દેદી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ..સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈએ ગાંધી પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતોની સુરાવલી સરિતા વચ્ચે આઝાદી અમૃત પર્વ સભા અને દાંડી સ્મૃતિ દિવસ ઉજવણીનો કરાવ્યો પ્રારંભ
પ્રધાનમંત્રી શ્રીએ દેશને ગાંધી વિચાર થી દોરવા અને જોડવા ૨૦૨૧ માં યોજેલી દાંડી યાત્રા વડોદરા નજીક થી પસાર થાય ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરવા વડોદરા શહેર અને જિલ્લાના લોકોને કર્યો અનુરોધ
સ્વતંત્રતા માટેની ઝંખનાને પ્રોત્સાહિત કરતા સયાજીરાવ મહારાજના હિંમતભર્યા પગલાંને કર્યું યાદ
WatchGujarat. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતોની સુરાવલી સરિતા મધ્યે આઝાદી 75 અમૃત પર્વ સભા અને દાંડી કૂચ સ્મૃતિ દિવસની શહેરી વિસ્તારમાં ઉજવણીનો ભારત માતાની છબીની પુષ્પ વંદના કરીને પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે ગાંધી વિચારોની તાકાતથી દેશને દોરવા અને જોડવા તેમજ નવી પેઢીમાં સ્વતંત્રતાની બહુમુલ્યતાની સમજણ દૃઢ કરવા પ્રધાનમંત્રીએ પૂજ્ય બાપુની દાંડી યાત્રાની પ્રતિકૃતિ રૂપે આજથી શરૂ કરાયેલી દાંડી કૂચ 2021 જ્યારે વડોદરા જિલ્લાની નજીકથી પસાર થાય ત્યારે શહેર અને જિલ્લાના લોકો ઉમટી પડે અને ઉમળકાભેર સ્વાગત કરે એવી ખાસ હાકલ કરી હતી.
બાપુએ ચપટી મીઠાના સત્યાગ્રહથી દેશના લોકોમાં સ્વતંત્રતાની તડપ કેળવી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આજની દાંડી યાત્રા પણ દેશને ઘડવાના વિચારોની યાત્રા છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી છે.
બાપુની હાકલથી હજારો લોકોએ નોકરી છોડી હતી, વિદેશી કાપડની હોળી કરી હતી. એ જ રીતે પ્રધાનમંત્રીએ ગાંધી ચિંધ્યા માર્ગે હાકલો કરીને કોરોના સામેની લડાઈમાં દેશને જોડ્યો હતો. ભારતે અગાઉ ગુજરાતના નર રત્નો ગાંધી અને સરદાર પર મીટ માંડી હતી. આજે દેશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી અમિતભાઈ પર મીટ માંડી છે જે ગુજરાતના પનોતા પુત્ર છે.
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ નવી પેઢીને સ્વતંત્રતા મેળવવાની માટેની ગૌરવ ગાથા સાથે નવી પેઢીને જોડવા અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવવા અને દ્રઢ કરવા તથા આઝાદીના લડવૈયાઓની પ્રેરક શૌર્ય કથાઓથી તેમને વાકેફ કરવા આ આયોજન કર્યું છે.દેશની આઝાદીની અમુલ્યતા સમજવા માટેનો આ અનોખો કાર્યક્રમ છે.
વડોદરાના સયાજીરાવ મહારાજે બ્રિટનના રાજાને પીઠ બતાવી હિંમતભેર સ્વતંત્રતા માટેની દેશની ઝંખના પ્રગટ કરી હતી. તો વડોદરાના રાજ્ય સેવક મહર્ષિ અરવિંદે સ્વતંત્રતા માટેની ક્રાંતિને વેગ આપવાની સાથે 15 મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની આગાહી કરી હતી તેની તેમણે યાદ અપાવી હતી. નવી પેઢીના મનમાં આ ભૂમિકા દૃઢ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
મેયર કેયૂર રોકડિયાએ આજે સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના બલિદાનોને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ સ્વરાજથી પૂર્ણ સ્વરાજના લક્ષ્યને સાકાર કરવા ફરીથી દાંડી યાત્રા યોજી છે. સ્વતંત્રતા સંગ્રામમાં દાંડી કુચ એક સીમાચિન્હ છે. પ્રધાનમંત્રીએ 2021 માં તેના પુનઃ આયોજન દ્વારા આત્મ નિર્ભર ભારતને વેગવાન બનાવવાનો સંકલ્પ દૃઢ કર્યો છે.પૂ.બાપુ પણ દેશની આત્મ નિર્ભરતાના પ્રખર હિમાયતી હતા.
વડોદરા મહા નગર સેવા સદન એ પણ બાપુના વિચારો અને પ્રધાનમંત્રીની હાકલ પ્રમાણે સ્વચ્છ વડોદરા, લોકોને સરળતા થી પાણીની ઉપલબ્ધિ, દરેક માટે ઘર, ટ્રાફિક અને પાર્કિંગની સરળતા જેવા કદમો દ્વારા પૂર્ણ સ્વરાજની લોકોની અનુભૂતિ કરાવવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. લોકો અમારા પ્રયાસોમાં સહભાગી અને વિકાસના સહયાત્રી બને. સર્વ ક્ષેત્રીય વિકાસ અને તમામ સુવિધાઓ લોકોને 100 ટકા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે અમે કામ શરૂ કર્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ, મનીષાબેન, સીમાબેન, નાયબ મેયર નંદાબેન જોષી, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, અન્ય પાલિકા પદાધિકારીઓ, નગર સેવકો, ભાર્ગવ ભટ્ટ, ડો.વિજય શાહ, શબ્દ શરણ બ્રહ્મભટ્ટ સહિત પક્ષ પદાધિકારીઓ,પૂર્વ મંત્રી લાખાવાળા,પૂર્વ મેયર, શિક્ષણ સમિતિ અધ્યક્ષ દિલીપસિંહ , મ્યુનિસીપલ કમિશ્નર પી.સ્વરૂપ, પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ ગાંધી વંદના દ્વારા રાષ્ટ્ર વંદનાના કાર્યક્રમમાં જોડાયાં હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈએ ગાંધી પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતોની સુરાવલી સરિતા વચ્ચે આઝાદી અમૃત પર્વ સભા અને દાંડી સ્મૃતિ દિવસ ઉજવણીનો કરાવ્યો પ્રારંભ
પ્રધાનમંત્રી શ્રીએ દેશને ગાંધી વિચાર થી દોરવા અને જોડવા ૨૦૨૧ માં યોજેલી દાંડી યાત્રા વડોદરા નજીક થી પસાર થાય ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરવા વડોદરા શહેર અને જિલ્લાના લોકોને કર્યો અનુરોધ
સ્વતંત્રતા માટેની ઝંખનાને પ્રોત્સાહિત કરતા સયાજીરાવ મહારાજના હિંમતભર્યા પગલાંને કર્યું યાદ
WatchGujarat. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતોની સુરાવલી સરિતા મધ્યે આઝાદી 75 અમૃત પર્વ સભા અને દાંડી કૂચ સ્મૃતિ દિવસની શહેરી વિસ્તારમાં ઉજવણીનો ભારત માતાની છબીની પુષ્પ વંદના કરીને પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે ગાંધી વિચારોની તાકાતથી દેશને દોરવા અને જોડવા તેમજ નવી પેઢીમાં સ્વતંત્રતાની બહુમુલ્યતાની સમજણ દૃઢ કરવા પ્રધાનમંત્રીએ પૂજ્ય બાપુની દાંડી યાત્રાની પ્રતિકૃતિ રૂપે આજથી શરૂ કરાયેલી દાંડી કૂચ 2021 જ્યારે વડોદરા જિલ્લાની નજીકથી પસાર થાય ત્યારે શહેર અને જિલ્લાના લોકો ઉમટી પડે અને ઉમળકાભેર સ્વાગત કરે એવી ખાસ હાકલ કરી હતી.
બાપુએ ચપટી મીઠાના સત્યાગ્રહથી દેશના લોકોમાં સ્વતંત્રતાની તડપ કેળવી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આજની દાંડી યાત્રા પણ દેશને ઘડવાના વિચારોની યાત્રા છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી છે.
બાપુની હાકલથી હજારો લોકોએ નોકરી છોડી હતી, વિદેશી કાપડની હોળી કરી હતી. એ જ રીતે પ્રધાનમંત્રીએ ગાંધી ચિંધ્યા માર્ગે હાકલો કરીને કોરોના સામેની લડાઈમાં દેશને જોડ્યો હતો. ભારતે અગાઉ ગુજરાતના નર રત્નો ગાંધી અને સરદાર પર મીટ માંડી હતી. આજે દેશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી અમિતભાઈ પર મીટ માંડી છે જે ગુજરાતના પનોતા પુત્ર છે.
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ નવી પેઢીને સ્વતંત્રતા મેળવવાની માટેની ગૌરવ ગાથા સાથે નવી પેઢીને જોડવા અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવવા અને દ્રઢ કરવા તથા આઝાદીના લડવૈયાઓની પ્રેરક શૌર્ય કથાઓથી તેમને વાકેફ કરવા આ આયોજન કર્યું છે.દેશની આઝાદીની અમુલ્યતા સમજવા માટેનો આ અનોખો કાર્યક્રમ છે.
વડોદરાના સયાજીરાવ મહારાજે બ્રિટનના રાજાને પીઠ બતાવી હિંમતભેર સ્વતંત્રતા માટેની દેશની ઝંખના પ્રગટ કરી હતી. તો વડોદરાના રાજ્ય સેવક મહર્ષિ અરવિંદે સ્વતંત્રતા માટેની ક્રાંતિને વેગ આપવાની સાથે 15 મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની આગાહી કરી હતી તેની તેમણે યાદ અપાવી હતી. નવી પેઢીના મનમાં આ ભૂમિકા દૃઢ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
મેયર કેયૂર રોકડિયાએ આજે સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના બલિદાનોને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ સ્વરાજથી પૂર્ણ સ્વરાજના લક્ષ્યને સાકાર કરવા ફરીથી દાંડી યાત્રા યોજી છે. સ્વતંત્રતા સંગ્રામમાં દાંડી કુચ એક સીમાચિન્હ છે. પ્રધાનમંત્રીએ 2021 માં તેના પુનઃ આયોજન દ્વારા આત્મ નિર્ભર ભારતને વેગવાન બનાવવાનો સંકલ્પ દૃઢ કર્યો છે.પૂ.બાપુ પણ દેશની આત્મ નિર્ભરતાના પ્રખર હિમાયતી હતા.
વડોદરા મહા નગર સેવા સદન એ પણ બાપુના વિચારો અને પ્રધાનમંત્રીની હાકલ પ્રમાણે સ્વચ્છ વડોદરા, લોકોને સરળતા થી પાણીની ઉપલબ્ધિ, દરેક માટે ઘર, ટ્રાફિક અને પાર્કિંગની સરળતા જેવા કદમો દ્વારા પૂર્ણ સ્વરાજની લોકોની અનુભૂતિ કરાવવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. લોકો અમારા પ્રયાસોમાં સહભાગી અને વિકાસના સહયાત્રી બને. સર્વ ક્ષેત્રીય વિકાસ અને તમામ સુવિધાઓ લોકોને 100 ટકા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે અમે કામ શરૂ કર્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ, મનીષાબેન, સીમાબેન, નાયબ મેયર નંદાબેન જોષી, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, અન્ય પાલિકા પદાધિકારીઓ, નગર સેવકો, ભાર્ગવ ભટ્ટ, ડો.વિજય શાહ, શબ્દ શરણ બ્રહ્મભટ્ટ સહિત પક્ષ પદાધિકારીઓ,પૂર્વ મંત્રી લાખાવાળા,પૂર્વ મેયર, શિક્ષણ સમિતિ અધ્યક્ષ દિલીપસિંહ , મ્યુનિસીપલ કમિશ્નર પી.સ્વરૂપ, પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ ગાંધી વંદના દ્વારા રાષ્ટ્ર વંદનાના કાર્યક્રમમાં જોડાયાં હતા.