ગમતા લોકેશન પર દુકામ મળી આવતા તેને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી
લોન લઇ દુકાનના પૈસા ચુકવ્યા બાદ પણ ડેવલોપર્સ દ્વારા દસ્તાવેજ ન કરી અપાયો
આખરે કંટાળેલા ગ્રાહકે ડેવલોપર્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
WatchGujarat. કપુરાઇ ચોકડી નજીક વાલમ હબમાં દુકાન ખરીદવા માટે રૂ. 33.59 લાખ ચુકવ્યા બાદ વેચાણ દસ્તાવેજ ન કરી આપી ઝરણા ડેવલોપર્સ સાથે સંકળાયેલા ત્રણ લોકો સામે છેતરપિંડી આચરવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના અને હાલ વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રા કોલ સેન્ટરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલી વાલમ હબમાં તેમણે દુકાન ખરીદી હતી. તે માટે તેઓએ બેંકમાંથી રૂ. 21 લાખની લોન લીધી હતી. કુલ મળીને દુકાનની કિંમતના રૂ. 33.59 લાખ ઝરના ડેવલોપર્સના માલિક હરેશ કરસનભાઇ પ્રજાપતિ અને રાકેશભાઇ કરસનભાઇ પ્રજાપતિ(બંને રહે, વરિયા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) તેમજ હિંમતભાઇ કાળુભાઇ સારોલીયા(રહે, દિપક સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા)ને આપ્યા હતા. પૈસા ચુકવ્યા બાદ પણ દુકાનનો દસ્તાવેજ કરી આપવા માટે વારંવાર જાણ કરી હતી. તેમ છત્તા દસ્તાવેજ માટેની કામગીરી આગળ વધી ન હતી.
દસ્તાવેજ કરી આપવા માટે વારંવાર કહેતા એક દિવસ ઝરના ડેવલોપર્સના સંચાલકો દ્વારા દસ્તાવેજના નામે કોરા કાગળ પર સહિ કરવા જણાવ્યું હતું. જો કે અંબરીશ મિશ્રાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. વારંવાર કહેવા છત્તા કામગીરી ન થતા આખરે અંબરીશ મિશ્રાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગમતા લોકેશન પર દુકામ મળી આવતા તેને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી
લોન લઇ દુકાનના પૈસા ચુકવ્યા બાદ પણ ડેવલોપર્સ દ્વારા દસ્તાવેજ ન કરી અપાયો
આખરે કંટાળેલા ગ્રાહકે ડેવલોપર્સ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
WatchGujarat. કપુરાઇ ચોકડી નજીક વાલમ હબમાં દુકાન ખરીદવા માટે રૂ. 33.59 લાખ ચુકવ્યા બાદ વેચાણ દસ્તાવેજ ન કરી આપી ઝરણા ડેવલોપર્સ સાથે સંકળાયેલા ત્રણ લોકો સામે છેતરપિંડી આચરવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના અને હાલ વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રા કોલ સેન્ટરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલી વાલમ હબમાં તેમણે દુકાન ખરીદી હતી. તે માટે તેઓએ બેંકમાંથી રૂ. 21 લાખની લોન લીધી હતી. કુલ મળીને દુકાનની કિંમતના રૂ. 33.59 લાખ ઝરના ડેવલોપર્સના માલિક હરેશ કરસનભાઇ પ્રજાપતિ અને રાકેશભાઇ કરસનભાઇ પ્રજાપતિ(બંને રહે, વરિયા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) તેમજ હિંમતભાઇ કાળુભાઇ સારોલીયા(રહે, દિપક સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા)ને આપ્યા હતા. પૈસા ચુકવ્યા બાદ પણ દુકાનનો દસ્તાવેજ કરી આપવા માટે વારંવાર જાણ કરી હતી. તેમ છત્તા દસ્તાવેજ માટેની કામગીરી આગળ વધી ન હતી.
દસ્તાવેજ કરી આપવા માટે વારંવાર કહેતા એક દિવસ ઝરના ડેવલોપર્સના સંચાલકો દ્વારા દસ્તાવેજના નામે કોરા કાગળ પર સહિ કરવા જણાવ્યું હતું. જો કે અંબરીશ મિશ્રાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. વારંવાર કહેવા છત્તા કામગીરી ન થતા આખરે અંબરીશ મિશ્રાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.