતથી પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલાયેલો કેદી ફરાર થયો
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી જેલની અંદર પણ પહોંચી છે. ત્યારે અનેક કેદીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. તેવામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સુરતથી પાસા હેઠળ ધકેલાયેલો કેદી કોરોના સંક્રમિત થતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગુરૂવારે બપોરના સમયે કોરોના પોઝિટીવ કેદી તકનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે પોલીસ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
https://youtu.be/p9UmHiG_X1A
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સયાજી હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ કેર સેન્ટર જાહેર કરવામાં આવી છે. જેથી શહેર અને આસપાસના ગામો તેમજ જિલ્લાના 50 ઉપરાંત દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ઉપરાંત વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કોરોના સંક્રમિત થાય તો તેમની સારવાર માટે ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં અનેક કેદીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જેમાં સુરતના મનીસિંહ કેસરિસિંહને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો.
પાસા હેઠળ સજા ભોગવી રહેલો મનીસિંહ કેસરિસિંહની અચાનક તબીયત લથડતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવતા ત્રણ દિવસ અગાઉ મનિસિંહને સયાજી હોસ્પિટલના પાંચમા માળે અન્ય કેદઓ સાથે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેવામાં ગુરૂવારે બપોરના સમયે વોર્ડમાં હાજર સ્ટાફ અંદર કેબીનમાં કામ કરી રહ્યો હતો, દરમિયાન તકનો લાભ ઉઠાવી મનિસિંહ વોર્ડનો દરવાજો ખોલી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાકલી હોસ્પિટલમાં ખાતે આવી પહોંચી હતી. જ્યાં હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા કોરોનાની સારવાર લઇ રહેલો મનિસિંહ હોસ્પિટલમાંથી ફરાર થતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે કોરોના પોઝિટીવ કેદીની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગી રહેલા ગુનેગાર કોરોના સંક્રમિત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવે છે.
કેદીઓ સાથે જાપ્તામાં પોલીસ પણ હોસ્પિટલ પરિસરમાં હાજર હોય છે.
કોવિડ વોર્ડ કોરોના સંક્રમિત થવાની બીકે પોલીસ કર્મીઓ બહાર ફરજ બજાવી રહ્યાં હતા
તકનો લાભ ઉઠાવી સુરતથી પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલાયેલો કેદી ફરાર થયો
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી જેલની અંદર પણ પહોંચી છે. ત્યારે અનેક કેદીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. તેવામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સુરતથી પાસા હેઠળ ધકેલાયેલો કેદી કોરોના સંક્રમિત થતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગુરૂવારે બપોરના સમયે કોરોના પોઝિટીવ કેદી તકનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે પોલીસ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સયાજી હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ કેર સેન્ટર જાહેર કરવામાં આવી છે. જેથી શહેર અને આસપાસના ગામો તેમજ જિલ્લાના 50 ઉપરાંત દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ઉપરાંત વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કોરોના સંક્રમિત થાય તો તેમની સારવાર માટે ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં અનેક કેદીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જેમાં સુરતના મનીસિંહ કેસરિસિંહને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો.
પાસા હેઠળ સજા ભોગવી રહેલો મનીસિંહ કેસરિસિંહની અચાનક તબીયત લથડતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવતા ત્રણ દિવસ અગાઉ મનિસિંહને સયાજી હોસ્પિટલના પાંચમા માળે અન્ય કેદઓ સાથે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેવામાં ગુરૂવારે બપોરના સમયે વોર્ડમાં હાજર સ્ટાફ અંદર કેબીનમાં કામ કરી રહ્યો હતો, દરમિયાન તકનો લાભ ઉઠાવી મનિસિંહ વોર્ડનો દરવાજો ખોલી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાકલી હોસ્પિટલમાં ખાતે આવી પહોંચી હતી. જ્યાં હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા કોરોનાની સારવાર લઇ રહેલો મનિસિંહ હોસ્પિટલમાંથી ફરાર થતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે કોરોના પોઝિટીવ કેદીની શોધખોળ હાથ ધરી છે.