ઓનલાઇન છેતરપિંડીના ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં ઉછાળો આવ્યો
આધેડને અલગ અલગ બહાને ફાયદો કરાવવાની વાત કરીને જ્યોતિષીઓએ પૈસા પડાવ્યા
આધેડને છેતરાયાની જાણ થતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી
WatchGujarat. આધેડના ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને અલગ-અલગ વિધિના બહાને ઓનલાઇન રૂ. 96.76 લાખ ટુકડે-ટુકડે પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આધેડે વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ અને જ્યોતિષ સહિત 16 શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારમાં રહેતા આધેડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 થી 2021 દરમિયાન અલગ-અલગ નામે જેમકે વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલ દેવ, મહાગુરુજી, બ્રાહ્મઋષિજી, (કૃષ્ણ શાસ્ત્રી), પુષ્કળજી, રાહુલજી, બ્રાહ્મઋષિજી નેપાળવાળા(દયાનંદજી), દિપક શાસ્ત્રી નામે ફરિયાદી સાથે વાત કરીને જણાવ્યું હતું કે, તમારા 35થી 40 વર્ષની કન્યા સાથે લગ્ન થશે અને તમને પુત્ર સંતાનનો પણ યોગ છે. તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યાર બાદ કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવ્યું હતું. જેના કારણે તમારા કુટુંબના દરેક સભ્યોના જીવને જોખમ છે. આ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરી બ્રાહ્મણોને બોલાવી પશુની રક્તબલી ચડાવી પડશે. જો કે પશુ ભાગી જવાથી ફરીથી પશુના નામે પણ પૈસા માંગવામાં આવ્યા હતા.
ઉપરાંત માતા-પિતાની સદગતિ માટે અને ઘરમાં અચળ લક્ષ્મીનો વાસ થાય તે માટે વિધિ દરમિયાન ગોપાલજી નામના બ્રાહ્મણ મૃત્યુ થયું છે, જેથી તમને બ્રહ્મ દોષ લાગશે, તેમની સદગતિ માટે ગાયોનું દાન, 12 જ્યોતિર્લિંગના અભિષેકનું જળ લાવી તેમની આત્માને શાંતિ માટે યજ્ઞ, કુંડળીના બધા ગ્રહોને શાંત કરવા માટે બીજ મંત્રોથી વિધિ કરીને નક્ષત્ર તથા દિશાઓને કંટ્રોલમાં રાખવા, લક્ષ્મીજી તથા ગણેશજીની સોનાની મૂર્તિ ખરીદી ઘરમાં સ્થાપના વિધિ માટે તેમજ ગયેલા રૂપિયા પરત આપવાના બહાને આધેડ પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 96.76 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી. સમગ્ર મામલે શહેર સાયબર ક્રાઇમ દ્વારા 16 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
ઓનલાઇન છેતરપિંડીના ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં ઉછાળો આવ્યો
આધેડને અલગ અલગ બહાને ફાયદો કરાવવાની વાત કરીને જ્યોતિષીઓએ પૈસા પડાવ્યા
આધેડને છેતરાયાની જાણ થતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી
WatchGujarat. આધેડના ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને અલગ-અલગ વિધિના બહાને ઓનલાઇન રૂ. 96.76 લાખ ટુકડે-ટુકડે પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આધેડે વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ અને જ્યોતિષ સહિત 16 શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારમાં રહેતા આધેડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 થી 2021 દરમિયાન અલગ-અલગ નામે જેમકે વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલ દેવ, મહાગુરુજી, બ્રાહ્મઋષિજી, (કૃષ્ણ શાસ્ત્રી), પુષ્કળજી, રાહુલજી, બ્રાહ્મઋષિજી નેપાળવાળા(દયાનંદજી), દિપક શાસ્ત્રી નામે ફરિયાદી સાથે વાત કરીને જણાવ્યું હતું કે, તમારા 35થી 40 વર્ષની કન્યા સાથે લગ્ન થશે અને તમને પુત્ર સંતાનનો પણ યોગ છે. તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યાર બાદ કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવ્યું હતું. જેના કારણે તમારા કુટુંબના દરેક સભ્યોના જીવને જોખમ છે. આ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરી બ્રાહ્મણોને બોલાવી પશુની રક્તબલી ચડાવી પડશે. જો કે પશુ ભાગી જવાથી ફરીથી પશુના નામે પણ પૈસા માંગવામાં આવ્યા હતા.
ઉપરાંત માતા-પિતાની સદગતિ માટે અને ઘરમાં અચળ લક્ષ્મીનો વાસ થાય તે માટે વિધિ દરમિયાન ગોપાલજી નામના બ્રાહ્મણ મૃત્યુ થયું છે, જેથી તમને બ્રહ્મ દોષ લાગશે, તેમની સદગતિ માટે ગાયોનું દાન, 12 જ્યોતિર્લિંગના અભિષેકનું જળ લાવી તેમની આત્માને શાંતિ માટે યજ્ઞ, કુંડળીના બધા ગ્રહોને શાંત કરવા માટે બીજ મંત્રોથી વિધિ કરીને નક્ષત્ર તથા દિશાઓને કંટ્રોલમાં રાખવા, લક્ષ્મીજી તથા ગણેશજીની સોનાની મૂર્તિ ખરીદી ઘરમાં સ્થાપના વિધિ માટે તેમજ ગયેલા રૂપિયા પરત આપવાના બહાને આધેડ પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 96.76 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી. સમગ્ર મામલે શહેર સાયબર ક્રાઇમ દ્વારા 16 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.